સૌરાષ્ટ્રમાં મગફળીનું બમ્પર ઉત્પાદન, ગોંડલ યાર્ડમાં એક લાખ ગુણીથી વધુની આવક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:30:47

સૌરાષ્ટ્રમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે, સૌરાષ્ટ્રના તમામ મોટા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. રાજ્યના સૌથી મોટા અને સૌરાષ્ટ્રનાં અગ્રણી ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીથી ઉભરાયું એક જ દિવસમાં એક લાખથી પણ વધુ મગફળીની આવક નોંધાઈ છે. સામાન્ય રીતે મગફળીની આવક નોરતા પછી થતી હોય છે, પરંતુ આ વર્ષે વહેલા વરસાદના કારણે મગફળીની આવક અત્યારથી જ શરૂ થવા લાગી છે.


વાહનોની 5 કી.મી લાંબી લાઈનો લાગી


ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં એક લાખથી પણ વધુ મગફળીની આવક થઈ છે. છેલ્લા બે દિવસમાં ત્રણ લાખથી પણ વધુ ગુણીની મગફળીની આવક થઈ છે.  યાર્ડની બહાર બન્ને બાજુ 1200થી વધુ વાહનોની 5 કી.મી લાંબી લાઈનો લાગી હતી. હરરાજી દરમિયાન મગફળીના 20 કિલોના 1000 થી 1350 સુધી ભાવ બોલાયા હતા. આ વર્ષે અત્યારથી જ બજારમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશખુશાલી જોવા મળી હતી અને સારા ભાવના કારણે ખેડૂતો અત્યારથી  જ પોતાની મગફળી વેચવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો ઉમટી રહ્યાં છે.


ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં ખેડૂતોમાં નિરાશા 


ગયા વર્ષે ગુજરાતમાં સૌથી વધુ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવનાર રાજકોટ જીલ્લો સૌથી પહેલાં હતો. પરંતુ આ વર્ષે ક્યાંક ખેડૂતોમાં નિરાશા જોવા મળતી રહી છે.  તેવું લાગી રહ્યું છે સામાન્ય રીતે ગયા વર્ષે એક અઠવાડિયામાં  10,000થી પણ વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ અને ટોટલ 60,000થી પણ વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.  પરતું  આ વર્ષે ખેડૂતો ક્યાંક નિરાશ જોવા મળતા હોય તેવું લાગે રહ્યું છે.


અઠવાડિયામાં માત્ર 100 જેટલા જ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન 


છેલ્લા એક અઠવાડિયાથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ આ વર્ષે ક્યાંક એક અઠવાડિયામાં માત્ર 100 જેટલા જ ખેડૂતોએ રજીસ્ટ્રેશન થયા છે. ગયા વર્ષે એક જ અઠવાડિયામાં 10,000 થી પણ વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. પરંતુ આ વર્ષે ક્યાંક ખેડૂતો આજે સરકારની પદ્ધતિ અને નિયમોથી ક્યાંક નીરજ જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે બીજી બાજુ ટેકાન ભાવ કરતા સામાન્ય બજારમાં મગફળીના ભાવ વધુ હોવાના કારણે ખેડૂતો રજીસ્ટ્રેશન કરવાનું ટાળી રહ્યા છે અને અત્યારથી જ બહારની બજારમાં ખેડૂતો વહેંચવા લાગ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.