ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 10:13:22

ઈલાબેને રાજીનામુ આપ્યા પછી ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે હવે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવશે. ટ્રસ્ટીમંડળની બેઠકમાં તેમના નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને રાજ્યપાલે પણ આ નિમંત્રણ સ્વીકારી લીધું છે. આગામી પદવીદાન સમારોહમાં તેઓ હોદ્દો સંભાળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો કે, ઈલાબેન હાજર રહેશે કે નહીં તેની પૃષ્ટિ નથી થઈ શકી.

gujarat vidyapith

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનવા જઈ રહ્યા છે. 18મી ઓક્ટોબરના રોજ સંસ્થામાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, અને ત્યારે જ નવા કુલપતિ પણ પદગ્રહણ કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મળેલી ટ્રસ્ટીમંડળની બેઠકમાં નવા કુલપતિ તરીકે રાજ્યપાલની નિમણૂકનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી ગુજરાત વિદ્યાપીઠના પ્રતિનિધિ મંડળ દ્વારા આચાર્ય દેવવ્રતને નિમંત્રણ મોકલવામાં આવ્યુ હતું જેનો તેમણે સ્વીકાર કર્યો છે.


18મી ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભ પછી આચાર્ય દેવવ્રત પદગ્રહણ કરીને નવા કુલપતિ તરીકેની સત્તા સંભાળી શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા સમયથી ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં વિવાદ અને ગેરરીતિઓના સમાચાર સામે આવી રહ્યા છે, તેવામાં આચાર્ય દેવવ્રતે પદ સંભાળીને તે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનું કામ હાથ ધરવું પડશે. તેમણે વિદ્યાપઠીને લગતા મહત્વના નિર્ણયો પણ લેવા પડી શકે છે.


ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ ઈલાબેને ઓક્ટોબર મહિનાની શરુઆતમાં જ રાજીનામું આપી દીધુ હતું. નવા કુલપતિની નિમણુક માટે ટ્રસ્ટીમંડળની બેઠક બોલાવવામાં આવી હતી અને આચાર્ય દેવવ્રતનું નામ આગળ કરવામાં આવ્યુ હતું. ટ્રસ્ટીમંડળના સભ્યો પૈકી 9 સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, પરંતુ બાકીના સભ્યોએ તેમના નામ માટે હામી ભરી હતી. મોટી સંખ્યામાં લોકોએ રાજ્યપાલના નામને ટેકો આપતા તેમને આમંત્રણ મોકલવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.