ભારત સરકારે લીધો મોટો નિર્ણય:આ તારીખથી કારમાં છ એરબેગ્સ ફરજીયાત થશે:જાણીલો તારીખ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:31:27

સરકારે મુસાફરોની સુરક્ષા માટે છ એરબેગ ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.


નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે 1 ઓક્ટોબર, 2023થી કારમાં છ એરબેગ ફરજિયાત કરવામાં આવશે.


Six airbags compulsory in all Indian cars, says Nitin Gadkari - Auto News


નીતિન ગડકરીએ ટ્વિટમાં શું કહ્યું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું કે ઓટો ઉદ્યોગને સામનો કરી રહેલા વૈશ્વિક પુરવઠાના અવરોધો અને મેક્રો ઇકોનોમિક પરિદ્રશ્ય પર તેની અસરને ધ્યાનમાં રાખીને, પેસેન્જર કાર (M-1 શ્રેણી) 01 ઓક્ટોબર 2023 થી અમલમાં આવી છે. ઓછામાં ઓછા 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


કંપનીઓ ચિંતિત છે

આ પહેલા કેટલાક કાર નિર્માતાઓએ સરકારના આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. કંપનીઓને ડર છે કે આ નિયમના કારણે કારની કિંમતમાં વધારો થશે અને તેની સીધી અસર કારના વેચાણ પર પડશ,છ એરબેગ્સ ફરજિયાત બનાવવાથી દરેક સેગમેન્ટમાં કારની કિંમતમાં આશરે રૂ. 20,000નો વધારો થઈ શકે છે.


ગડકરી પહેલા જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે

નીતિન ગડકરી આ મામલે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. થોડા સમય પહેલા તેણે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કંપનીઓ એક્સપોર્ટ કારમાં છ એરબેગ આપે છે, પરંતુ જ્યારે તે જ યુનિટ ભારત માટે બનાવવામાં આવે છે ત્યારે તેમાં માત્ર ચાર એરબેગ આપવામાં આવે છે. એક એરબેગ બનાવવાનો ખર્ચ માત્ર નવસો રૂપિયા આવે છે. જો મોટી સંખ્યામાં ઉત્પાદન થશે, તો એરબેગ્સની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.