અધિકારીઓની અણઆવતના કારણે GSPCને 500 કરોડથી વધુનું નુકસાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:35:42

ક્રિષ્ના ગોદાવરી (KG) બેસિન બ્લોકમાં ડ્રિલિંગનું કામ કરતી ગુજરાત સરકારીની માલિકીની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ને લગભગ રૂ. 500 કરોડનું ભારે નુકસાન થયું છે. આ નુકસાનને લઈને ગુજરાત વિધાનસભાની જાહેર સાહસ અંગેની સમિતિએ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ને લપડાક લગાવી છે. આ  સમિતિમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેના 14 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર સંચાલિત કંપનીએ "જવાબદારીપૂર્વક" કામ કર્યું હોત તો નુકસાન ટાળી શકાયું હોત.  તદુપરાંત, કંપનીના અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ લેખિત અને મૌખિક રજૂઆતોમાં વિરોધાભાસ હતો.


CAGના ઓડિટ રિપોર્ટમાં પણ ખુલાસો


રાજ્ય સંચાલિત જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) પર દેખરેખ રાખતી પેનલે બુધવારે ગૃહમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે તે GSPCના "બેજવાબદાર અભિગમ" ને પ્રતિબિંબિત કરે છે. આ પેનલ PSUs પર કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા કરવામાં આવેલા અવલોકનોની ચકાસણી કરે છે અને રાજ્ય સરકારને ભલામણો કરે છે. 2017માં એસેમ્બલીમાં રજૂ કરવામાં આવેલા CAGના ઓડિટ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે ઑફશોર ગેસ એક્સ્પ્લોરેશન કૂવામાં ડ્રિલિંગ કરવામાં આવેલી "ઓપરેશનલ એરર"ના કારણે GSPCને રૂ. 500 કરોડનો ખર્ચ થયો હતો.

CAG એ KG બેસિન (કૃષ્ણા ગોદાવરી બેસિન) માં KG-21 નામના એક કૂવામાં GSPC દ્વારા કરવામાં આવેલ ખામીયુક્ત ડ્રિલિંગ કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. CAG એ નોંધ્યું હતું કે આવું થયું કારણ કે તે કૂવો નમૂનાની બહાર ડ્રિલ કરવામાં આવ્યો હતો અને કંપનીને તે બાબત ખૂબ મોડી સમજાઈ હતી. CAGના અહેવાલ મુજબ, કંપનીએ KG-21 ઓફશોર કૂવામાં ઓફશોર ડ્રિલિંગ કામ માટે રૂ. 478.98 કરોડનો ખર્ચ કર્યો હતો. GSPCએ ખામીયુક્ત કામના એડજસ્ટમેન્ટ માટે કામને વધારાના રૂ. 34.37 કરોડનો ખર્ચ કરવો પડ્યો હતો.


GSPCના અધિકારીઓએ ગેરમાર્ગે દોર્યા


વિધાનસભા સમિતિએ તેના રિપોર્ટમાં તે બાબત પણ નોંધી હતી કે જ્યારે GSPC સમિતિને તેનો લેખિત જવાબ સુપ્રત કર્યો તેમાં, કંપનીએ કહ્યું હતું કે આ કૂવામાંથી ગેસનું વ્યાવસાયિક ઉત્પાદન શક્ય નથી. જોકે, કંપનીના અધિકારીઓએ સમિતિને મૌખિક રીતે જણાવ્યું હતું કે ડ્રિલિંગ સફળ રહ્યું હતું કારણ કે GSPCને તેમાં ગેસ મળ્યો હતો.

વિધાનસભા સમિતિ સમક્ષ વિરોધાભાસપુર્વકના આ પ્રકારના તથ્યો રજૂ કરવામાં તે કંપનીની અપ્રમાણિકતા દર્શાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક ડાઈવર (જે ફિટિંગ ટેમ્પલેટ સંબંધિત તકનીકી કાર્ય માટે પાણીમાં ગયો હતો) તેના દ્વારા કરાયેલી ભૂલને કારણે ટેમ્પ્લેટની બહાર કૂવો ડ્રિલ કરવામાં આવ્યો હતો, જેના કારણે કંપનીને રૂ. 500 કરોડનો ખર્ચ થયો હતો, ” તેવું રિપોર્ટમાં જણાવાયું હતું.


“તે સ્પષ્ટ છે કે કંપનીના અધિકારીઓએ બેજવાબદારીપૂર્વક કામ કર્યું હતું. તેમની ન્યૂનતમ દેખરેખ અને કુશળતાના અભાવને કારણે, એક્સપ્લોરેશન સાઈટ બદલાઈ ગઈ હતી. તેઓ પોતાની જવાબદારી સ્વિકારવાને બદલે, આ ભૂલ માટે એક ડાઇવરને જવાબદાર ગણાવ્યો, જેનના કારણે રૂ. 500 કરોડનું નુકસાન થયું. સમિતિએ જણાવ્યું હતું કે અધિકારીઓનો  આ અભિગમ અયોગ્ય છે,” 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.