સૌરાષ્ટ્રમાં મગફળીનું બમ્પર ઉત્પાદન, ગોંડલ યાર્ડમાં એક લાખ ગુણીથી વધુની આવક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:30:47

સૌરાષ્ટ્રમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે, સૌરાષ્ટ્રના તમામ મોટા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. રાજ્યના સૌથી મોટા અને સૌરાષ્ટ્રનાં અગ્રણી ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીથી ઉભરાયું એક જ દિવસમાં એક લાખથી પણ વધુ મગફળીની આવક નોંધાઈ છે. સામાન્ય રીતે મગફળીની આવક નોરતા પછી થતી હોય છે, પરંતુ આ વર્ષે વહેલા વરસાદના કારણે મગફળીની આવક અત્યારથી જ શરૂ થવા લાગી છે.


વાહનોની 5 કી.મી લાંબી લાઈનો લાગી


ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં એક લાખથી પણ વધુ મગફળીની આવક થઈ છે. છેલ્લા બે દિવસમાં ત્રણ લાખથી પણ વધુ ગુણીની મગફળીની આવક થઈ છે.  યાર્ડની બહાર બન્ને બાજુ 1200થી વધુ વાહનોની 5 કી.મી લાંબી લાઈનો લાગી હતી. હરરાજી દરમિયાન મગફળીના 20 કિલોના 1000 થી 1350 સુધી ભાવ બોલાયા હતા. આ વર્ષે અત્યારથી જ બજારમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશખુશાલી જોવા મળી હતી અને સારા ભાવના કારણે ખેડૂતો અત્યારથી  જ પોતાની મગફળી વેચવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો ઉમટી રહ્યાં છે.


ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં ખેડૂતોમાં નિરાશા 


ગયા વર્ષે ગુજરાતમાં સૌથી વધુ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવનાર રાજકોટ જીલ્લો સૌથી પહેલાં હતો. પરંતુ આ વર્ષે ક્યાંક ખેડૂતોમાં નિરાશા જોવા મળતી રહી છે.  તેવું લાગી રહ્યું છે સામાન્ય રીતે ગયા વર્ષે એક અઠવાડિયામાં  10,000થી પણ વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ અને ટોટલ 60,000થી પણ વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.  પરતું  આ વર્ષે ખેડૂતો ક્યાંક નિરાશ જોવા મળતા હોય તેવું લાગે રહ્યું છે.


અઠવાડિયામાં માત્ર 100 જેટલા જ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન 


છેલ્લા એક અઠવાડિયાથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ આ વર્ષે ક્યાંક એક અઠવાડિયામાં માત્ર 100 જેટલા જ ખેડૂતોએ રજીસ્ટ્રેશન થયા છે. ગયા વર્ષે એક જ અઠવાડિયામાં 10,000 થી પણ વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. પરંતુ આ વર્ષે ક્યાંક ખેડૂતો આજે સરકારની પદ્ધતિ અને નિયમોથી ક્યાંક નીરજ જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે બીજી બાજુ ટેકાન ભાવ કરતા સામાન્ય બજારમાં મગફળીના ભાવ વધુ હોવાના કારણે ખેડૂતો રજીસ્ટ્રેશન કરવાનું ટાળી રહ્યા છે અને અત્યારથી જ બહારની બજારમાં ખેડૂતો વહેંચવા લાગ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.