અદાણી પાવર પાસેથી ઊંચા ભાવે વીજ ખરીદી મુદ્દે સરકાર ફસાઈ, વિધાનસભામાં કર્યો લૂલો બચાવ


  • Published By :
  • Published Date : 2024-02-06 20:01:19

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસે વિપક્ષના ધારાસભ્યોએ ઉર્જા અને પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર સવાલો કર્યો હતા. આ સાથે જ વિધાનસભામાં અદાણી પાસેથી વીજળી ખરીદવા મુદ્દે પણ વિપક્ષે સવાલ કર્યા હતા. જો કે આ સવાલ પર સરકારે સંતોષકારક જવાબ ન આપતા વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યુ હતું. કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર ફક્ત અદાણીને જ નફો કરાવવાનો રસ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્ચું હતું કે, ડબલ એન્જિન સરકારમાં માનીતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે. 


અમિત ચાવડાએ કર્યા આ સવાલ


ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને નિશાન બનાવીને આકરા સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે અદાણીને 8,265 રૂપિયા વધુ આપીને સરકાર દ્વારા વીજળી ખરીદી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈ એ એક રૂપિયો આપવાનો હોય ત્યારે સરકાર ધક્કા ખવડાવે છે, અદાણી પાવરમાં જાણે ખેરાત કરતા હોય એમ વર્તન કરે છે. ડબલ એન્જીન સરકારમાં અદાણી ને ડબલ ભાવ અપવામાં આવે છે. 25 વર્ષનો કરાર છે, હજુ 8 વર્ષ બાકી છે ત્યારે કરારની સમીક્ષા કરવી જોઈએ.


અમિત ચાવડાએ કહ્યુ, સરકારે અદાણી સાથે રૂ. 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવાના કરાર કર્યા છે. જેની સામે સરકારે વર્ષ 2022માં સરેરાશ યુનિટ દીઠ રૂ. 7.185 રૂપિયા ચૂકવી 610 મિલિયન યુનિટ વીજળી ખરીદી છે. વર્ષ 2023માં સરેરાશ યુનિટ દીઠ રૂ. 5.33 રૂપિયા ચૂકવી 7425 મિલિયન યુનિટ વીજળી ખરીદી છે. સરકારે વીજળી ખરીદવામાં 2022 અદાણીને રૂપિયા 4315 કરોડ વધુ ચૂકવ્યા છે. વર્ષ 2023માં સરકારે અદાણીને રૂપિયા 3950 કરોડ વધુ ચૂકવ્યા છે. સરકારે વીજળી બદલ અદાણીને છેલ્લા 2 વર્ષમાં રૂ. 8265 કરો રૂપિયા વધુ ચૂકવ્યા છે. એટલે કે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી તેના કરતા બેથી ત્રણ ગણા ભાવ આપીને સરકાર અદાણી પાવર પાસે વીજળી ખરીદી છે. 2022માં 6110 મિલીયન વીજળી 2023ના વર્ષમાં 7425 મિલિયન વીજળી ખરીદવામાં આવી છે.


મંત્રી કનુ દેસાઈએ સરકારના નિર્ણયનો કર્યો બચાવ


વિપક્ષ  કોંગ્રેસના આરોપોનો સામે સરકારના નિર્ણયનો બચાવ કરતા વીજ મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં સરકાર તરફથી જવાબ રજૂ કર્યો હતો.તેમણે જણાવ્યુ હતુ કે ઈન્ડોનેશિયામાં કોલસો મોંઘો થયો છે.જેથી કોલસો વેચવાનું બંધ કર્યું છે. હાલ કોલસાનો ભાવ 125 રૂપિયા છે, હાલ ઓછા ભાવે વિજળી ખરીદીએ છે. વિજળીની માગ ત્રણ ઘણી વધી છે. વર્ષ 2024માં 24 હજાર મેગાવોટ વીજળીની માગ છે. હાલ ખેડૂતોને સમયસર કનેક્શન મળે છે, 3થી 6 માસ વેઈટિંગ છે. જેતે સમયે આયાત કોલસા આધારીત પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા. વીજ કટોકટી ન સર્જાય સતત વીજળી મળે માટે પાવર એક્સચેન્જમાંથી વિજળી ખરીદી છે. ઓક્ટબર 21 થી 100 ટનનો કરાર સરકારે કર્યો હતો.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે