ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 10:13:22

ઈલાબેને રાજીનામુ આપ્યા પછી ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે હવે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવશે. ટ્રસ્ટીમંડળની બેઠકમાં તેમના નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને રાજ્યપાલે પણ આ નિમંત્રણ સ્વીકારી લીધું છે. આગામી પદવીદાન સમારોહમાં તેઓ હોદ્દો સંભાળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો કે, ઈલાબેન હાજર રહેશે કે નહીં તેની પૃષ્ટિ નથી થઈ શકી.

gujarat vidyapith

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનવા જઈ રહ્યા છે. 18મી ઓક્ટોબરના રોજ સંસ્થામાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, અને ત્યારે જ નવા કુલપતિ પણ પદગ્રહણ કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મળેલી ટ્રસ્ટીમંડળની બેઠકમાં નવા કુલપતિ તરીકે રાજ્યપાલની નિમણૂકનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી ગુજરાત વિદ્યાપીઠના પ્રતિનિધિ મંડળ દ્વારા આચાર્ય દેવવ્રતને નિમંત્રણ મોકલવામાં આવ્યુ હતું જેનો તેમણે સ્વીકાર કર્યો છે.


18મી ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભ પછી આચાર્ય દેવવ્રત પદગ્રહણ કરીને નવા કુલપતિ તરીકેની સત્તા સંભાળી શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા સમયથી ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં વિવાદ અને ગેરરીતિઓના સમાચાર સામે આવી રહ્યા છે, તેવામાં આચાર્ય દેવવ્રતે પદ સંભાળીને તે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનું કામ હાથ ધરવું પડશે. તેમણે વિદ્યાપઠીને લગતા મહત્વના નિર્ણયો પણ લેવા પડી શકે છે.


ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ ઈલાબેને ઓક્ટોબર મહિનાની શરુઆતમાં જ રાજીનામું આપી દીધુ હતું. નવા કુલપતિની નિમણુક માટે ટ્રસ્ટીમંડળની બેઠક બોલાવવામાં આવી હતી અને આચાર્ય દેવવ્રતનું નામ આગળ કરવામાં આવ્યુ હતું. ટ્રસ્ટીમંડળના સભ્યો પૈકી 9 સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, પરંતુ બાકીના સભ્યોએ તેમના નામ માટે હામી ભરી હતી. મોટી સંખ્યામાં લોકોએ રાજ્યપાલના નામને ટેકો આપતા તેમને આમંત્રણ મોકલવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .