મહાગઠબંધનની મિટિંગ 13-14 જુલાઈએ બેંગલુરુમાં યોજાશે, ચૂંટણીની રણનિતી નક્કી થશે, દેશમાં કેવો રહ્યો છે ગઠબંધનની રાજનિતીનો ઈતિહાસ?


  • Published By :
  • Published Date : 2023-06-29 19:14:26

કેન્દ્રમાં સત્તાધારી ભાજપની સામે એકઠાં થયેલા વિપક્ષોના મહાગઠબંધનની આગામી બેઠકને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષોનો આ શંભુમેળાની બેઠક શિમલામાં યોજાવાની હતી, પરંતુ હવે તે બેંગલુરૂમાં મળશે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવારે બેઠકના નવા સ્થળ અંગે જાહેરાત કરી હતી. વિપક્ષોની આગામી બેઠક બેંગલુરૂમાં 13 અને 14 જુલાઈએ મળશે. આ બેઠકમાં 17 જેટલી વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભાગ લેશે. 


આગામી બેઠકમાં નક્કી થશે રણનિતી


કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકારને આગામી લોકસભાની ચૂંટણીમાં ધોબીપછાડ આપવા માટે 17 જેટલી નાની મોટી પાર્ટીઓએ ગઠબંધન બનાવ્યું છે. બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષોની આ બેઠકમાં પ્રાદેશિક પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અંગે તથા મોદી સરકારની દેશ વિરોધી નિતીઓને લોકો સમક્ષ લાવવાની નિતીઓ અંગે ચર્ચા થશે. મહાગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તે અંગે પણ વિચાર મંથન કરવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની આગેવાનીમાં એકઠા થયેલા વિપક્ષો વચ્ચે વૈચારીક મતભેદ છે, પણ હાલ તો તેમનો એકમાત્ર હેતું મોદી સરકારને સત્તામાંથી બેદખલ કરવાનો જ છે.


કેવી રહી છે ગઠબંધનની રાજનિતી?


ભારતમાં ગઠબંધન સરકારોનો રેકોર્ડ કોઈ પ્રસંશા કરવા લાયક રહ્યો નથી. દેશમાં સૌપ્રથમ બિનકોંગ્રેસી સરકાર મોરારજી દેસાઈના વડપણ હેઠળ બની હતી. જો કે જનતા પાર્ટીની આ સરકાર આંતરિક ખેંચતાણના કારણે લાબા સમય સુધી સરકારમાં રહી શકી નહોતી. બે વર્ષથી ઓછા સમયમાં બિન-કૉંગ્રેસી સરકારનો પ્રયોગ નિષ્ફળ ગયો અને મોરારજી દેસાઈએ રાજીનામું આપવું પડયું. મોરારજી દેસાઈ બાદ ચૌધરી ચરણસિંહ પ્રધાનમંત્રી બન્યા હતા જો કે તેઓ આ પદ પર જુલાઈ 1979માં  જાન્યુઆરી 1980 સુધી રહી શક્યા હતા. તે જ પ્રકારે 1990ના દાયકા વીપી સિંહ અને ચંદ્રશેખરની સરકાર પણ તેમનો કાર્યકાળ પુરો કરી શકી નહોતી. ત્યાર બાદ એચ ડી દેવેગૌડા 1996માં સંયુક્ત મોર્ચા તરફથી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા તેમના પછી આઈ કે ગુજરાલ પીએમ બન્યા હતા પણ તેઓ પણ શાસન પર ટકી શક્યા નહોતા. તેમના પછી અટલ બિહારી વાજબાઈની સરકાર બની હતી.બાજપાઈનો કુલ કાર્યકાળ 1996માં 13 દિવસ, 1998-99માં 13 મહિના અને 1999-2004માં 5 વર્ષ રહ્યો હતો. જો કે બાજપાઈએ પણ કાંટાળો તાજ પહેરીને ગઠબંધન સરકાર ચલાવવી પડી હતી. એકદંરે દેશમાં ગઠબંધન સરકારોનો ઈતિહાસ કોઈ પ્રોત્સાહક કે દેશના હિતમાં રહ્યો નથી. ગઠબંધન સરકારોની સૌથી મોટી સમસ્યા પાર્ટીઓનો આંતરિક ખટરાગ, અને અંગત સ્વાર્થને પ્રાધાન્ય રહી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.