સરકારી અધિકારીઓ ચાલુ નોકરીએ ચલાવે છે ક્લાસિસ!


  • Published By :
  • Published Date : 2023-03-18 18:38:45

સરકારી અધિકારીને પહેલેથી એમ પણ મસ મોટો પગાર મળતો હોય છે. પરંતુ અનેક વખત એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે કે સરકારી અધિકારી કામના સમય દરમિયાન પોતાના અંગત કામો કરતા હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે શિક્ષણ અધિકારી પોતાના ક્લાસિસમાં આઈપીએસ તેમજ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાની વાત હોય. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સરકારી પગારથી સંતુષ્ટ ન રહેતા સરકારી અધિકારી પોતાના પર્સનલ ક્લાસમાં વિદ્યાર્થીઓને કોચિંગ આપે છે અને પરીક્ષામાં પાસ કરાવે છે. 

સરકારી નોકરી કરી રહેલા અધિકારીઓ પોતાના કોચિંગ ક્લાસ ચલાવે છે

આપણા ત્યાં સરકારી અધિકારી તેમજ કર્મચારીઓ માટે અનેક નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત તે નિયમો નેવે મૂકી સરકારી અધિકારી પોતાની મનમાની કરતા હોય ત્યારે કિસ્સાઓ પણ છાસવારે સામે આવતા હોય છે. સરકારી પરીક્ષાની તૈયારીઓ માટે અનેક કોચિંગ ક્લાસ આપણે ત્યાં ખોલવામાં આવ્યા છે. સરકારી નોકરીની તૈયારી ત્યાં કરાવવામાં આવે છે. પરંતુ અનેક કોચિંગ ક્લાસ એવા હોય છે જે સરકારી અધિકારી ચલાવતા હોય છે. સરકારી નોકરી કરી રહેલા અધિકારીઓ પોતાના કોચિંગ ક્લાસ ખોલી દે છે અને ત્યાંથી પૈસા કમાય છે. 

લીક થતાં પેપરમાં કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી

એવા અનેક કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ કે સરકારી પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ એક જ કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ હોય છે. કોચિંગ ક્લાસ ચલાવનાર માલિકોની એટલી બધી ઓળખાણ હોય છે કે પેપરથી લઈને ઈન્ટરવ્યુ સુધીનું સેટિંગ માલિકે પોતાની ઓળખાણથી કોચિંગ ક્લાસના માલિકો કરી લેતા હોય છે. પોતાની જાહેરાતમાં કોચિંગ ક્લાસ દ્વારા લખવામાં આવતું હોય છે કે અમારે ત્યાં આટલા આઈપીએસ, આટલા આઈએએસ અધિકારીઓ ભણાવવા આવતા હોય છે. ત્યારે પ્રશ્નએ થાય છે કે ભણાવવા આવતા અધિકારીઓ વાસ્તવમાં અધિકારી હોય છે. ઘણી વખત ઉચ્ચ અધિકારીને ખબર નથી હોતી કે તેની નાક નીચે શું થઈ રહ્યું છે. અનેક વખત જે પેપર લીક થતાં હોય છે તેમાં પણ કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું કોચિંગ ક્લાસ અધિકારી બનાવતા શીખવે છે કે ભ્રષ્ટ કેવી રીતે બનવું તેની ટ્રેનિંગ આપવામાં આવે છે?

ગુજરાતમાં અનેક કોચિંગ સેન્ટરોમાં આવુ ચાલે છે 

ગુજરાતમાં અનેક કોચિંગ સેન્ટરો એવા છે જ્યા આ પ્રકારના કામ કરવામાં આવતા હોય છે. ત્યારે સરકારની ફરજ છે કે પ્રામાણિક્તા ગુણ સૌથી પહેલા પોતાના અધિકારીઓને શીખવે. લાખોમાં જેને પગાર મળતો હોય છે તે સરકારી અધિકારી જો નોકરીના સમય દરમિયાન પોતાની ઓફિસમાં હાજર નથી હોતો તે અને વર્કિંગ હવર્સ દરમિયાન પોતાના પર્સનલ કામમાં લાગ્તો હોય ત્યારે સરકારે આ અંગે વિચારવું પડશે. આ તો માત્ર આ અંગે વાત કરવામાં આવી છે જો સમય રહેતા પગલા નહીં લેવામાં આવે અને જો કોચિંગ ક્લાસ વાળા નહીં સુધરે તો આખી કહાની લોકો સમક્ષ બતાવવામાં આવશે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.