રાજ્યમાં મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં સીંગતેલના ભાવ આસમાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 16:09:54

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE 

દેશ અને રાજ્યમાં મોંઘવારીના કારણે સામાન્ય લોકોની સ્થિતી દયનિય બની છે. જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, ડીઝલ,અનાજ, કઠોળ, ખાંડ, ગોળ, દુધ, દહીં,સીંગતેલ અને કપાસિયા તેલનો ભાવ વધારો લોકોને અકળાવી રહ્યો રહ્યો છે. અમદાવાદના તેલીબીયા બજારમાં સીંગતેલના ભાવ વધીને 3000 રૂપિયા જોવા મળ્યો. જ્યારે રાજકોટમાં 15 કિલોના ડબ્બા પર 40 રૂપિયા ભાવ વધી 2940 રૂપિયાએ પંહોચ્યો છે. 


મગફળીનું ઉત્પાદન વધ્યું છતાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો


ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ગત પાંચ-સાત વર્ષોમાં 50 ટકા વધી ગયું છે. મગફળી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત અગ્રેસર છે અને ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મગફળી ઉત્પાદન સૌથી વધુ થયું હોવા છતાં ગુજરાતીઓને રોજિંદા વપરાશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સીંગતેલ વ્યાજબી ભાવે મળતું નથી.રાજ્યમાં પહેલાના પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયમાં મગફળીનું વાવેતર વધતા મગફળી પાકમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થયું હોવા છતાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મળતી જાણકારી અનુસાર 2009-10માં મગફળીનું 17.57 લાખ ટન ઉત્પાદન થયું હતું. જ્યારે આ ઉત્પાદન વધીને 2019-20માં 46.45 લાખ જેટલું મગફળીનું ઉત્પાદન થયું હતું. 


શા માટે સિંગતેલ મોંઘુદાટ?


ગુજરાતમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતું હોવા છતાં લોકોને તેનો બિલકુલ લાભ મળી રહ્યો નથી. નફાખોરો, સંગ્રહખોરો, કાળા બજાર અને તેલના વેપારીઓની સત્તાધીશો સાથેની સાંઠગાંઠના કારણે સિંગતેલની મોંઘીદાટ કિંમત ચૂકવવી પડી રહી છે. પાંચ વર્ષ પહેલા સીંગતલનો કિલોના ભાવ 75 થી 90 રૂપિયા હતો જે હવે 200 રૂપિયા થઈ ગયો છે. પાક નિષ્ફળ જવો, ઉત્પાદન ઘટવું જેવા ભાવ વધારાના કુદરતી પરિબળો ના હોવા છતાં બજારમાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો થતાં સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .