મહાગઠબંધનની મિટિંગ 13-14 જુલાઈએ બેંગલુરુમાં યોજાશે, ચૂંટણીની રણનિતી નક્કી થશે, દેશમાં કેવો રહ્યો છે ગઠબંધનની રાજનિતીનો ઈતિહાસ?


  • Published By :
  • Published Date : 2023-06-29 19:14:26

કેન્દ્રમાં સત્તાધારી ભાજપની સામે એકઠાં થયેલા વિપક્ષોના મહાગઠબંધનની આગામી બેઠકને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષોનો આ શંભુમેળાની બેઠક શિમલામાં યોજાવાની હતી, પરંતુ હવે તે બેંગલુરૂમાં મળશે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવારે બેઠકના નવા સ્થળ અંગે જાહેરાત કરી હતી. વિપક્ષોની આગામી બેઠક બેંગલુરૂમાં 13 અને 14 જુલાઈએ મળશે. આ બેઠકમાં 17 જેટલી વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભાગ લેશે. 


આગામી બેઠકમાં નક્કી થશે રણનિતી


કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકારને આગામી લોકસભાની ચૂંટણીમાં ધોબીપછાડ આપવા માટે 17 જેટલી નાની મોટી પાર્ટીઓએ ગઠબંધન બનાવ્યું છે. બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષોની આ બેઠકમાં પ્રાદેશિક પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અંગે તથા મોદી સરકારની દેશ વિરોધી નિતીઓને લોકો સમક્ષ લાવવાની નિતીઓ અંગે ચર્ચા થશે. મહાગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તે અંગે પણ વિચાર મંથન કરવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની આગેવાનીમાં એકઠા થયેલા વિપક્ષો વચ્ચે વૈચારીક મતભેદ છે, પણ હાલ તો તેમનો એકમાત્ર હેતું મોદી સરકારને સત્તામાંથી બેદખલ કરવાનો જ છે.


કેવી રહી છે ગઠબંધનની રાજનિતી?


ભારતમાં ગઠબંધન સરકારોનો રેકોર્ડ કોઈ પ્રસંશા કરવા લાયક રહ્યો નથી. દેશમાં સૌપ્રથમ બિનકોંગ્રેસી સરકાર મોરારજી દેસાઈના વડપણ હેઠળ બની હતી. જો કે જનતા પાર્ટીની આ સરકાર આંતરિક ખેંચતાણના કારણે લાબા સમય સુધી સરકારમાં રહી શકી નહોતી. બે વર્ષથી ઓછા સમયમાં બિન-કૉંગ્રેસી સરકારનો પ્રયોગ નિષ્ફળ ગયો અને મોરારજી દેસાઈએ રાજીનામું આપવું પડયું. મોરારજી દેસાઈ બાદ ચૌધરી ચરણસિંહ પ્રધાનમંત્રી બન્યા હતા જો કે તેઓ આ પદ પર જુલાઈ 1979માં  જાન્યુઆરી 1980 સુધી રહી શક્યા હતા. તે જ પ્રકારે 1990ના દાયકા વીપી સિંહ અને ચંદ્રશેખરની સરકાર પણ તેમનો કાર્યકાળ પુરો કરી શકી નહોતી. ત્યાર બાદ એચ ડી દેવેગૌડા 1996માં સંયુક્ત મોર્ચા તરફથી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા તેમના પછી આઈ કે ગુજરાલ પીએમ બન્યા હતા પણ તેઓ પણ શાસન પર ટકી શક્યા નહોતા. તેમના પછી અટલ બિહારી વાજબાઈની સરકાર બની હતી.બાજપાઈનો કુલ કાર્યકાળ 1996માં 13 દિવસ, 1998-99માં 13 મહિના અને 1999-2004માં 5 વર્ષ રહ્યો હતો. જો કે બાજપાઈએ પણ કાંટાળો તાજ પહેરીને ગઠબંધન સરકાર ચલાવવી પડી હતી. એકદંરે દેશમાં ગઠબંધન સરકારોનો ઈતિહાસ કોઈ પ્રોત્સાહક કે દેશના હિતમાં રહ્યો નથી. ગઠબંધન સરકારોની સૌથી મોટી સમસ્યા પાર્ટીઓનો આંતરિક ખટરાગ, અને અંગત સ્વાર્થને પ્રાધાન્ય રહી છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.