GSEB Result : ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધારે પરિણામ નોંધાયું જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું!


  • Published By :
  • Published Date : 2023-05-25 16:57:53

ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું છે. માર્ચ 2023માં યોજાયેલ ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. પોતાનું પરિણામ વિદ્યાર્થીઓ www.gseb.org પર જોઈ શકે છે અથવા તો વોટ્સએપ નંબર 6357300971 પર ચેક કરી શકે છે. સુરત જિલ્લો સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે જ્યારે દાહોદ જિલ્લો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 9.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. આ વર્ષ પણ વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને પાછળ પાડી દીધા છે. પરિણામને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.  સીએમે શુભેચ્છા પાઠવતા કહ્યું કે તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામના પાઠવું છું. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. તે સિવાય શિક્ષણમંત્રીએ પણ શુભેચ્છા પાઠવી છે.    


આ વિસ્તારનું પરિણામ આ વખતે પણ ઓછું નોંધાયું? 

માર્ચ 2023માં ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 64.62 ટકા પરિણામ આવ્યું છે. 76.45 ટકા પરિણામ સુરત જિલ્લાનું આવ્યું છે જ્યારે 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કુલ 958 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા આવ્યું છે. 157 શાળાઓ એવી છે જ્યાંનું પરિણામ 0 ટકા આવ્યું છે. જ્યારે 272 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે. આ વખતે પણ આદિવાસી વિસ્તારોનું પરિણામ ઓછું આવ્યું છે. મહત્વનું છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ પણ આ પટ્ટામાં ઓછું નોંધાયું હતું.   



કયા માધ્યમનું કેટલું આવ્યું પરિણામ? 

A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 6111 છે જ્યારે A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 44480 છે જ્યારે B1 ગ્રેડ મેળવનાર 86611 વિદ્યાર્થીઓ છે. B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 127652 છે, C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 139248 છે, C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 67373 છે, D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3412 છે. જો માધ્યમોની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમનું પરિણામ 62.11 ટકા આવ્યું છે, હિન્દી માધ્યમનું પરિણામ 64.66 ટકા, મરાઠી માધ્યમનું પરિણામ 7.95 ટકા જેટલું આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.90 ટકા આવ્યું છે. ઉર્દુ માધ્યમનું પરિણામ 69.10 ટકા આવ્યું છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.