GSRTCના ફિક્સ-પેના કર્મચારીઓને પગાર વધારાનું વચન મળ્યું પરંતુ પગાર વધારો નથી મળ્યો! કર્મચારીઓએ મંત્રીઓને લખ્યા પોસ્ટ-કાર્ડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-15 12:14:40

ગુજરાતમાં ફરીથી એક વખત આંદોલન થઈ શકે છે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે! પગાર વધારાને લઈ જીએસઆરટીસીના કર્મચારીઓ સરકાર સામે મોરચો કાઢી શકે છે તેવું લાગી રહ્યું છે. જીએસઆરટીસીના ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં ન આવ્યો હતો જેને લઈ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સરકારને માસ સીએલ પર ઉતરવાની ચિમકી આપી હતી પરંતુ અધિકારીઓ હડતાળ પર ઉતરે તે પહેલા સરકારે તેમના માગનો સ્વીકાર કરી લીધો હતો. વાયદા આપ્યાને ઘણો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી 30 ટકા પગાર વધારો મળ્યો નથી. વચનને યાદ કરાવવા માટે એસટી વિભાગના ફિક્સ-પેના કર્મચારીઓએ મંત્રીઓને પોસ્ટ કાર્ડ લખ્યો છે અને પગાર વધારાના વચનને યાદ કરાવી રહ્યા છે.

Image

30 ટકાનો પગાર વધારો કરવાનો સરકારે કર્યો હતો વાયદો

થોડા સમય પહેલા જીએસઆરટીસી વિભાગના ફિક્સ પેના કર્મચારીઓએ પગાર વધારાની માગ કરી હતી. 30 ટકા પગાર વધારો કરવામાં આવે તેવી માગ કર્મચારીઓએ કરી હતી. સરકારને પણ રજૂઆત કરી હતી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો! સરકાર સુધી અવાજ પહોંચે તે માટે તેમણે માસ સીએલ પર ઉતરવાની ચીમકી આપી હતી. તે બાદ મિટીંગોનો દોર શરૂ થયો અને સરકારે તેમની માગણી સ્વીકારી લીધી. 30 ટકાનો પગાર વધારો કરવામાં આવશે તેવું વચન આપ્યું હતું, તેમની માગ સ્વીકારવામાં આવતા કર્મચારીઓ આનંદિત થઈ ગયા હતા. પરંતુ ઘણો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી પગાર વધારો મળ્યો નથી. 

યુવરાજસિંહે મંત્રીઓને પોતાના વચનો કરાવ્યા યાદ! 

અનેક સમય વીતિ ગયો પરંતુ હજી સુધી પગાર વધારો નથી મળ્યો જેને કારણે કર્મચારીઓ મંત્રીઓને પોસ્ટકાર્ડ લખી તેમના વચનને યાદ કરાવી રહ્યા છે. એક તરફ જીએસઆરટીસીના કર્મચારીઓએ પત્ર લખ્યો છે તો બીજી તરફ યુવરાજસિંહે પણ આ મામલે ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે જીએસઆરટીસીના કર્મયોગી મંત્રીશ્રીને ફરી-યાદ કરાવી રહિયા છે એમનું વચન.... કર્મચારીઓ જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે વખતે પણ યુવરાજસિંહે તેમના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. ત્યારે જોવું રહ્યું કે કર્મચારીઓ આગળ જતા આંદોલન કરશે કે તેની પહેલા સરકાર તેમનો પગાર વધારો ક્યારે કરશે તે જોવું રહ્યું.  



ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની ચર્ચા થઈ રહી છે.. આપ સાંસદ સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી છે. સીએમના સત્તાવાર નિવાસસ્થાન પર વિભવ કુમાર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી.. પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..મુખ્યમંત્રી દ્વારા એક્શન લેવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.