ફરી એક વખત વધ્યા સિંગતેલના ભાવ, એક ડબ્બા પર કરાયો 30 રુપિયાનો વધારો


  • Published By :
  • Published Date : 2023-02-01 09:49:36

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. દરેક વસ્તુના ભાવમાં વધારો ઝીંકાયો છે. થોડા સમય પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો હતો તે બાદ ફરી એક વખત આજે ભાવમાં વધારો થયો છે. મોંઘવારી સતત વધી રહી છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં રુપિયા 30નો વધારો થયો છે. તેલ મોંઘુ થવાને કારણે આવનાર સમયમાં ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


ફરી એક વખત સિંગતેલના ડબ્બામાં કરાયો ભાવ વધારો 

થોડા સમયથી મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જીવન જરૂરીયાતની વસ્તુ સતત મોંઘી થઈ રહી છે. ફરી એક વખત સિંગતેલના ભાવમાં મોટો ભાવ વધારો ઝીંકાયો છે. 30 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સીએનજી તેમજ પીએનજીના ભાવમાં વધારો થયો હતો ત્યારે પ્રતિ ડબ્બે 30 રુપિયાનો વધારો થતા મધ્યમવર્ગના પરિવારને લાફો મારી ગાલ લાલ કરવાનો વારો આવ્યો છે.     


મગફળીની આવક છતાં સતત વધી રહ્યા છે તેલના ભાવ 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન સિઝન દરમિયાન તેલનો ઉપયોગ વધારે થતો હોય છે. લગ્નગાળાની સિઝન વચ્ચે તેલમાં ભાવ વધારો થયો છે જેની સીધી અસર બજેટ પર પડી છે. હાલ મગફળીની ખરીદી ચાલી રહી છે. ચાલું વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. જેને કારણે આવનાર સમયમાં ફરસાણની કિંમતમાં વધારો થઈ શકે છે.       


જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ વધતા વધી મોંઘવારી   

આની પહેલા સિંગતેલમાં ભાવ વધારો ડિસેમ્બર મહિનામાં કરવામાં આવ્યો હતો. તે વખતે પણ અનેક રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો હતો. તે સિવાય જાન્યુઆરીમાં પણ અનેક વખત ભાવ વધારો કરાયો છે. ભાવ વધારાની સીધી અસર લોકોના બજેટ પર પડશે. શાકભાજી, પેટ્રોલ-ડિઝલ સહિતની વસ્તુઓમાં ભાવ થઈ રહ્યો છે જેને કારણે મોંઘવારીના માર વચ્ચે લોકો જીવવા મજબૂર બન્યા છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.