ટ્રેનની અડફેટે દાદા અને બે પૌત્રીઓ ના મોત


  • Published By :
  • Published Date : 2023-10-06 12:53:47

બનાસકાંઠાના અમીરગઢમાં ટ્રેનની અડફેટે ત્રણનાં મોત થયાના સમાચાર મળ્યા છે અમીરગઢના કીડોતર ગામમાં દાદા અને બે માસૂમ પૌત્રીઓ ટ્રેનની અડફેટે આવી ગયા છે ટ્રેનની ટક્કરથી ત્રણેયના કરુણ મોત નીપજ્યા છે જેથી અરેરાટી મચી છે આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી

ટ્રેનનો પાટો ક્રોસ કરી રહ્યા હતા
અમીરગઢના કીડોતર ગામના એક વૃદ્ધ તેમની બે પૌત્રીઓ સાથે રેલના પાટાઓ ક્રોસ કરી રહ્યા હતા તે જ સમયે અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ત્રણેય લોકોના મોત થયા હતા અમીરગઢ પાસેથી પસાર થતી  અમદાવાદ દિલ્લી રેલવે લાઈન પર પરથી પસાર થતી ટ્રેનની અડફેટથી ત્રણેયના પ્રાણપંખેરું ઊડી ગયું હતું આ બનાવને પગલે રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પંચનામુ કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી વાહલી વારસદારોને મૃતદેહ સોંપ્યા હતા 
હસતા ખેલતા પરિવારમાં આ અકસ્માતથી પરિવારમાં આભ ફાટી પડ્યું હતું અને આખું ગામ હિબકે ચડ્યું હતું


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.