સરકારી અધિકારીઓ ચાલુ નોકરીએ ચલાવે છે ક્લાસિસ!


  • Published By :
  • Published Date : 2023-03-18 18:38:45

સરકારી અધિકારીને પહેલેથી એમ પણ મસ મોટો પગાર મળતો હોય છે. પરંતુ અનેક વખત એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે કે સરકારી અધિકારી કામના સમય દરમિયાન પોતાના અંગત કામો કરતા હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે શિક્ષણ અધિકારી પોતાના ક્લાસિસમાં આઈપીએસ તેમજ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાની વાત હોય. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સરકારી પગારથી સંતુષ્ટ ન રહેતા સરકારી અધિકારી પોતાના પર્સનલ ક્લાસમાં વિદ્યાર્થીઓને કોચિંગ આપે છે અને પરીક્ષામાં પાસ કરાવે છે. 

સરકારી નોકરી કરી રહેલા અધિકારીઓ પોતાના કોચિંગ ક્લાસ ચલાવે છે

આપણા ત્યાં સરકારી અધિકારી તેમજ કર્મચારીઓ માટે અનેક નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત તે નિયમો નેવે મૂકી સરકારી અધિકારી પોતાની મનમાની કરતા હોય ત્યારે કિસ્સાઓ પણ છાસવારે સામે આવતા હોય છે. સરકારી પરીક્ષાની તૈયારીઓ માટે અનેક કોચિંગ ક્લાસ આપણે ત્યાં ખોલવામાં આવ્યા છે. સરકારી નોકરીની તૈયારી ત્યાં કરાવવામાં આવે છે. પરંતુ અનેક કોચિંગ ક્લાસ એવા હોય છે જે સરકારી અધિકારી ચલાવતા હોય છે. સરકારી નોકરી કરી રહેલા અધિકારીઓ પોતાના કોચિંગ ક્લાસ ખોલી દે છે અને ત્યાંથી પૈસા કમાય છે. 

લીક થતાં પેપરમાં કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી

એવા અનેક કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ કે સરકારી પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ એક જ કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ હોય છે. કોચિંગ ક્લાસ ચલાવનાર માલિકોની એટલી બધી ઓળખાણ હોય છે કે પેપરથી લઈને ઈન્ટરવ્યુ સુધીનું સેટિંગ માલિકે પોતાની ઓળખાણથી કોચિંગ ક્લાસના માલિકો કરી લેતા હોય છે. પોતાની જાહેરાતમાં કોચિંગ ક્લાસ દ્વારા લખવામાં આવતું હોય છે કે અમારે ત્યાં આટલા આઈપીએસ, આટલા આઈએએસ અધિકારીઓ ભણાવવા આવતા હોય છે. ત્યારે પ્રશ્નએ થાય છે કે ભણાવવા આવતા અધિકારીઓ વાસ્તવમાં અધિકારી હોય છે. ઘણી વખત ઉચ્ચ અધિકારીને ખબર નથી હોતી કે તેની નાક નીચે શું થઈ રહ્યું છે. અનેક વખત જે પેપર લીક થતાં હોય છે તેમાં પણ કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું કોચિંગ ક્લાસ અધિકારી બનાવતા શીખવે છે કે ભ્રષ્ટ કેવી રીતે બનવું તેની ટ્રેનિંગ આપવામાં આવે છે?

ગુજરાતમાં અનેક કોચિંગ સેન્ટરોમાં આવુ ચાલે છે 

ગુજરાતમાં અનેક કોચિંગ સેન્ટરો એવા છે જ્યા આ પ્રકારના કામ કરવામાં આવતા હોય છે. ત્યારે સરકારની ફરજ છે કે પ્રામાણિક્તા ગુણ સૌથી પહેલા પોતાના અધિકારીઓને શીખવે. લાખોમાં જેને પગાર મળતો હોય છે તે સરકારી અધિકારી જો નોકરીના સમય દરમિયાન પોતાની ઓફિસમાં હાજર નથી હોતો તે અને વર્કિંગ હવર્સ દરમિયાન પોતાના પર્સનલ કામમાં લાગ્તો હોય ત્યારે સરકારે આ અંગે વિચારવું પડશે. આ તો માત્ર આ અંગે વાત કરવામાં આવી છે જો સમય રહેતા પગલા નહીં લેવામાં આવે અને જો કોચિંગ ક્લાસ વાળા નહીં સુધરે તો આખી કહાની લોકો સમક્ષ બતાવવામાં આવશે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.