મહાગઠબંધનની મિટિંગ 13-14 જુલાઈએ બેંગલુરુમાં યોજાશે, ચૂંટણીની રણનિતી નક્કી થશે, દેશમાં કેવો રહ્યો છે ગઠબંધનની રાજનિતીનો ઈતિહાસ?


  • Published By :
  • Published Date : 2023-06-29 19:14:26

કેન્દ્રમાં સત્તાધારી ભાજપની સામે એકઠાં થયેલા વિપક્ષોના મહાગઠબંધનની આગામી બેઠકને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષોનો આ શંભુમેળાની બેઠક શિમલામાં યોજાવાની હતી, પરંતુ હવે તે બેંગલુરૂમાં મળશે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવારે બેઠકના નવા સ્થળ અંગે જાહેરાત કરી હતી. વિપક્ષોની આગામી બેઠક બેંગલુરૂમાં 13 અને 14 જુલાઈએ મળશે. આ બેઠકમાં 17 જેટલી વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભાગ લેશે. 


આગામી બેઠકમાં નક્કી થશે રણનિતી


કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકારને આગામી લોકસભાની ચૂંટણીમાં ધોબીપછાડ આપવા માટે 17 જેટલી નાની મોટી પાર્ટીઓએ ગઠબંધન બનાવ્યું છે. બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષોની આ બેઠકમાં પ્રાદેશિક પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અંગે તથા મોદી સરકારની દેશ વિરોધી નિતીઓને લોકો સમક્ષ લાવવાની નિતીઓ અંગે ચર્ચા થશે. મહાગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તે અંગે પણ વિચાર મંથન કરવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની આગેવાનીમાં એકઠા થયેલા વિપક્ષો વચ્ચે વૈચારીક મતભેદ છે, પણ હાલ તો તેમનો એકમાત્ર હેતું મોદી સરકારને સત્તામાંથી બેદખલ કરવાનો જ છે.


કેવી રહી છે ગઠબંધનની રાજનિતી?


ભારતમાં ગઠબંધન સરકારોનો રેકોર્ડ કોઈ પ્રસંશા કરવા લાયક રહ્યો નથી. દેશમાં સૌપ્રથમ બિનકોંગ્રેસી સરકાર મોરારજી દેસાઈના વડપણ હેઠળ બની હતી. જો કે જનતા પાર્ટીની આ સરકાર આંતરિક ખેંચતાણના કારણે લાબા સમય સુધી સરકારમાં રહી શકી નહોતી. બે વર્ષથી ઓછા સમયમાં બિન-કૉંગ્રેસી સરકારનો પ્રયોગ નિષ્ફળ ગયો અને મોરારજી દેસાઈએ રાજીનામું આપવું પડયું. મોરારજી દેસાઈ બાદ ચૌધરી ચરણસિંહ પ્રધાનમંત્રી બન્યા હતા જો કે તેઓ આ પદ પર જુલાઈ 1979માં  જાન્યુઆરી 1980 સુધી રહી શક્યા હતા. તે જ પ્રકારે 1990ના દાયકા વીપી સિંહ અને ચંદ્રશેખરની સરકાર પણ તેમનો કાર્યકાળ પુરો કરી શકી નહોતી. ત્યાર બાદ એચ ડી દેવેગૌડા 1996માં સંયુક્ત મોર્ચા તરફથી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા તેમના પછી આઈ કે ગુજરાલ પીએમ બન્યા હતા પણ તેઓ પણ શાસન પર ટકી શક્યા નહોતા. તેમના પછી અટલ બિહારી વાજબાઈની સરકાર બની હતી.બાજપાઈનો કુલ કાર્યકાળ 1996માં 13 દિવસ, 1998-99માં 13 મહિના અને 1999-2004માં 5 વર્ષ રહ્યો હતો. જો કે બાજપાઈએ પણ કાંટાળો તાજ પહેરીને ગઠબંધન સરકાર ચલાવવી પડી હતી. એકદંરે દેશમાં ગઠબંધન સરકારોનો ઈતિહાસ કોઈ પ્રોત્સાહક કે દેશના હિતમાં રહ્યો નથી. ગઠબંધન સરકારોની સૌથી મોટી સમસ્યા પાર્ટીઓનો આંતરિક ખટરાગ, અને અંગત સ્વાર્થને પ્રાધાન્ય રહી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.