રાજ્યમાં મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં સીંગતેલના ભાવ આસમાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 16:09:54

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE 

દેશ અને રાજ્યમાં મોંઘવારીના કારણે સામાન્ય લોકોની સ્થિતી દયનિય બની છે. જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, ડીઝલ,અનાજ, કઠોળ, ખાંડ, ગોળ, દુધ, દહીં,સીંગતેલ અને કપાસિયા તેલનો ભાવ વધારો લોકોને અકળાવી રહ્યો રહ્યો છે. અમદાવાદના તેલીબીયા બજારમાં સીંગતેલના ભાવ વધીને 3000 રૂપિયા જોવા મળ્યો. જ્યારે રાજકોટમાં 15 કિલોના ડબ્બા પર 40 રૂપિયા ભાવ વધી 2940 રૂપિયાએ પંહોચ્યો છે. 


મગફળીનું ઉત્પાદન વધ્યું છતાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો


ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ગત પાંચ-સાત વર્ષોમાં 50 ટકા વધી ગયું છે. મગફળી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત અગ્રેસર છે અને ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મગફળી ઉત્પાદન સૌથી વધુ થયું હોવા છતાં ગુજરાતીઓને રોજિંદા વપરાશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સીંગતેલ વ્યાજબી ભાવે મળતું નથી.રાજ્યમાં પહેલાના પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયમાં મગફળીનું વાવેતર વધતા મગફળી પાકમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થયું હોવા છતાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મળતી જાણકારી અનુસાર 2009-10માં મગફળીનું 17.57 લાખ ટન ઉત્પાદન થયું હતું. જ્યારે આ ઉત્પાદન વધીને 2019-20માં 46.45 લાખ જેટલું મગફળીનું ઉત્પાદન થયું હતું. 


શા માટે સિંગતેલ મોંઘુદાટ?


ગુજરાતમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતું હોવા છતાં લોકોને તેનો બિલકુલ લાભ મળી રહ્યો નથી. નફાખોરો, સંગ્રહખોરો, કાળા બજાર અને તેલના વેપારીઓની સત્તાધીશો સાથેની સાંઠગાંઠના કારણે સિંગતેલની મોંઘીદાટ કિંમત ચૂકવવી પડી રહી છે. પાંચ વર્ષ પહેલા સીંગતલનો કિલોના ભાવ 75 થી 90 રૂપિયા હતો જે હવે 200 રૂપિયા થઈ ગયો છે. પાક નિષ્ફળ જવો, ઉત્પાદન ઘટવું જેવા ભાવ વધારાના કુદરતી પરિબળો ના હોવા છતાં બજારમાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો થતાં સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.