ગુજરાતમાં મગફળીનું મબલખ ઉત્પાદન છતાં ડબાનો ભાવનો ભાવ 2900 રૂપિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:39:46


ગુજરાતમાં સૌથી વધુ મગફળી પકવતા સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે સાનુકૂળ અને સાનુકૂળ વરસાદથી અને ઉઘાડ બાદ પાછોતરા વરસાદથી પિયત મળતા મગફળીનું ચિત્ર સુધર્યું છે. રાજ્યમાં લગભગ 39 લાખ ટન મગફળી પાકવાનો અંદાજ આપ્યો છે. જેના પરથી ગુજરાતમાં મગફળીથી આશરે 18 લાખ ટન સિંગતેલ બનવાનું પણ અનુમાન છે.


મગફળીના મબલખ ઉત્પાદનનું અનુમાન


કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર દ્વારા અપાયેલા અંદાજ મૂજબ 39થી 40 લાખ ટન મગફળી આ ખરીફ ઋતુમાં પેદા થશે. જેના પગલે સરકારે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો આરંભ કર્યો છે. ઈ.સ.2019-20માં મગફળીના ટેકાના ભાવ રૂ।. 5090 પ્રતિ ક્વિન્ટલ હતા, જે ગત વર્ષે રૂ।.૫૫૫૦ અને આ વર્ષે વધારીને રૂ।.૫૮૫૦ એટલે કે પ્રતિ મણના રૂ।. 1170ના ભાવ કરાયા છે. જો કે હાલ, માર્કેટ યાર્ડમાં ટેકા જેટલા કે સારી ગુણવત્તાની મગફળીના તેથી વધુ ભાવ રૂ।. 1350 સુધી ખેડૂતોને મળી રહ્યા છે.


સિંગતેલના ડબ્બાના ભાવ 2900 રૂપિયા


જો કે સૌથી આશ્ચર્યની બાબત એ છે કે મગફળીમાંથી જ બનતા સિંગતેલના ભાવ ઉંચાઈ પર ટકાવાયા છે ત્યારે તેલ મિલરોના સંગઠન ગુજરાત તેલ તેલિબિયા સંગઠને માત્ર 26.40 લાખ ટન મગફળી પાકવાનો આશ્ચર્યજનક નીચો અંદાજ આપ્યો છે. પરંતુ, સરકારનો અંદાજ તેથી 13 લાખ ટન વધારે છે. આમ છતાં તેલિયા લોબી કોઈ પણ રીતે ભાવ નીચા ન આવે તે રીતે ભાવ સીઝનમાં પણ વધારીને ડબ્બાના આજે રૂ।. 2900એ પહોંચાડી દીધા છે જેમાં છુપી કાર્ટેલની ગંધ આવી રહી છે.


મગફળીના ઉત્પાદનમાં 47 ટકા સાથે ગુજરાત પ્રથમ નંબરે 


ગુજરાતમાં વર્ષે સરેરાશ 18.42 લાખ ટનમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે જે આ વર્ષે 17.09 લાખ ટનમાં વવાયેલ છ. આ વખતે મગફળીની ગુણવત્તા પણ સારી જણાઈ છે. અપવાદો બાદ કરતા મોટાભાગના સ્થળે પાકનું અને ઉપજનું ચિત્ર આશાસ્પદ બન્યું છે. ભારતમાં ઈ.સ. 2019-20ના અપેડાના રિપોર્ટ મૂજબ 98.19 લાખ ટન મગફળી પાકી હતી તેમાં 46.45 લાખ ટન સાથે ગુજરાત 47 ટકા સાથે પ્રથમ નંબરે હતું. આ વર્ષે ગુજરાતમાં 1.47 લાખ એમ.સી.એફટી. પાણી ગત વર્ષ કરતા વધુ સંગ્રહિત થયું હોય ઉનાળુ મગફળીનું વાવેતર પણ ઉત્સાહજનક રહેવા સંભવ છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"