મહીસાગર જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાનમાં અનાજ કૌભાંડનો પર્દાફાશ, ચાર દુકાનદારો સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-12-17 16:33:05

પંચમહાલ બાદ હવે મહીસાગરમાં પણ વ્યાજબી ભાવના દુકાનદારો પર તવાઈ આવી છે. મહીસાગરમાં જિલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ વિતરણ કરવામાં આવતું હોવાની તથા કેટલાક દુકાનદારો દ્વારા ઓફલાઇન અનાજ વિતરણ કરાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે તપાસ કરતાં સમગ્ર જિલ્લામાં કેટલાક દુકાનદારોની ગેરરીતી પ્રકાશમાં આવી હતી. મહીસાગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકામા ચાર જેટલા દુકાનદારોનો પરવાના  મોકૂફ.કરવામાં આવ્યો છે.  મહીસાગર જિલ્લા પુરવઠા તંત્રની કડક કાર્યવાહીના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.


આ 4 દુકાનદારો સામે કાર્યવાહી


(1) લુણાવાડામાં ધી નગર પંચાયત કર્મચારી ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. શાખા-1 પર 60 દિવસનો પરવાનો મોકૂફ.. 


(2) બાલાસિનોર તાલુકામા કઢાયા ગામે એસ.એમ.વસાવા. નામની દુકાનનો 30 દિવસનો પરવાનો મોકૂફ..


(3)  ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામે કનૈયા લાલ પંડ્યાની દુકાનનો 60 દિવસ સુંધીનો પરવાનો મોકુફ..


(4) કડાણા તાલુકાના ખાત્વા ગામમાં ઇશાકભાઈ શેખ ગામનો પરવાનો 60 દિવસ મોકુફ


આ દુકાનદારો સામે કાર્યવાહી થશે?


મહીસાગર  જિલ્લામાં વાજબી ભાવની દુકાનોમાં થઈ રહેલી ગેરરીતિઓ અને સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવાની પેરવીના અનુસંધાને જિલ્લાપુરવઠા શાખા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે સ્થાનિક લોકોની માગ છે કે જવાબદારો સામે ખરેખર કાર્યવાહી થશે ખરી?. રાજ્યના અન્ય જીલ્લા મા દુકાનદારો પર પાશા હેઠળ ની કાર્યવાહી કરવામાં આવી છે તો મહીસાગર મા શું તંત્ર દ્વારા માત્ર દેખાવ કામગીરી કરવામાં આવી હોય તેવી અનેક વાયકા લોક મુખે ચર્ચાઈ રહી છે.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.