સૌરાષ્ટ્રમાં મગફળીનું બમ્પર ઉત્પાદન, ગોંડલ યાર્ડમાં એક લાખ ગુણીથી વધુની આવક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:30:47

સૌરાષ્ટ્રમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે, સૌરાષ્ટ્રના તમામ મોટા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. રાજ્યના સૌથી મોટા અને સૌરાષ્ટ્રનાં અગ્રણી ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીથી ઉભરાયું એક જ દિવસમાં એક લાખથી પણ વધુ મગફળીની આવક નોંધાઈ છે. સામાન્ય રીતે મગફળીની આવક નોરતા પછી થતી હોય છે, પરંતુ આ વર્ષે વહેલા વરસાદના કારણે મગફળીની આવક અત્યારથી જ શરૂ થવા લાગી છે.


વાહનોની 5 કી.મી લાંબી લાઈનો લાગી


ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં એક લાખથી પણ વધુ મગફળીની આવક થઈ છે. છેલ્લા બે દિવસમાં ત્રણ લાખથી પણ વધુ ગુણીની મગફળીની આવક થઈ છે.  યાર્ડની બહાર બન્ને બાજુ 1200થી વધુ વાહનોની 5 કી.મી લાંબી લાઈનો લાગી હતી. હરરાજી દરમિયાન મગફળીના 20 કિલોના 1000 થી 1350 સુધી ભાવ બોલાયા હતા. આ વર્ષે અત્યારથી જ બજારમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશખુશાલી જોવા મળી હતી અને સારા ભાવના કારણે ખેડૂતો અત્યારથી  જ પોતાની મગફળી વેચવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો ઉમટી રહ્યાં છે.


ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં ખેડૂતોમાં નિરાશા 


ગયા વર્ષે ગુજરાતમાં સૌથી વધુ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવનાર રાજકોટ જીલ્લો સૌથી પહેલાં હતો. પરંતુ આ વર્ષે ક્યાંક ખેડૂતોમાં નિરાશા જોવા મળતી રહી છે.  તેવું લાગી રહ્યું છે સામાન્ય રીતે ગયા વર્ષે એક અઠવાડિયામાં  10,000થી પણ વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ અને ટોટલ 60,000થી પણ વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.  પરતું  આ વર્ષે ખેડૂતો ક્યાંક નિરાશ જોવા મળતા હોય તેવું લાગે રહ્યું છે.


અઠવાડિયામાં માત્ર 100 જેટલા જ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન 


છેલ્લા એક અઠવાડિયાથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ આ વર્ષે ક્યાંક એક અઠવાડિયામાં માત્ર 100 જેટલા જ ખેડૂતોએ રજીસ્ટ્રેશન થયા છે. ગયા વર્ષે એક જ અઠવાડિયામાં 10,000 થી પણ વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. પરંતુ આ વર્ષે ક્યાંક ખેડૂતો આજે સરકારની પદ્ધતિ અને નિયમોથી ક્યાંક નીરજ જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે બીજી બાજુ ટેકાન ભાવ કરતા સામાન્ય બજારમાં મગફળીના ભાવ વધુ હોવાના કારણે ખેડૂતો રજીસ્ટ્રેશન કરવાનું ટાળી રહ્યા છે અને અત્યારથી જ બહારની બજારમાં ખેડૂતો વહેંચવા લાગ્યા છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"