સૌરાષ્ટ્રમાં જમાવટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ઘેડ પંથકમાં વરસાદે તબાહી બોલાવી, ખેતરોમાં ઘૂસ્યા પાણી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-27 14:59:15

ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. થોડા કલાકોની અંદર અનેક ઈંચ વરસાદ વરસી જાય છે જેને કારણે પાણી ભરાઈ જાય છે અને જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે.. વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

ઘેડ પંથકની વરસાદે પથારી ફેરવી!

વરસાદની આપણે સૌ પ્રતિક્ષા કરતા હોઈએ છીએ.. વરસાદ આવે અને ગરમીથી મુક્તિ મળે.. વરસાદ આવે છે ત્યારે મન પ્રસન્ન પણ થાય છે, પરંતુ અવિરત વરસાદ રહે ત્યારે! ગુજરાતના અનેક ભાગો એવા હતા જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં એટલો બધો વરસાદ વરસ્યો કે મેઘ મહેર મેઘ કહેરમાં ફેરવાઈ ગઈ.. સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે જમાવટની ટીમ ઘેડ પંથક પહોંચી હતી.. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે વિચારવા મજબૂર કરી દે કે જે ખેતરોમાં પાણી ભરાયા છે તે ખેડૂતોની સ્થિતિ શું થઈ હશે?



ખેતરોમાં ઘૂસ્યા પાણી!

વરસાદની અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય સામાન્ય માણસને તેની એટલી ગંભીર અસર નથી થતી જેટલી અસર જગતના તાતને તેની પડે છે. સારો વરસાદ ના આવે તો પણ ખેડૂતોને રડવાનો વારો આવે છે અને જો વધારે વરસાદ થાય તો પણ  ખેડૂતોને રડવાનો વારો આવે છે. સૌરાષ્ટ્રથી જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈ જગતના તાતની ચિંતા થવા લાગે..અનેક ખેતરો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.