સૌરાષ્ટ્રમાં જમાવટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ઘેડ પંથકમાં વરસાદે તબાહી બોલાવી, ખેતરોમાં ઘૂસ્યા પાણી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-27 14:59:15

ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. થોડા કલાકોની અંદર અનેક ઈંચ વરસાદ વરસી જાય છે જેને કારણે પાણી ભરાઈ જાય છે અને જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે.. વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

ઘેડ પંથકની વરસાદે પથારી ફેરવી!

વરસાદની આપણે સૌ પ્રતિક્ષા કરતા હોઈએ છીએ.. વરસાદ આવે અને ગરમીથી મુક્તિ મળે.. વરસાદ આવે છે ત્યારે મન પ્રસન્ન પણ થાય છે, પરંતુ અવિરત વરસાદ રહે ત્યારે! ગુજરાતના અનેક ભાગો એવા હતા જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં એટલો બધો વરસાદ વરસ્યો કે મેઘ મહેર મેઘ કહેરમાં ફેરવાઈ ગઈ.. સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે જમાવટની ટીમ ઘેડ પંથક પહોંચી હતી.. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે વિચારવા મજબૂર કરી દે કે જે ખેતરોમાં પાણી ભરાયા છે તે ખેડૂતોની સ્થિતિ શું થઈ હશે?



ખેતરોમાં ઘૂસ્યા પાણી!

વરસાદની અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય સામાન્ય માણસને તેની એટલી ગંભીર અસર નથી થતી જેટલી અસર જગતના તાતને તેની પડે છે. સારો વરસાદ ના આવે તો પણ ખેડૂતોને રડવાનો વારો આવે છે અને જો વધારે વરસાદ થાય તો પણ  ખેડૂતોને રડવાનો વારો આવે છે. સૌરાષ્ટ્રથી જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈ જગતના તાતની ચિંતા થવા લાગે..અનેક ખેતરો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.