ગુજરાતના કર્મચારીઓની વારાફરતી આંદોલનના રસ્તા પર દોટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 19:17:26

ગુજરાતના સરકારી અને બિન સરકારી કર્મચારી માટે ચૂંટણી પહેલાનો સમય એટલે 'માગણીઓ સંતોષવાની મૌસમ'. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાનો સમય પણ અપવાદ નથી. ટૂંક સમયમાં જ વધુ એક માગણીનો સામનો ગુજરાત સરકારને કરવાનો રહેશે. જમાવટ પર જાણો કોણ હવે આંદોલન પર ઉતરવા જઈ રહ્યું છે? 


કયા વિભાગના લોકો હવે સરકારનું નાક દબાવવા નીકળ્યા?


થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે પંચાયત હસ્તકના કર્મચારીની માગણી સંતોષવા એક મહિનાનો સમય માગ્યો છે.  ત્યારે વર્ગ 1-2ના અધિકારીઓ પણ હડતાળ પર ઉતરવાની યોજના બનાવી રહ્યા છે. ગુજરાત સરકારના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ પગાર ભથ્થા અને OPS જેવી માગ સાથે સરકારને ઘેરવાની યોજના બનાવી રહ્યા છે. 


1960માં ગુજરાત બન્યા બાદની કોઈ પણ ઘટના ઉઠાવીને જોઈ લો, ચૂંટણીના સમય પહેલા સરકારે નારાજ મતદારોની માગ સંતોષવા માટે મથામણ કરી હશે. થોડા સમય બાદ ચૂંટણી આવી રહી છે. સરકાર આંદોલનના દલદલમાં ફસાતી જઈ રહી છે તેવું લાગી રહ્યું  છે. આ દલદલમાંથી જેમ સરકાર નીકળવાનો પ્રયાસ કરે તેમ અંદર ઘૂસતી જઈ રહી છે. મતદારોને રીજવવા માટે સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણીનો સમય નજીક આવતાની સાથે જ ગુજરાતના દરેક કર્મચારીઓ વારાફરતી આંદોલનના રસ્તા પર ખુલ્લી દોટ મૂકી રહ્યા છે. 


ગુજરાત સરકારે તમામની માગણી સ્વીકારવા માટે પાંચ મંત્રીઓની સમિતિ બનાવી છે. મંત્રીઓની સમિતિ પોતાની રીતે મહેનતથી માગણીઓ સંતોષતી દેખાઈ રહી છે. કારણ કે સરકાર પોતાના મતદારોને નિરાશ કરશે તો તેનું પરિણામ ચૂંટણીમાં તેમને ભોગવવું પડશે. જે ભૂપેન્દ્ર પટેલ સરકાર ભલીભાંતી જાણે છે.




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"