GRD મહિલા અને પોલીસકર્મીના ઇલુ ઇલુમાં પતિએ કર્યો આપઘાત, ચિઠ્ઠીએ ખોલ્યું રાજ


  • Published By :
  • Published Date : 2023-09-20 19:55:58

મહેસાણાના કડીથી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે કડી પોલીસ સ્ટેશનમાં GRDમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસકર્મી સાથે જ પ્રેમ સબંધ બાંધ્યા અને આ પ્રેમ સંબંધના કારણે પતિએ આત્મહત્યા કરી લીધી જેમાં મહત્વની વાત તો એ છે કે આ બધીય બાબતનો ખુલાસો આત્મહત્યાના નવ મહિના બાદ થયો 

વાત જાણે એમ છે કે GRD મહિલાના પતિએ આ પ્રેમ પ્રકરણથી કંટાળી જાન્યુઆરી 2023માં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું હતું. આ પતિ-પત્ની છેલ્લાં ચાર વર્ષથી કડીના સુજાતપુરા રોડ ઉપર આવેલા વીરમાયા સોસાયટીના કોમન પ્લોટમાં આવેલી એક ઓરડીમાં રહેતાં હતાં.અને ત્યાં આ ઓરડીમા જ મહિલાના પતિ મુકેશે આત્મહત્યા કરી હતી 

મૃતકની પત્ની પ્રિયંકા


આત્મહત્યાનું કારણ નવ મહિના પછી કેવી રીતે ખબર પડી ?

ગત જાન્યુઆરી 2023ના રોજ આ ઘટના બની હતી, જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મુકેશની માતા જશીબેન ઇરાણા ગામ ખાતે હાજર હતાં અને મૃતક મુકેશના દીકરો રોહનનો કોટ ધોવા માટે કાઢ્યો હતો. જ્યાં જશીબેને કોટના ખિસ્સા તપાસતાં મૃતક મુકેશના હસ્તાક્ષરથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં પણ મુકેશે પત્નીના આડાસંબંધનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે કડી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃતકની પત્ની પ્રિયંકા, ધવલ પ્રજાપતિ તેમજ તેની પત્નીના ભાઈ અને પિતા વિરુદ્ઘ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક મુકેશનો ફાઈલ ફોટો


મુકેશને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી અપાતી 

આત્મહત્યા કરનાર મુકેશને તેની પત્ની પ્રિયંકાની અને ધવલ પ્રજાપતિના પ્રેમ સંબંધોની જાણ થઇ ગઈ હતી પરંતુ પ્રિયંકા દ્વારા મુકેશને વારંવાર ડરાવવામાં આવતો હતો કે તું કઈ બોલીશ તો તને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈશ...પ્રિયંકા અનેક વખત તેના પ્રેમી સાથે વિડિઓ કોલ પર અને ટેલિફોનિક વાત કરતી હતી જેની જાણ મુકેશને થતા મુકેશ ટેન્સનમાં આવી ગયો હતો જેની જાણ મુકેશે તેના ભાઈને પણ કરી હતી 


બંનેના બીજાં લગ્ન હતાં

મુકેશના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મુકેશના પ્રથમ લગ્ન કલોલ મુકામે  થયા હતા, પરંતુ મુકેશ અને તેની પહેલી પત્નીને મનમેળ ન આવતાં બંનેએ છૂટાછેડા લઈ લીધાં હતાં. ત્યાર બાદ મુકેશનાં બીજા લગ્ન ઈસંડ કલોલ મુકામે રહેતા મણિલાલની દીકરી પ્રિયંકા સાથે થયા હતા. પ્રિયંકાના પણ આ બીજા લગ્ન હોવાથી તેને પહેલા લગ્નથી એક પુત્ર પણ હતો, જેનું નામ રોહન હતું. મુકેશ સાથે લગ્ન થયા બાદ પ્રિયંકા તેના દીકરા રોહનને પણ સાથે લઈને આવી હતી. એ બાદ મુકેશ અને પ્રિયંકાને સંતાનમાં એક દીકરી થઈ હતી.


મુકેશની આત્મહત્યા બાબતે મુકેશના ભાઈએ કદી પોલીસ મથકમાં પોલીસ કર્મચારી સહીત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.