અધિકારીઓની અણઆવતના કારણે GSPCને 500 કરોડથી વધુનું નુકસાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:35:42

ક્રિષ્ના ગોદાવરી (KG) બેસિન બ્લોકમાં ડ્રિલિંગનું કામ કરતી ગુજરાત સરકારીની માલિકીની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ને લગભગ રૂ. 500 કરોડનું ભારે નુકસાન થયું છે. આ નુકસાનને લઈને ગુજરાત વિધાનસભાની જાહેર સાહસ અંગેની સમિતિએ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ને લપડાક લગાવી છે. આ  સમિતિમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેના 14 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર સંચાલિત કંપનીએ "જવાબદારીપૂર્વક" કામ કર્યું હોત તો નુકસાન ટાળી શકાયું હોત.  તદુપરાંત, કંપનીના અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ લેખિત અને મૌખિક રજૂઆતોમાં વિરોધાભાસ હતો.


CAGના ઓડિટ રિપોર્ટમાં પણ ખુલાસો


રાજ્ય સંચાલિત જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) પર દેખરેખ રાખતી પેનલે બુધવારે ગૃહમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે તે GSPCના "બેજવાબદાર અભિગમ" ને પ્રતિબિંબિત કરે છે. આ પેનલ PSUs પર કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા કરવામાં આવેલા અવલોકનોની ચકાસણી કરે છે અને રાજ્ય સરકારને ભલામણો કરે છે. 2017માં એસેમ્બલીમાં રજૂ કરવામાં આવેલા CAGના ઓડિટ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે ઑફશોર ગેસ એક્સ્પ્લોરેશન કૂવામાં ડ્રિલિંગ કરવામાં આવેલી "ઓપરેશનલ એરર"ના કારણે GSPCને રૂ. 500 કરોડનો ખર્ચ થયો હતો.

CAG એ KG બેસિન (કૃષ્ણા ગોદાવરી બેસિન) માં KG-21 નામના એક કૂવામાં GSPC દ્વારા કરવામાં આવેલ ખામીયુક્ત ડ્રિલિંગ કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. CAG એ નોંધ્યું હતું કે આવું થયું કારણ કે તે કૂવો નમૂનાની બહાર ડ્રિલ કરવામાં આવ્યો હતો અને કંપનીને તે બાબત ખૂબ મોડી સમજાઈ હતી. CAGના અહેવાલ મુજબ, કંપનીએ KG-21 ઓફશોર કૂવામાં ઓફશોર ડ્રિલિંગ કામ માટે રૂ. 478.98 કરોડનો ખર્ચ કર્યો હતો. GSPCએ ખામીયુક્ત કામના એડજસ્ટમેન્ટ માટે કામને વધારાના રૂ. 34.37 કરોડનો ખર્ચ કરવો પડ્યો હતો.


GSPCના અધિકારીઓએ ગેરમાર્ગે દોર્યા


વિધાનસભા સમિતિએ તેના રિપોર્ટમાં તે બાબત પણ નોંધી હતી કે જ્યારે GSPC સમિતિને તેનો લેખિત જવાબ સુપ્રત કર્યો તેમાં, કંપનીએ કહ્યું હતું કે આ કૂવામાંથી ગેસનું વ્યાવસાયિક ઉત્પાદન શક્ય નથી. જોકે, કંપનીના અધિકારીઓએ સમિતિને મૌખિક રીતે જણાવ્યું હતું કે ડ્રિલિંગ સફળ રહ્યું હતું કારણ કે GSPCને તેમાં ગેસ મળ્યો હતો.

વિધાનસભા સમિતિ સમક્ષ વિરોધાભાસપુર્વકના આ પ્રકારના તથ્યો રજૂ કરવામાં તે કંપનીની અપ્રમાણિકતા દર્શાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક ડાઈવર (જે ફિટિંગ ટેમ્પલેટ સંબંધિત તકનીકી કાર્ય માટે પાણીમાં ગયો હતો) તેના દ્વારા કરાયેલી ભૂલને કારણે ટેમ્પ્લેટની બહાર કૂવો ડ્રિલ કરવામાં આવ્યો હતો, જેના કારણે કંપનીને રૂ. 500 કરોડનો ખર્ચ થયો હતો, ” તેવું રિપોર્ટમાં જણાવાયું હતું.


“તે સ્પષ્ટ છે કે કંપનીના અધિકારીઓએ બેજવાબદારીપૂર્વક કામ કર્યું હતું. તેમની ન્યૂનતમ દેખરેખ અને કુશળતાના અભાવને કારણે, એક્સપ્લોરેશન સાઈટ બદલાઈ ગઈ હતી. તેઓ પોતાની જવાબદારી સ્વિકારવાને બદલે, આ ભૂલ માટે એક ડાઇવરને જવાબદાર ગણાવ્યો, જેનના કારણે રૂ. 500 કરોડનું નુકસાન થયું. સમિતિએ જણાવ્યું હતું કે અધિકારીઓનો  આ અભિગમ અયોગ્ય છે,” 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.