આનંદો! સિંગતેલના ભાવમાં આજે 20 રૂપિયાનો ઘટાડો, હજુ પણ ભાવ ઘટવાની શક્યતા, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-10-13 21:05:39

ગુજરાતની ગૃહિણી માટે સૌરાષ્ટ્રથી સારા સમાચાર આવ્યા છે કે હવે ગાઠિયા, ભજીયા, ફાફળા, જલેબી, સમોસા, ગોટા અને દાળવડા ખાવાનું હવે સસ્તુ થવાનું છે કારણ એ છે કે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3000 હજારને પાર થયો હતો ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં આ સપ્તાહમાં ફરી એકવાર ઘટાડો થયો છે. બે દિવસ પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 2930 હતો જેમાં ફરી એકવાર રુપિયા 20નો ઘટાડો થતા નવો સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રુપિયા 2910 થયો છે. 


શા માટે ઘટ્યા ભાવ?


સૌરાષ્ટ્રના યાર્ડમાં નવી મગફળી ની આવકના પગલે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હજુ પણ મગફળીની યાર્ડમાં આવક ચાલુ છે ત્યારે આગામી સમયમાં પણ સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં થઈ રહેલા ઘટાડાથી લોકોને રાહત મળી છે. મગફળીના સારા ઉત્પાદનના કારણે સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં થોડા દિવસો બાદ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે, યાર્ડમાં હરાજીમાં મગફળીના 1035થી 1440 બોલાયા છે. ઓક્ટોબર મહિનો શરૂ થયો ત્યારે સિંગતેલનો ડબ્બો 3 હજાર રૂપિયાની આસપાસ મળતો હતો પણ હવે ભાવ ઘટી ગયા છે. 

Know how much the price of Peanuts oil and cottonseed oil has reduced? ખાદ્યતેલના ભાવ ઘટ્યા, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

હજુ પણ ભાવ ઘટવાની શક્યતા?


સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હરાજી થઈ ત્યારે મગફળીના મણના ભાવમાં 120 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈીકાલે મગફળીનો મણનો ભાવ 1460 રૂપિયા હતો અને આજે મગફળીનો મણનો ભાવ 1365 થઈ ગયો છે. આથી દશેરા સુધીમાં તેલમીલમાં સસ્તી મગફળીની આવક શરૂ થશે અને સિંગતેલના ભાવમાં ઘટાડો વધારે થઈ શકે એવી શક્યતા લાગી રહી છે. એટલે કે મહિના પછી દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી આવવાનો છે તો ત્યારે મગફળીના ભાવ ઓછા જોવા મળવાના છે. એટલે મહિલાઓ આ વાતને ખાસ ધ્યાને લે કે વધતા જતા અને ખોરવાતા બજેટમાં થોડી શાંતિ મળવાની છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.