ગુજરાતના કર્મચારીઓની વારાફરતી આંદોલનના રસ્તા પર દોટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:17:26

ગુજરાતના સરકારી અને બિન સરકારી કર્મચારી માટે ચૂંટણી પહેલાનો સમય એટલે 'માગણીઓ સંતોષવાની મૌસમ'. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાનો સમય પણ અપવાદ નથી. ટૂંક સમયમાં જ વધુ એક માગણીનો સામનો ગુજરાત સરકારને કરવાનો રહેશે. જમાવટ પર જાણો કોણ હવે આંદોલન પર ઉતરવા જઈ રહ્યું છે? 


કયા વિભાગના લોકો હવે સરકારનું નાક દબાવવા નીકળ્યા?


થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે પંચાયત હસ્તકના કર્મચારીની માગણી સંતોષવા એક મહિનાનો સમય માગ્યો છે.  ત્યારે વર્ગ 1-2ના અધિકારીઓ પણ હડતાળ પર ઉતરવાની યોજના બનાવી રહ્યા છે. ગુજરાત સરકારના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ પગાર ભથ્થા અને OPS જેવી માગ સાથે સરકારને ઘેરવાની યોજના બનાવી રહ્યા છે. 


1960માં ગુજરાત બન્યા બાદની કોઈ પણ ઘટના ઉઠાવીને જોઈ લો, ચૂંટણીના સમય પહેલા સરકારે નારાજ મતદારોની માગ સંતોષવા માટે મથામણ કરી હશે. થોડા સમય બાદ ચૂંટણી આવી રહી છે. સરકાર આંદોલનના દલદલમાં ફસાતી જઈ રહી છે તેવું લાગી રહ્યું  છે. આ દલદલમાંથી જેમ સરકાર નીકળવાનો પ્રયાસ કરે તેમ અંદર ઘૂસતી જઈ રહી છે. મતદારોને રીજવવા માટે સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણીનો સમય નજીક આવતાની સાથે જ ગુજરાતના દરેક કર્મચારીઓ વારાફરતી આંદોલનના રસ્તા પર ખુલ્લી દોટ મૂકી રહ્યા છે. 


ગુજરાત સરકારે તમામની માગણી સ્વીકારવા માટે પાંચ મંત્રીઓની સમિતિ બનાવી છે. મંત્રીઓની સમિતિ પોતાની રીતે મહેનતથી માગણીઓ સંતોષતી દેખાઈ રહી છે. કારણ કે સરકાર પોતાના મતદારોને નિરાશ કરશે તો તેનું પરિણામ ચૂંટણીમાં તેમને ભોગવવું પડશે. જે ભૂપેન્દ્ર પટેલ સરકાર ભલીભાંતી જાણે છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.