ગુજરાતમાં મગફળીનું મબલખ ઉત્પાદન છતાં ડબાનો ભાવનો ભાવ 2900 રૂપિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:39:46


ગુજરાતમાં સૌથી વધુ મગફળી પકવતા સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે સાનુકૂળ અને સાનુકૂળ વરસાદથી અને ઉઘાડ બાદ પાછોતરા વરસાદથી પિયત મળતા મગફળીનું ચિત્ર સુધર્યું છે. રાજ્યમાં લગભગ 39 લાખ ટન મગફળી પાકવાનો અંદાજ આપ્યો છે. જેના પરથી ગુજરાતમાં મગફળીથી આશરે 18 લાખ ટન સિંગતેલ બનવાનું પણ અનુમાન છે.


મગફળીના મબલખ ઉત્પાદનનું અનુમાન


કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર દ્વારા અપાયેલા અંદાજ મૂજબ 39થી 40 લાખ ટન મગફળી આ ખરીફ ઋતુમાં પેદા થશે. જેના પગલે સરકારે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો આરંભ કર્યો છે. ઈ.સ.2019-20માં મગફળીના ટેકાના ભાવ રૂ।. 5090 પ્રતિ ક્વિન્ટલ હતા, જે ગત વર્ષે રૂ।.૫૫૫૦ અને આ વર્ષે વધારીને રૂ।.૫૮૫૦ એટલે કે પ્રતિ મણના રૂ।. 1170ના ભાવ કરાયા છે. જો કે હાલ, માર્કેટ યાર્ડમાં ટેકા જેટલા કે સારી ગુણવત્તાની મગફળીના તેથી વધુ ભાવ રૂ।. 1350 સુધી ખેડૂતોને મળી રહ્યા છે.


સિંગતેલના ડબ્બાના ભાવ 2900 રૂપિયા


જો કે સૌથી આશ્ચર્યની બાબત એ છે કે મગફળીમાંથી જ બનતા સિંગતેલના ભાવ ઉંચાઈ પર ટકાવાયા છે ત્યારે તેલ મિલરોના સંગઠન ગુજરાત તેલ તેલિબિયા સંગઠને માત્ર 26.40 લાખ ટન મગફળી પાકવાનો આશ્ચર્યજનક નીચો અંદાજ આપ્યો છે. પરંતુ, સરકારનો અંદાજ તેથી 13 લાખ ટન વધારે છે. આમ છતાં તેલિયા લોબી કોઈ પણ રીતે ભાવ નીચા ન આવે તે રીતે ભાવ સીઝનમાં પણ વધારીને ડબ્બાના આજે રૂ।. 2900એ પહોંચાડી દીધા છે જેમાં છુપી કાર્ટેલની ગંધ આવી રહી છે.


મગફળીના ઉત્પાદનમાં 47 ટકા સાથે ગુજરાત પ્રથમ નંબરે 


ગુજરાતમાં વર્ષે સરેરાશ 18.42 લાખ ટનમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે જે આ વર્ષે 17.09 લાખ ટનમાં વવાયેલ છ. આ વખતે મગફળીની ગુણવત્તા પણ સારી જણાઈ છે. અપવાદો બાદ કરતા મોટાભાગના સ્થળે પાકનું અને ઉપજનું ચિત્ર આશાસ્પદ બન્યું છે. ભારતમાં ઈ.સ. 2019-20ના અપેડાના રિપોર્ટ મૂજબ 98.19 લાખ ટન મગફળી પાકી હતી તેમાં 46.45 લાખ ટન સાથે ગુજરાત 47 ટકા સાથે પ્રથમ નંબરે હતું. આ વર્ષે ગુજરાતમાં 1.47 લાખ એમ.સી.એફટી. પાણી ગત વર્ષ કરતા વધુ સંગ્રહિત થયું હોય ઉનાળુ મગફળીનું વાવેતર પણ ઉત્સાહજનક રહેવા સંભવ છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે