કુસ્તીબાજોના 'દંગલ' બાદ સરકાર એક્શનમાં, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને કર્યું સસ્પેન્ડ, સંજય સિંહ ઘરભેગા


  • Published By :
  • Published Date : 2023-12-24 12:35:47

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને કેન્દ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધું છે. રમતગમત મંત્રાલયે WFIની આખી નવી ચૂંટાયેલી બોડીને સસ્પેન્ડ કરી દીધી છે. એટલું જ નહીં, સરકારે ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખના તમામ નિર્ણયો પર રોક લગાવી દીધી છે. સરકારે સંજય સિંહ માન્યતા રદ કરી દેતા હવે સંજય સિંહ WFIના અધ્યક્ષ રહેશે નહીં. તાજેતરમાં WFIની ચૂંટણી જીતેલા સંજય સિંહને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ માનવામાં આવે છે.



સંજય સિંહની પેનલે 15માંથી 13 પોસ્ટ જીતી હતી

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ઘણી બાકી રહેલી ચૂંટણીઓમાં ગુરુવારે સંજય સિંહ પ્રમુખ પદ પર આસાનીથી જીત નોંધાવવામાં સફળ રહ્યા હતા. તેમણે કોમનવેલ્થ ગેમ્સની ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા અનિતા શિયોરાનને હરાવી હતી. તેમની પેનલે 15માંથી 13 પોસ્ટ જીતી હતી. ચૂંટણી પરિણામોએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને નિરાશ થયા અને ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.


કુસ્તીબાજોએ નારાજગી વ્યક્ત કરી હતી


ખેલ મંત્રાલયે એવા સમયે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો નારાજ છે. કુસ્તીબાજ બ્રિજભૂષણ સિંહના નજીકના લોકો સંજય સિંહની જીતથી નારાજ છે અને સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બનવાના વિરોધમાં શુક્રવારે પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કરવાનો નિર્ણય લીધો હતો. આના એક દિવસ પહેલા સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે