ગુજરાતના કર્મચારીઓની વારાફરતી આંદોલનના રસ્તા પર દોટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:17:26

ગુજરાતના સરકારી અને બિન સરકારી કર્મચારી માટે ચૂંટણી પહેલાનો સમય એટલે 'માગણીઓ સંતોષવાની મૌસમ'. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાનો સમય પણ અપવાદ નથી. ટૂંક સમયમાં જ વધુ એક માગણીનો સામનો ગુજરાત સરકારને કરવાનો રહેશે. જમાવટ પર જાણો કોણ હવે આંદોલન પર ઉતરવા જઈ રહ્યું છે? 


કયા વિભાગના લોકો હવે સરકારનું નાક દબાવવા નીકળ્યા?


થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે પંચાયત હસ્તકના કર્મચારીની માગણી સંતોષવા એક મહિનાનો સમય માગ્યો છે.  ત્યારે વર્ગ 1-2ના અધિકારીઓ પણ હડતાળ પર ઉતરવાની યોજના બનાવી રહ્યા છે. ગુજરાત સરકારના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ પગાર ભથ્થા અને OPS જેવી માગ સાથે સરકારને ઘેરવાની યોજના બનાવી રહ્યા છે. 


1960માં ગુજરાત બન્યા બાદની કોઈ પણ ઘટના ઉઠાવીને જોઈ લો, ચૂંટણીના સમય પહેલા સરકારે નારાજ મતદારોની માગ સંતોષવા માટે મથામણ કરી હશે. થોડા સમય બાદ ચૂંટણી આવી રહી છે. સરકાર આંદોલનના દલદલમાં ફસાતી જઈ રહી છે તેવું લાગી રહ્યું  છે. આ દલદલમાંથી જેમ સરકાર નીકળવાનો પ્રયાસ કરે તેમ અંદર ઘૂસતી જઈ રહી છે. મતદારોને રીજવવા માટે સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણીનો સમય નજીક આવતાની સાથે જ ગુજરાતના દરેક કર્મચારીઓ વારાફરતી આંદોલનના રસ્તા પર ખુલ્લી દોટ મૂકી રહ્યા છે. 


ગુજરાત સરકારે તમામની માગણી સ્વીકારવા માટે પાંચ મંત્રીઓની સમિતિ બનાવી છે. મંત્રીઓની સમિતિ પોતાની રીતે મહેનતથી માગણીઓ સંતોષતી દેખાઈ રહી છે. કારણ કે સરકાર પોતાના મતદારોને નિરાશ કરશે તો તેનું પરિણામ ચૂંટણીમાં તેમને ભોગવવું પડશે. જે ભૂપેન્દ્ર પટેલ સરકાર ભલીભાંતી જાણે છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.