ટ્રેનની અડફેટે દાદા અને બે પૌત્રીઓ ના મોત


  • Published By :
  • Published Date : 2023-10-06 12:53:47

બનાસકાંઠાના અમીરગઢમાં ટ્રેનની અડફેટે ત્રણનાં મોત થયાના સમાચાર મળ્યા છે અમીરગઢના કીડોતર ગામમાં દાદા અને બે માસૂમ પૌત્રીઓ ટ્રેનની અડફેટે આવી ગયા છે ટ્રેનની ટક્કરથી ત્રણેયના કરુણ મોત નીપજ્યા છે જેથી અરેરાટી મચી છે આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી

ટ્રેનનો પાટો ક્રોસ કરી રહ્યા હતા
અમીરગઢના કીડોતર ગામના એક વૃદ્ધ તેમની બે પૌત્રીઓ સાથે રેલના પાટાઓ ક્રોસ કરી રહ્યા હતા તે જ સમયે અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ત્રણેય લોકોના મોત થયા હતા અમીરગઢ પાસેથી પસાર થતી  અમદાવાદ દિલ્લી રેલવે લાઈન પર પરથી પસાર થતી ટ્રેનની અડફેટથી ત્રણેયના પ્રાણપંખેરું ઊડી ગયું હતું આ બનાવને પગલે રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પંચનામુ કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી વાહલી વારસદારોને મૃતદેહ સોંપ્યા હતા 
હસતા ખેલતા પરિવારમાં આ અકસ્માતથી પરિવારમાં આભ ફાટી પડ્યું હતું અને આખું ગામ હિબકે ચડ્યું હતું


પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.