કેન્દ્રીય કર્મચારીને દિવાળી પહેલા સરકારની ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:49:34



કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેયર્સની બેઠકમાં આજે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં આજે ડીએમાં 4 ટકા વધારો કરવાના નિર્ણય પર મોહર લગાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી વચ્ચે કેટલાય દિવસોથી ડીએમાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા. ડીએમાં ચાર ટકા વધારો કરવાથી કેન્દ્રના કર્મચારીના પગારમાં વધારો થશે. 


શું હોય છે ડી.એ.?

ડીએ એટલે ડિયરનેસ એલાઉન્સ. સાદી રીતે સમજીએ તો મોંઘવારી આવતા પગારમાં વધારો કરવામાં આવે છે તેને ડીએ કહેવામાં આવે છે. મૂળ પગારમાં થોડા રૂપિયાનો વધારો કરી દેવામાં આવે છે. 


34થી 38 ટકા કરાયો ડીયરનેસ એલાઉન્સ 

કેન્દ્ર સરકારે વર્ષ 2022ના માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 3 ટકાનો વધારો કર્યો હતો ત્યાર બાદ આજે ફરીથી ચાર ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ડીએ 34 ટકા હતું. હવે ચાર ટકાનો વધારો કરાતા કેન્દ્ર સરકારના કર્મચારીનું હવે ડીએ 38 ટકા થઈ ગયું છે. 


કેટલા લોકોને મળશે લાભ?

કેન્દ્ર સરકારે ચાર ટકા ડીએ વધારો કરવાનો નિર્ણય લેતા કેન્દ્રના 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનર્સને ફાયદો મળશે. જો કેન્દ્રના કર્મચારીનો બેઝિક પગાર 18 હજાર રૂપિયા હોય તો 34 ટકા મુજબ તેમને મળતો ડીએ 6,120 રૂપિયા થાય, પરંતુ તેને 38 ટકા મુજબ લેવામાં આવે તો તે રૂપિયા વધીને 6,840 રૂપિયા થાય. 


મોંઘવારી જેવા સમયમાં પગારો વધારો થાય છે

સામાન્ય રીતે ડીયરનેસ એલાઉન્સ જેવી વસ્તુઓમાં વધારો બહુ ઓછો થતો જોવા મળે છે. પરંતુ કેન્દ્ર સરકાર સમયાંતરે જે વધારો કરી રહી છે તે મુજબથી લાગે છે કે મોંઘવારી ભારતમાં વધી રહી છે. કારણ કે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના પગાર વધારવાની ફરજ ત્યારે જ આવે છે જ્યારે તેમના કર્મચારીઓ મોંઘવારીનો માર જેલી રહ્યા હોય અને મોંઘવારી સમયે તેમનો પગાર ઘર ચલાવવા માટે પૂરતો ના પડતો હોય.  


 




ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.