ફરી એક વખત વધ્યા સિંગતેલના ભાવ, એક ડબ્બા પર કરાયો 30 રુપિયાનો વધારો


  • Published By :
  • Published Date : 2023-02-01 09:49:36

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. દરેક વસ્તુના ભાવમાં વધારો ઝીંકાયો છે. થોડા સમય પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો હતો તે બાદ ફરી એક વખત આજે ભાવમાં વધારો થયો છે. મોંઘવારી સતત વધી રહી છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં રુપિયા 30નો વધારો થયો છે. તેલ મોંઘુ થવાને કારણે આવનાર સમયમાં ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


ફરી એક વખત સિંગતેલના ડબ્બામાં કરાયો ભાવ વધારો 

થોડા સમયથી મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જીવન જરૂરીયાતની વસ્તુ સતત મોંઘી થઈ રહી છે. ફરી એક વખત સિંગતેલના ભાવમાં મોટો ભાવ વધારો ઝીંકાયો છે. 30 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સીએનજી તેમજ પીએનજીના ભાવમાં વધારો થયો હતો ત્યારે પ્રતિ ડબ્બે 30 રુપિયાનો વધારો થતા મધ્યમવર્ગના પરિવારને લાફો મારી ગાલ લાલ કરવાનો વારો આવ્યો છે.     


મગફળીની આવક છતાં સતત વધી રહ્યા છે તેલના ભાવ 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન સિઝન દરમિયાન તેલનો ઉપયોગ વધારે થતો હોય છે. લગ્નગાળાની સિઝન વચ્ચે તેલમાં ભાવ વધારો થયો છે જેની સીધી અસર બજેટ પર પડી છે. હાલ મગફળીની ખરીદી ચાલી રહી છે. ચાલું વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. જેને કારણે આવનાર સમયમાં ફરસાણની કિંમતમાં વધારો થઈ શકે છે.       


જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ વધતા વધી મોંઘવારી   

આની પહેલા સિંગતેલમાં ભાવ વધારો ડિસેમ્બર મહિનામાં કરવામાં આવ્યો હતો. તે વખતે પણ અનેક રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો હતો. તે સિવાય જાન્યુઆરીમાં પણ અનેક વખત ભાવ વધારો કરાયો છે. ભાવ વધારાની સીધી અસર લોકોના બજેટ પર પડશે. શાકભાજી, પેટ્રોલ-ડિઝલ સહિતની વસ્તુઓમાં ભાવ થઈ રહ્યો છે જેને કારણે મોંઘવારીના માર વચ્ચે લોકો જીવવા મજબૂર બન્યા છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.