અધિકારીઓની અણઆવતના કારણે GSPCને 500 કરોડથી વધુનું નુકસાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:35:42

ક્રિષ્ના ગોદાવરી (KG) બેસિન બ્લોકમાં ડ્રિલિંગનું કામ કરતી ગુજરાત સરકારીની માલિકીની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ને લગભગ રૂ. 500 કરોડનું ભારે નુકસાન થયું છે. આ નુકસાનને લઈને ગુજરાત વિધાનસભાની જાહેર સાહસ અંગેની સમિતિએ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ને લપડાક લગાવી છે. આ  સમિતિમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેના 14 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર સંચાલિત કંપનીએ "જવાબદારીપૂર્વક" કામ કર્યું હોત તો નુકસાન ટાળી શકાયું હોત.  તદુપરાંત, કંપનીના અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ લેખિત અને મૌખિક રજૂઆતોમાં વિરોધાભાસ હતો.


CAGના ઓડિટ રિપોર્ટમાં પણ ખુલાસો


રાજ્ય સંચાલિત જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) પર દેખરેખ રાખતી પેનલે બુધવારે ગૃહમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે તે GSPCના "બેજવાબદાર અભિગમ" ને પ્રતિબિંબિત કરે છે. આ પેનલ PSUs પર કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા કરવામાં આવેલા અવલોકનોની ચકાસણી કરે છે અને રાજ્ય સરકારને ભલામણો કરે છે. 2017માં એસેમ્બલીમાં રજૂ કરવામાં આવેલા CAGના ઓડિટ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે ઑફશોર ગેસ એક્સ્પ્લોરેશન કૂવામાં ડ્રિલિંગ કરવામાં આવેલી "ઓપરેશનલ એરર"ના કારણે GSPCને રૂ. 500 કરોડનો ખર્ચ થયો હતો.

CAG એ KG બેસિન (કૃષ્ણા ગોદાવરી બેસિન) માં KG-21 નામના એક કૂવામાં GSPC દ્વારા કરવામાં આવેલ ખામીયુક્ત ડ્રિલિંગ કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. CAG એ નોંધ્યું હતું કે આવું થયું કારણ કે તે કૂવો નમૂનાની બહાર ડ્રિલ કરવામાં આવ્યો હતો અને કંપનીને તે બાબત ખૂબ મોડી સમજાઈ હતી. CAGના અહેવાલ મુજબ, કંપનીએ KG-21 ઓફશોર કૂવામાં ઓફશોર ડ્રિલિંગ કામ માટે રૂ. 478.98 કરોડનો ખર્ચ કર્યો હતો. GSPCએ ખામીયુક્ત કામના એડજસ્ટમેન્ટ માટે કામને વધારાના રૂ. 34.37 કરોડનો ખર્ચ કરવો પડ્યો હતો.


GSPCના અધિકારીઓએ ગેરમાર્ગે દોર્યા


વિધાનસભા સમિતિએ તેના રિપોર્ટમાં તે બાબત પણ નોંધી હતી કે જ્યારે GSPC સમિતિને તેનો લેખિત જવાબ સુપ્રત કર્યો તેમાં, કંપનીએ કહ્યું હતું કે આ કૂવામાંથી ગેસનું વ્યાવસાયિક ઉત્પાદન શક્ય નથી. જોકે, કંપનીના અધિકારીઓએ સમિતિને મૌખિક રીતે જણાવ્યું હતું કે ડ્રિલિંગ સફળ રહ્યું હતું કારણ કે GSPCને તેમાં ગેસ મળ્યો હતો.

વિધાનસભા સમિતિ સમક્ષ વિરોધાભાસપુર્વકના આ પ્રકારના તથ્યો રજૂ કરવામાં તે કંપનીની અપ્રમાણિકતા દર્શાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક ડાઈવર (જે ફિટિંગ ટેમ્પલેટ સંબંધિત તકનીકી કાર્ય માટે પાણીમાં ગયો હતો) તેના દ્વારા કરાયેલી ભૂલને કારણે ટેમ્પ્લેટની બહાર કૂવો ડ્રિલ કરવામાં આવ્યો હતો, જેના કારણે કંપનીને રૂ. 500 કરોડનો ખર્ચ થયો હતો, ” તેવું રિપોર્ટમાં જણાવાયું હતું.


“તે સ્પષ્ટ છે કે કંપનીના અધિકારીઓએ બેજવાબદારીપૂર્વક કામ કર્યું હતું. તેમની ન્યૂનતમ દેખરેખ અને કુશળતાના અભાવને કારણે, એક્સપ્લોરેશન સાઈટ બદલાઈ ગઈ હતી. તેઓ પોતાની જવાબદારી સ્વિકારવાને બદલે, આ ભૂલ માટે એક ડાઇવરને જવાબદાર ગણાવ્યો, જેનના કારણે રૂ. 500 કરોડનું નુકસાન થયું. સમિતિએ જણાવ્યું હતું કે અધિકારીઓનો  આ અભિગમ અયોગ્ય છે,” 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.