કુસ્તીબાજોના 'દંગલ' બાદ સરકાર એક્શનમાં, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને કર્યું સસ્પેન્ડ, સંજય સિંહ ઘરભેગા


  • Published By :
  • Published Date : 2023-12-24 12:35:47

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને કેન્દ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધું છે. રમતગમત મંત્રાલયે WFIની આખી નવી ચૂંટાયેલી બોડીને સસ્પેન્ડ કરી દીધી છે. એટલું જ નહીં, સરકારે ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખના તમામ નિર્ણયો પર રોક લગાવી દીધી છે. સરકારે સંજય સિંહ માન્યતા રદ કરી દેતા હવે સંજય સિંહ WFIના અધ્યક્ષ રહેશે નહીં. તાજેતરમાં WFIની ચૂંટણી જીતેલા સંજય સિંહને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ માનવામાં આવે છે.



સંજય સિંહની પેનલે 15માંથી 13 પોસ્ટ જીતી હતી

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ઘણી બાકી રહેલી ચૂંટણીઓમાં ગુરુવારે સંજય સિંહ પ્રમુખ પદ પર આસાનીથી જીત નોંધાવવામાં સફળ રહ્યા હતા. તેમણે કોમનવેલ્થ ગેમ્સની ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા અનિતા શિયોરાનને હરાવી હતી. તેમની પેનલે 15માંથી 13 પોસ્ટ જીતી હતી. ચૂંટણી પરિણામોએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને નિરાશ થયા અને ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.


કુસ્તીબાજોએ નારાજગી વ્યક્ત કરી હતી


ખેલ મંત્રાલયે એવા સમયે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો નારાજ છે. કુસ્તીબાજ બ્રિજભૂષણ સિંહના નજીકના લોકો સંજય સિંહની જીતથી નારાજ છે અને સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બનવાના વિરોધમાં શુક્રવારે પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કરવાનો નિર્ણય લીધો હતો. આના એક દિવસ પહેલા સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.