ટ્રેનની અડફેટે દાદા અને બે પૌત્રીઓ ના મોત


  • Published By :
  • Published Date : 2023-10-06 12:53:47

બનાસકાંઠાના અમીરગઢમાં ટ્રેનની અડફેટે ત્રણનાં મોત થયાના સમાચાર મળ્યા છે અમીરગઢના કીડોતર ગામમાં દાદા અને બે માસૂમ પૌત્રીઓ ટ્રેનની અડફેટે આવી ગયા છે ટ્રેનની ટક્કરથી ત્રણેયના કરુણ મોત નીપજ્યા છે જેથી અરેરાટી મચી છે આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી

ટ્રેનનો પાટો ક્રોસ કરી રહ્યા હતા
અમીરગઢના કીડોતર ગામના એક વૃદ્ધ તેમની બે પૌત્રીઓ સાથે રેલના પાટાઓ ક્રોસ કરી રહ્યા હતા તે જ સમયે અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ત્રણેય લોકોના મોત થયા હતા અમીરગઢ પાસેથી પસાર થતી  અમદાવાદ દિલ્લી રેલવે લાઈન પર પરથી પસાર થતી ટ્રેનની અડફેટથી ત્રણેયના પ્રાણપંખેરું ઊડી ગયું હતું આ બનાવને પગલે રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પંચનામુ કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી વાહલી વારસદારોને મૃતદેહ સોંપ્યા હતા 
હસતા ખેલતા પરિવારમાં આ અકસ્માતથી પરિવારમાં આભ ફાટી પડ્યું હતું અને આખું ગામ હિબકે ચડ્યું હતું


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી