ગુજરાતમાં મગફળીનું મબલખ ઉત્પાદન છતાં ડબાનો ભાવનો ભાવ 2900 રૂપિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:39:46


ગુજરાતમાં સૌથી વધુ મગફળી પકવતા સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે સાનુકૂળ અને સાનુકૂળ વરસાદથી અને ઉઘાડ બાદ પાછોતરા વરસાદથી પિયત મળતા મગફળીનું ચિત્ર સુધર્યું છે. રાજ્યમાં લગભગ 39 લાખ ટન મગફળી પાકવાનો અંદાજ આપ્યો છે. જેના પરથી ગુજરાતમાં મગફળીથી આશરે 18 લાખ ટન સિંગતેલ બનવાનું પણ અનુમાન છે.


મગફળીના મબલખ ઉત્પાદનનું અનુમાન


કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર દ્વારા અપાયેલા અંદાજ મૂજબ 39થી 40 લાખ ટન મગફળી આ ખરીફ ઋતુમાં પેદા થશે. જેના પગલે સરકારે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો આરંભ કર્યો છે. ઈ.સ.2019-20માં મગફળીના ટેકાના ભાવ રૂ।. 5090 પ્રતિ ક્વિન્ટલ હતા, જે ગત વર્ષે રૂ।.૫૫૫૦ અને આ વર્ષે વધારીને રૂ।.૫૮૫૦ એટલે કે પ્રતિ મણના રૂ।. 1170ના ભાવ કરાયા છે. જો કે હાલ, માર્કેટ યાર્ડમાં ટેકા જેટલા કે સારી ગુણવત્તાની મગફળીના તેથી વધુ ભાવ રૂ।. 1350 સુધી ખેડૂતોને મળી રહ્યા છે.


સિંગતેલના ડબ્બાના ભાવ 2900 રૂપિયા


જો કે સૌથી આશ્ચર્યની બાબત એ છે કે મગફળીમાંથી જ બનતા સિંગતેલના ભાવ ઉંચાઈ પર ટકાવાયા છે ત્યારે તેલ મિલરોના સંગઠન ગુજરાત તેલ તેલિબિયા સંગઠને માત્ર 26.40 લાખ ટન મગફળી પાકવાનો આશ્ચર્યજનક નીચો અંદાજ આપ્યો છે. પરંતુ, સરકારનો અંદાજ તેથી 13 લાખ ટન વધારે છે. આમ છતાં તેલિયા લોબી કોઈ પણ રીતે ભાવ નીચા ન આવે તે રીતે ભાવ સીઝનમાં પણ વધારીને ડબ્બાના આજે રૂ।. 2900એ પહોંચાડી દીધા છે જેમાં છુપી કાર્ટેલની ગંધ આવી રહી છે.


મગફળીના ઉત્પાદનમાં 47 ટકા સાથે ગુજરાત પ્રથમ નંબરે 


ગુજરાતમાં વર્ષે સરેરાશ 18.42 લાખ ટનમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે જે આ વર્ષે 17.09 લાખ ટનમાં વવાયેલ છ. આ વખતે મગફળીની ગુણવત્તા પણ સારી જણાઈ છે. અપવાદો બાદ કરતા મોટાભાગના સ્થળે પાકનું અને ઉપજનું ચિત્ર આશાસ્પદ બન્યું છે. ભારતમાં ઈ.સ. 2019-20ના અપેડાના રિપોર્ટ મૂજબ 98.19 લાખ ટન મગફળી પાકી હતી તેમાં 46.45 લાખ ટન સાથે ગુજરાત 47 ટકા સાથે પ્રથમ નંબરે હતું. આ વર્ષે ગુજરાતમાં 1.47 લાખ એમ.સી.એફટી. પાણી ગત વર્ષ કરતા વધુ સંગ્રહિત થયું હોય ઉનાળુ મગફળીનું વાવેતર પણ ઉત્સાહજનક રહેવા સંભવ છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.