ગુજરાતમાં મગફળીનું મબલખ ઉત્પાદન છતાં ડબાનો ભાવનો ભાવ 2900 રૂપિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:39:46


ગુજરાતમાં સૌથી વધુ મગફળી પકવતા સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે સાનુકૂળ અને સાનુકૂળ વરસાદથી અને ઉઘાડ બાદ પાછોતરા વરસાદથી પિયત મળતા મગફળીનું ચિત્ર સુધર્યું છે. રાજ્યમાં લગભગ 39 લાખ ટન મગફળી પાકવાનો અંદાજ આપ્યો છે. જેના પરથી ગુજરાતમાં મગફળીથી આશરે 18 લાખ ટન સિંગતેલ બનવાનું પણ અનુમાન છે.


મગફળીના મબલખ ઉત્પાદનનું અનુમાન


કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર દ્વારા અપાયેલા અંદાજ મૂજબ 39થી 40 લાખ ટન મગફળી આ ખરીફ ઋતુમાં પેદા થશે. જેના પગલે સરકારે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો આરંભ કર્યો છે. ઈ.સ.2019-20માં મગફળીના ટેકાના ભાવ રૂ।. 5090 પ્રતિ ક્વિન્ટલ હતા, જે ગત વર્ષે રૂ।.૫૫૫૦ અને આ વર્ષે વધારીને રૂ।.૫૮૫૦ એટલે કે પ્રતિ મણના રૂ।. 1170ના ભાવ કરાયા છે. જો કે હાલ, માર્કેટ યાર્ડમાં ટેકા જેટલા કે સારી ગુણવત્તાની મગફળીના તેથી વધુ ભાવ રૂ।. 1350 સુધી ખેડૂતોને મળી રહ્યા છે.


સિંગતેલના ડબ્બાના ભાવ 2900 રૂપિયા


જો કે સૌથી આશ્ચર્યની બાબત એ છે કે મગફળીમાંથી જ બનતા સિંગતેલના ભાવ ઉંચાઈ પર ટકાવાયા છે ત્યારે તેલ મિલરોના સંગઠન ગુજરાત તેલ તેલિબિયા સંગઠને માત્ર 26.40 લાખ ટન મગફળી પાકવાનો આશ્ચર્યજનક નીચો અંદાજ આપ્યો છે. પરંતુ, સરકારનો અંદાજ તેથી 13 લાખ ટન વધારે છે. આમ છતાં તેલિયા લોબી કોઈ પણ રીતે ભાવ નીચા ન આવે તે રીતે ભાવ સીઝનમાં પણ વધારીને ડબ્બાના આજે રૂ।. 2900એ પહોંચાડી દીધા છે જેમાં છુપી કાર્ટેલની ગંધ આવી રહી છે.


મગફળીના ઉત્પાદનમાં 47 ટકા સાથે ગુજરાત પ્રથમ નંબરે 


ગુજરાતમાં વર્ષે સરેરાશ 18.42 લાખ ટનમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે જે આ વર્ષે 17.09 લાખ ટનમાં વવાયેલ છ. આ વખતે મગફળીની ગુણવત્તા પણ સારી જણાઈ છે. અપવાદો બાદ કરતા મોટાભાગના સ્થળે પાકનું અને ઉપજનું ચિત્ર આશાસ્પદ બન્યું છે. ભારતમાં ઈ.સ. 2019-20ના અપેડાના રિપોર્ટ મૂજબ 98.19 લાખ ટન મગફળી પાકી હતી તેમાં 46.45 લાખ ટન સાથે ગુજરાત 47 ટકા સાથે પ્રથમ નંબરે હતું. આ વર્ષે ગુજરાતમાં 1.47 લાખ એમ.સી.એફટી. પાણી ગત વર્ષ કરતા વધુ સંગ્રહિત થયું હોય ઉનાળુ મગફળીનું વાવેતર પણ ઉત્સાહજનક રહેવા સંભવ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.