આનંદો! સિંગતેલના ભાવમાં આજે 20 રૂપિયાનો ઘટાડો, હજુ પણ ભાવ ઘટવાની શક્યતા, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-10-13 21:05:39

ગુજરાતની ગૃહિણી માટે સૌરાષ્ટ્રથી સારા સમાચાર આવ્યા છે કે હવે ગાઠિયા, ભજીયા, ફાફળા, જલેબી, સમોસા, ગોટા અને દાળવડા ખાવાનું હવે સસ્તુ થવાનું છે કારણ એ છે કે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3000 હજારને પાર થયો હતો ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં આ સપ્તાહમાં ફરી એકવાર ઘટાડો થયો છે. બે દિવસ પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 2930 હતો જેમાં ફરી એકવાર રુપિયા 20નો ઘટાડો થતા નવો સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રુપિયા 2910 થયો છે. 


શા માટે ઘટ્યા ભાવ?


સૌરાષ્ટ્રના યાર્ડમાં નવી મગફળી ની આવકના પગલે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હજુ પણ મગફળીની યાર્ડમાં આવક ચાલુ છે ત્યારે આગામી સમયમાં પણ સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં થઈ રહેલા ઘટાડાથી લોકોને રાહત મળી છે. મગફળીના સારા ઉત્પાદનના કારણે સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં થોડા દિવસો બાદ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે, યાર્ડમાં હરાજીમાં મગફળીના 1035થી 1440 બોલાયા છે. ઓક્ટોબર મહિનો શરૂ થયો ત્યારે સિંગતેલનો ડબ્બો 3 હજાર રૂપિયાની આસપાસ મળતો હતો પણ હવે ભાવ ઘટી ગયા છે. 

Know how much the price of Peanuts oil and cottonseed oil has reduced? ખાદ્યતેલના ભાવ ઘટ્યા, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

હજુ પણ ભાવ ઘટવાની શક્યતા?


સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હરાજી થઈ ત્યારે મગફળીના મણના ભાવમાં 120 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈીકાલે મગફળીનો મણનો ભાવ 1460 રૂપિયા હતો અને આજે મગફળીનો મણનો ભાવ 1365 થઈ ગયો છે. આથી દશેરા સુધીમાં તેલમીલમાં સસ્તી મગફળીની આવક શરૂ થશે અને સિંગતેલના ભાવમાં ઘટાડો વધારે થઈ શકે એવી શક્યતા લાગી રહી છે. એટલે કે મહિના પછી દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી આવવાનો છે તો ત્યારે મગફળીના ભાવ ઓછા જોવા મળવાના છે. એટલે મહિલાઓ આ વાતને ખાસ ધ્યાને લે કે વધતા જતા અને ખોરવાતા બજેટમાં થોડી શાંતિ મળવાની છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી