કેન્દ્રીય કર્મચારીને દિવાળી પહેલા સરકારની ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:49:34



કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેયર્સની બેઠકમાં આજે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં આજે ડીએમાં 4 ટકા વધારો કરવાના નિર્ણય પર મોહર લગાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી વચ્ચે કેટલાય દિવસોથી ડીએમાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા. ડીએમાં ચાર ટકા વધારો કરવાથી કેન્દ્રના કર્મચારીના પગારમાં વધારો થશે. 


શું હોય છે ડી.એ.?

ડીએ એટલે ડિયરનેસ એલાઉન્સ. સાદી રીતે સમજીએ તો મોંઘવારી આવતા પગારમાં વધારો કરવામાં આવે છે તેને ડીએ કહેવામાં આવે છે. મૂળ પગારમાં થોડા રૂપિયાનો વધારો કરી દેવામાં આવે છે. 


34થી 38 ટકા કરાયો ડીયરનેસ એલાઉન્સ 

કેન્દ્ર સરકારે વર્ષ 2022ના માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 3 ટકાનો વધારો કર્યો હતો ત્યાર બાદ આજે ફરીથી ચાર ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ડીએ 34 ટકા હતું. હવે ચાર ટકાનો વધારો કરાતા કેન્દ્ર સરકારના કર્મચારીનું હવે ડીએ 38 ટકા થઈ ગયું છે. 


કેટલા લોકોને મળશે લાભ?

કેન્દ્ર સરકારે ચાર ટકા ડીએ વધારો કરવાનો નિર્ણય લેતા કેન્દ્રના 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનર્સને ફાયદો મળશે. જો કેન્દ્રના કર્મચારીનો બેઝિક પગાર 18 હજાર રૂપિયા હોય તો 34 ટકા મુજબ તેમને મળતો ડીએ 6,120 રૂપિયા થાય, પરંતુ તેને 38 ટકા મુજબ લેવામાં આવે તો તે રૂપિયા વધીને 6,840 રૂપિયા થાય. 


મોંઘવારી જેવા સમયમાં પગારો વધારો થાય છે

સામાન્ય રીતે ડીયરનેસ એલાઉન્સ જેવી વસ્તુઓમાં વધારો બહુ ઓછો થતો જોવા મળે છે. પરંતુ કેન્દ્ર સરકાર સમયાંતરે જે વધારો કરી રહી છે તે મુજબથી લાગે છે કે મોંઘવારી ભારતમાં વધી રહી છે. કારણ કે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના પગાર વધારવાની ફરજ ત્યારે જ આવે છે જ્યારે તેમના કર્મચારીઓ મોંઘવારીનો માર જેલી રહ્યા હોય અને મોંઘવારી સમયે તેમનો પગાર ઘર ચલાવવા માટે પૂરતો ના પડતો હોય.  


 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.