કુસ્તીબાજોના 'દંગલ' બાદ સરકાર એક્શનમાં, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને કર્યું સસ્પેન્ડ, સંજય સિંહ ઘરભેગા


  • Published By :
  • Published Date : 2023-12-24 12:35:47

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને કેન્દ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધું છે. રમતગમત મંત્રાલયે WFIની આખી નવી ચૂંટાયેલી બોડીને સસ્પેન્ડ કરી દીધી છે. એટલું જ નહીં, સરકારે ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખના તમામ નિર્ણયો પર રોક લગાવી દીધી છે. સરકારે સંજય સિંહ માન્યતા રદ કરી દેતા હવે સંજય સિંહ WFIના અધ્યક્ષ રહેશે નહીં. તાજેતરમાં WFIની ચૂંટણી જીતેલા સંજય સિંહને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ માનવામાં આવે છે.



સંજય સિંહની પેનલે 15માંથી 13 પોસ્ટ જીતી હતી

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ઘણી બાકી રહેલી ચૂંટણીઓમાં ગુરુવારે સંજય સિંહ પ્રમુખ પદ પર આસાનીથી જીત નોંધાવવામાં સફળ રહ્યા હતા. તેમણે કોમનવેલ્થ ગેમ્સની ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા અનિતા શિયોરાનને હરાવી હતી. તેમની પેનલે 15માંથી 13 પોસ્ટ જીતી હતી. ચૂંટણી પરિણામોએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને નિરાશ થયા અને ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.


કુસ્તીબાજોએ નારાજગી વ્યક્ત કરી હતી


ખેલ મંત્રાલયે એવા સમયે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો નારાજ છે. કુસ્તીબાજ બ્રિજભૂષણ સિંહના નજીકના લોકો સંજય સિંહની જીતથી નારાજ છે અને સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બનવાના વિરોધમાં શુક્રવારે પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કરવાનો નિર્ણય લીધો હતો. આના એક દિવસ પહેલા સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી હતી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.