ફરી એક વખત વધ્યા સિંગતેલના ભાવ, એક ડબ્બા પર કરાયો 30 રુપિયાનો વધારો


  • Published By :
  • Published Date : 2023-02-01 09:49:36

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. દરેક વસ્તુના ભાવમાં વધારો ઝીંકાયો છે. થોડા સમય પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો હતો તે બાદ ફરી એક વખત આજે ભાવમાં વધારો થયો છે. મોંઘવારી સતત વધી રહી છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં રુપિયા 30નો વધારો થયો છે. તેલ મોંઘુ થવાને કારણે આવનાર સમયમાં ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


ફરી એક વખત સિંગતેલના ડબ્બામાં કરાયો ભાવ વધારો 

થોડા સમયથી મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જીવન જરૂરીયાતની વસ્તુ સતત મોંઘી થઈ રહી છે. ફરી એક વખત સિંગતેલના ભાવમાં મોટો ભાવ વધારો ઝીંકાયો છે. 30 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સીએનજી તેમજ પીએનજીના ભાવમાં વધારો થયો હતો ત્યારે પ્રતિ ડબ્બે 30 રુપિયાનો વધારો થતા મધ્યમવર્ગના પરિવારને લાફો મારી ગાલ લાલ કરવાનો વારો આવ્યો છે.     


મગફળીની આવક છતાં સતત વધી રહ્યા છે તેલના ભાવ 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન સિઝન દરમિયાન તેલનો ઉપયોગ વધારે થતો હોય છે. લગ્નગાળાની સિઝન વચ્ચે તેલમાં ભાવ વધારો થયો છે જેની સીધી અસર બજેટ પર પડી છે. હાલ મગફળીની ખરીદી ચાલી રહી છે. ચાલું વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. જેને કારણે આવનાર સમયમાં ફરસાણની કિંમતમાં વધારો થઈ શકે છે.       


જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ વધતા વધી મોંઘવારી   

આની પહેલા સિંગતેલમાં ભાવ વધારો ડિસેમ્બર મહિનામાં કરવામાં આવ્યો હતો. તે વખતે પણ અનેક રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો હતો. તે સિવાય જાન્યુઆરીમાં પણ અનેક વખત ભાવ વધારો કરાયો છે. ભાવ વધારાની સીધી અસર લોકોના બજેટ પર પડશે. શાકભાજી, પેટ્રોલ-ડિઝલ સહિતની વસ્તુઓમાં ભાવ થઈ રહ્યો છે જેને કારણે મોંઘવારીના માર વચ્ચે લોકો જીવવા મજબૂર બન્યા છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.