સરકારે સુધારી આ વિભાગના કર્મચારીઓની Diwali, કર્મચારીઓના ભથ્થામાં કર્યો આટલો વધારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-11 15:30:14

દિવાળી વખતે કર્મચારીઓને ભેટ મળતી હોય છે. બોનસ મળતું હોય છે. ત્યારે ગુજરાત સરકારે પણ કર્મચારીઓની દિવાળી સુધારી છે. અનેક કર્મચારીઓના પગાર ભથ્થામાં સરકારે વધારો કર્યો છે. દિવાળી પહેલા જેલ ખાતાના કર્મચારીઓને ગુજરાત સરકારે ભેટ આપી છે. જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.  જેલ કર્મચારીના ભથ્થામાં 3500થી 5000 સુધીનો વધારો કર્યો છે. અનેક કર્મયોગીને સરકારે દિવાળી પહેલા ભેટ આપી છે અને ભેટને કારણે તિજોરી પર 13.22 કરોડનું ભારણ વધશે!

આ નિર્ણયથી સરકારની તિજોરી પર પડશે આટલા કરોડનું ભારણ

થોડા સમય પહેલા એસટી વિભાગના કર્મચારીઓના હીતમાં સરકારે નિર્ણય લીધો હતો. ફિક્સ-પે કર્મચારીઓના પગારમાં વધારો કરાયો હતો ત્યારે હવે દિવાળી પહેલા જેલ વિભાગમાં કામ કરતા કર્મચારીની દિવાળી સરકારે સુધારી છે. ગુજરાત સરકારે 13.22 કરોડનો વધારાનો ખર્ચ કરી જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતરના ભથ્થામાં 3500થી 5000 રુપિયાનો વધારો કરાયો કર્યો છે. તે ઉપરાંત ફિક્સ-પગારના જેલ સહાયકોને હવે 3500 રૂપિયા, સિપાઈને 4000 રુપિયા, હવલદારને 4500 રુપિયા જ્યારે સુબેદારને 5000 રૂપિયાનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થું ચૂકવવામા આવશે. 


અનેક વખત આ અંગે કરાઈ છે રજૂઆત 

તે ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓને જાહેર રજા વળતરમાં મળતા 150 રુપિયામાં વધારો કરીને રજા પેટે 665 રુપિયા ચૂકવવામાં આવશે. તે ઉપરાંત જેલ સિપાઈ હવલદાર સુબેદારને મળતા 25ના વોશિંગ એલાઉન્સમાં વધારો કરી 500 રુપિયા આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મહત્વનું છે કે આ અંગે અનેક વખત લેખિતમાં તેમજ મૌખિક રીતે રજૂઆત કરી હતી ત્યારે હવે તેમની વાતને સ્વીકારવામાં આવી છે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.