સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણ ફેરવાઈ હત્યામાં! જમીનને લઈ શરૂ થયેલી બબાલમાં થયા બે લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-13 12:24:17

જમીનની બાબતોને લઈ અનેક વખત ડખા થતાં હોય છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જમીનની બબાલને લઈ બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને આ ઘટનામાં 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. આ ઘટના ચૂડાના સમઢિયાળા ગામની છે જ્યાં બે જ્ઞાતિ વચ્ચે બબાલ થઈ છે. ઘટનામાં બે સગા ભાઈની હત્યા થઈ છે. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. તલવાર, ધારિયા સહિતના હથિયારીઓ વડે હુમલો થયો હતો. જૂથ અથડામણ થયા હોવાની ઘટના રાતની છે.     


તલવારો તેમજ ધારિયા વડે કરાયો હુમલો!

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂથ અથડામણ ક્યારે હિંસામાં ફેરવાઈ ગઈ તેની ખબર ન રહી. જમીન મુદ્દે બે જ્ઞાતિના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. તલવારો તેમજ ધારિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે સારવાર દરમિયાન બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં ખસેડી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિના મોત થયા છે તે અનુસુચિત જાતિના છે. મોટી સંખ્યામાં સમાજના લોકો હોસ્પિટલ આવી પહોંચ્યા છે. 


ઘટનામાં બે લોકોના થયા મોત 

જૂથ અથડામણને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. અનુસૂચિત સમાજથી આવતા લોકો પર હુમલાનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં અનુસૂચિત જાતિથી આવતા લોકો પર અત્યાર થતો હોય છે. આ ઘટનાને પગલે માહોલ અશાંત ન થાય તેને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. જે જૂથ અથડામણ થઈ છે તેમાં એક મહિલા સહિત પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બે લોકોના મોત થયા છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે લોકો આ ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે તેમના નામ છે આલજી પરમાર તેમજ મનોજ પરમાર. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે.   


ભાજપના ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો!

ઘટનાને પગલે સુરેન્દ્રનગરમાં અરેરાટી વ્યાપી ઉઠી છે. મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો છે. જ્યાં સુધી આરોપીઓ નહીં ઝડપાય ત્યારે સુધી તે મૃતદેહ નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી છે. મૃતકના પરિવારને મળવા જ્યારે ભાજપના ધારાસભ્ય પહોંચ્યા હતા ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર સિવીલ બહાર ભાજપના ધારાસભ્ય પી.કે.પરમાર અને જગદીશ દલવાડીને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ હાય હાયના નારા લાગ્યા હતા. 



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .