રાજ્યમાં મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં સીંગતેલના ભાવ આસમાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 16:09:54

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE 

દેશ અને રાજ્યમાં મોંઘવારીના કારણે સામાન્ય લોકોની સ્થિતી દયનિય બની છે. જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, ડીઝલ,અનાજ, કઠોળ, ખાંડ, ગોળ, દુધ, દહીં,સીંગતેલ અને કપાસિયા તેલનો ભાવ વધારો લોકોને અકળાવી રહ્યો રહ્યો છે. અમદાવાદના તેલીબીયા બજારમાં સીંગતેલના ભાવ વધીને 3000 રૂપિયા જોવા મળ્યો. જ્યારે રાજકોટમાં 15 કિલોના ડબ્બા પર 40 રૂપિયા ભાવ વધી 2940 રૂપિયાએ પંહોચ્યો છે. 


મગફળીનું ઉત્પાદન વધ્યું છતાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો


ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ગત પાંચ-સાત વર્ષોમાં 50 ટકા વધી ગયું છે. મગફળી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત અગ્રેસર છે અને ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મગફળી ઉત્પાદન સૌથી વધુ થયું હોવા છતાં ગુજરાતીઓને રોજિંદા વપરાશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સીંગતેલ વ્યાજબી ભાવે મળતું નથી.રાજ્યમાં પહેલાના પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયમાં મગફળીનું વાવેતર વધતા મગફળી પાકમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થયું હોવા છતાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મળતી જાણકારી અનુસાર 2009-10માં મગફળીનું 17.57 લાખ ટન ઉત્પાદન થયું હતું. જ્યારે આ ઉત્પાદન વધીને 2019-20માં 46.45 લાખ જેટલું મગફળીનું ઉત્પાદન થયું હતું. 


શા માટે સિંગતેલ મોંઘુદાટ?


ગુજરાતમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતું હોવા છતાં લોકોને તેનો બિલકુલ લાભ મળી રહ્યો નથી. નફાખોરો, સંગ્રહખોરો, કાળા બજાર અને તેલના વેપારીઓની સત્તાધીશો સાથેની સાંઠગાંઠના કારણે સિંગતેલની મોંઘીદાટ કિંમત ચૂકવવી પડી રહી છે. પાંચ વર્ષ પહેલા સીંગતલનો કિલોના ભાવ 75 થી 90 રૂપિયા હતો જે હવે 200 રૂપિયા થઈ ગયો છે. પાક નિષ્ફળ જવો, ઉત્પાદન ઘટવું જેવા ભાવ વધારાના કુદરતી પરિબળો ના હોવા છતાં બજારમાં સીંગતેલના ભાવમાં ધરખમ વધારો થતાં સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .