સરકારે સુધારી આ વિભાગના કર્મચારીઓની Diwali, કર્મચારીઓના ભથ્થામાં કર્યો આટલો વધારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-11 15:30:14

દિવાળી વખતે કર્મચારીઓને ભેટ મળતી હોય છે. બોનસ મળતું હોય છે. ત્યારે ગુજરાત સરકારે પણ કર્મચારીઓની દિવાળી સુધારી છે. અનેક કર્મચારીઓના પગાર ભથ્થામાં સરકારે વધારો કર્યો છે. દિવાળી પહેલા જેલ ખાતાના કર્મચારીઓને ગુજરાત સરકારે ભેટ આપી છે. જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.  જેલ કર્મચારીના ભથ્થામાં 3500થી 5000 સુધીનો વધારો કર્યો છે. અનેક કર્મયોગીને સરકારે દિવાળી પહેલા ભેટ આપી છે અને ભેટને કારણે તિજોરી પર 13.22 કરોડનું ભારણ વધશે!

આ નિર્ણયથી સરકારની તિજોરી પર પડશે આટલા કરોડનું ભારણ

થોડા સમય પહેલા એસટી વિભાગના કર્મચારીઓના હીતમાં સરકારે નિર્ણય લીધો હતો. ફિક્સ-પે કર્મચારીઓના પગારમાં વધારો કરાયો હતો ત્યારે હવે દિવાળી પહેલા જેલ વિભાગમાં કામ કરતા કર્મચારીની દિવાળી સરકારે સુધારી છે. ગુજરાત સરકારે 13.22 કરોડનો વધારાનો ખર્ચ કરી જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતરના ભથ્થામાં 3500થી 5000 રુપિયાનો વધારો કરાયો કર્યો છે. તે ઉપરાંત ફિક્સ-પગારના જેલ સહાયકોને હવે 3500 રૂપિયા, સિપાઈને 4000 રુપિયા, હવલદારને 4500 રુપિયા જ્યારે સુબેદારને 5000 રૂપિયાનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થું ચૂકવવામા આવશે. 


અનેક વખત આ અંગે કરાઈ છે રજૂઆત 

તે ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓને જાહેર રજા વળતરમાં મળતા 150 રુપિયામાં વધારો કરીને રજા પેટે 665 રુપિયા ચૂકવવામાં આવશે. તે ઉપરાંત જેલ સિપાઈ હવલદાર સુબેદારને મળતા 25ના વોશિંગ એલાઉન્સમાં વધારો કરી 500 રુપિયા આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મહત્વનું છે કે આ અંગે અનેક વખત લેખિતમાં તેમજ મૌખિક રીતે રજૂઆત કરી હતી ત્યારે હવે તેમની વાતને સ્વીકારવામાં આવી છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી