ફરી એક વખત વધ્યા સિંગતેલના ભાવ, એક ડબ્બા પર કરાયો 30 રુપિયાનો વધારો


  • Published By :
  • Published Date : 2023-02-01 09:49:36

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. દરેક વસ્તુના ભાવમાં વધારો ઝીંકાયો છે. થોડા સમય પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો હતો તે બાદ ફરી એક વખત આજે ભાવમાં વધારો થયો છે. મોંઘવારી સતત વધી રહી છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં રુપિયા 30નો વધારો થયો છે. તેલ મોંઘુ થવાને કારણે આવનાર સમયમાં ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


ફરી એક વખત સિંગતેલના ડબ્બામાં કરાયો ભાવ વધારો 

થોડા સમયથી મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જીવન જરૂરીયાતની વસ્તુ સતત મોંઘી થઈ રહી છે. ફરી એક વખત સિંગતેલના ભાવમાં મોટો ભાવ વધારો ઝીંકાયો છે. 30 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સીએનજી તેમજ પીએનજીના ભાવમાં વધારો થયો હતો ત્યારે પ્રતિ ડબ્બે 30 રુપિયાનો વધારો થતા મધ્યમવર્ગના પરિવારને લાફો મારી ગાલ લાલ કરવાનો વારો આવ્યો છે.     


મગફળીની આવક છતાં સતત વધી રહ્યા છે તેલના ભાવ 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન સિઝન દરમિયાન તેલનો ઉપયોગ વધારે થતો હોય છે. લગ્નગાળાની સિઝન વચ્ચે તેલમાં ભાવ વધારો થયો છે જેની સીધી અસર બજેટ પર પડી છે. હાલ મગફળીની ખરીદી ચાલી રહી છે. ચાલું વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. જેને કારણે આવનાર સમયમાં ફરસાણની કિંમતમાં વધારો થઈ શકે છે.       


જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ વધતા વધી મોંઘવારી   

આની પહેલા સિંગતેલમાં ભાવ વધારો ડિસેમ્બર મહિનામાં કરવામાં આવ્યો હતો. તે વખતે પણ અનેક રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો હતો. તે સિવાય જાન્યુઆરીમાં પણ અનેક વખત ભાવ વધારો કરાયો છે. ભાવ વધારાની સીધી અસર લોકોના બજેટ પર પડશે. શાકભાજી, પેટ્રોલ-ડિઝલ સહિતની વસ્તુઓમાં ભાવ થઈ રહ્યો છે જેને કારણે મોંઘવારીના માર વચ્ચે લોકો જીવવા મજબૂર બન્યા છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.