આનંદો! સિંગતેલના ભાવમાં આજે 20 રૂપિયાનો ઘટાડો, હજુ પણ ભાવ ઘટવાની શક્યતા, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-10-13 21:05:39

ગુજરાતની ગૃહિણી માટે સૌરાષ્ટ્રથી સારા સમાચાર આવ્યા છે કે હવે ગાઠિયા, ભજીયા, ફાફળા, જલેબી, સમોસા, ગોટા અને દાળવડા ખાવાનું હવે સસ્તુ થવાનું છે કારણ એ છે કે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3000 હજારને પાર થયો હતો ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં આ સપ્તાહમાં ફરી એકવાર ઘટાડો થયો છે. બે દિવસ પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 2930 હતો જેમાં ફરી એકવાર રુપિયા 20નો ઘટાડો થતા નવો સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રુપિયા 2910 થયો છે. 


શા માટે ઘટ્યા ભાવ?


સૌરાષ્ટ્રના યાર્ડમાં નવી મગફળી ની આવકના પગલે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હજુ પણ મગફળીની યાર્ડમાં આવક ચાલુ છે ત્યારે આગામી સમયમાં પણ સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં થઈ રહેલા ઘટાડાથી લોકોને રાહત મળી છે. મગફળીના સારા ઉત્પાદનના કારણે સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં થોડા દિવસો બાદ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે, યાર્ડમાં હરાજીમાં મગફળીના 1035થી 1440 બોલાયા છે. ઓક્ટોબર મહિનો શરૂ થયો ત્યારે સિંગતેલનો ડબ્બો 3 હજાર રૂપિયાની આસપાસ મળતો હતો પણ હવે ભાવ ઘટી ગયા છે. 

Know how much the price of Peanuts oil and cottonseed oil has reduced? ખાદ્યતેલના ભાવ ઘટ્યા, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

હજુ પણ ભાવ ઘટવાની શક્યતા?


સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હરાજી થઈ ત્યારે મગફળીના મણના ભાવમાં 120 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈીકાલે મગફળીનો મણનો ભાવ 1460 રૂપિયા હતો અને આજે મગફળીનો મણનો ભાવ 1365 થઈ ગયો છે. આથી દશેરા સુધીમાં તેલમીલમાં સસ્તી મગફળીની આવક શરૂ થશે અને સિંગતેલના ભાવમાં ઘટાડો વધારે થઈ શકે એવી શક્યતા લાગી રહી છે. એટલે કે મહિના પછી દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી આવવાનો છે તો ત્યારે મગફળીના ભાવ ઓછા જોવા મળવાના છે. એટલે મહિલાઓ આ વાતને ખાસ ધ્યાને લે કે વધતા જતા અને ખોરવાતા બજેટમાં થોડી શાંતિ મળવાની છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.