અદાણી પાવર પાસેથી ઊંચા ભાવે વીજ ખરીદી મુદ્દે સરકાર ફસાઈ, વિધાનસભામાં કર્યો લૂલો બચાવ


  • Published By :
  • Published Date : 2024-02-06 20:01:19

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસે વિપક્ષના ધારાસભ્યોએ ઉર્જા અને પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર સવાલો કર્યો હતા. આ સાથે જ વિધાનસભામાં અદાણી પાસેથી વીજળી ખરીદવા મુદ્દે પણ વિપક્ષે સવાલ કર્યા હતા. જો કે આ સવાલ પર સરકારે સંતોષકારક જવાબ ન આપતા વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યુ હતું. કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર ફક્ત અદાણીને જ નફો કરાવવાનો રસ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્ચું હતું કે, ડબલ એન્જિન સરકારમાં માનીતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે. 


અમિત ચાવડાએ કર્યા આ સવાલ


ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને નિશાન બનાવીને આકરા સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે અદાણીને 8,265 રૂપિયા વધુ આપીને સરકાર દ્વારા વીજળી ખરીદી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈ એ એક રૂપિયો આપવાનો હોય ત્યારે સરકાર ધક્કા ખવડાવે છે, અદાણી પાવરમાં જાણે ખેરાત કરતા હોય એમ વર્તન કરે છે. ડબલ એન્જીન સરકારમાં અદાણી ને ડબલ ભાવ અપવામાં આવે છે. 25 વર્ષનો કરાર છે, હજુ 8 વર્ષ બાકી છે ત્યારે કરારની સમીક્ષા કરવી જોઈએ.


અમિત ચાવડાએ કહ્યુ, સરકારે અદાણી સાથે રૂ. 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવાના કરાર કર્યા છે. જેની સામે સરકારે વર્ષ 2022માં સરેરાશ યુનિટ દીઠ રૂ. 7.185 રૂપિયા ચૂકવી 610 મિલિયન યુનિટ વીજળી ખરીદી છે. વર્ષ 2023માં સરેરાશ યુનિટ દીઠ રૂ. 5.33 રૂપિયા ચૂકવી 7425 મિલિયન યુનિટ વીજળી ખરીદી છે. સરકારે વીજળી ખરીદવામાં 2022 અદાણીને રૂપિયા 4315 કરોડ વધુ ચૂકવ્યા છે. વર્ષ 2023માં સરકારે અદાણીને રૂપિયા 3950 કરોડ વધુ ચૂકવ્યા છે. સરકારે વીજળી બદલ અદાણીને છેલ્લા 2 વર્ષમાં રૂ. 8265 કરો રૂપિયા વધુ ચૂકવ્યા છે. એટલે કે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી તેના કરતા બેથી ત્રણ ગણા ભાવ આપીને સરકાર અદાણી પાવર પાસે વીજળી ખરીદી છે. 2022માં 6110 મિલીયન વીજળી 2023ના વર્ષમાં 7425 મિલિયન વીજળી ખરીદવામાં આવી છે.


મંત્રી કનુ દેસાઈએ સરકારના નિર્ણયનો કર્યો બચાવ


વિપક્ષ  કોંગ્રેસના આરોપોનો સામે સરકારના નિર્ણયનો બચાવ કરતા વીજ મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં સરકાર તરફથી જવાબ રજૂ કર્યો હતો.તેમણે જણાવ્યુ હતુ કે ઈન્ડોનેશિયામાં કોલસો મોંઘો થયો છે.જેથી કોલસો વેચવાનું બંધ કર્યું છે. હાલ કોલસાનો ભાવ 125 રૂપિયા છે, હાલ ઓછા ભાવે વિજળી ખરીદીએ છે. વિજળીની માગ ત્રણ ઘણી વધી છે. વર્ષ 2024માં 24 હજાર મેગાવોટ વીજળીની માગ છે. હાલ ખેડૂતોને સમયસર કનેક્શન મળે છે, 3થી 6 માસ વેઈટિંગ છે. જેતે સમયે આયાત કોલસા આધારીત પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા. વીજ કટોકટી ન સર્જાય સતત વીજળી મળે માટે પાવર એક્સચેન્જમાંથી વિજળી ખરીદી છે. ઓક્ટબર 21 થી 100 ટનનો કરાર સરકારે કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.