GSRTCના ફિક્સ-પેના કર્મચારીઓને પગાર વધારાનું વચન મળ્યું પરંતુ પગાર વધારો નથી મળ્યો! કર્મચારીઓએ મંત્રીઓને લખ્યા પોસ્ટ-કાર્ડ


  • Published By :
  • Published Date : 2023-12-15 12:14:40

ગુજરાતમાં ફરીથી એક વખત આંદોલન થઈ શકે છે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે! પગાર વધારાને લઈ જીએસઆરટીસીના કર્મચારીઓ સરકાર સામે મોરચો કાઢી શકે છે તેવું લાગી રહ્યું છે. જીએસઆરટીસીના ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં ન આવ્યો હતો જેને લઈ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સરકારને માસ સીએલ પર ઉતરવાની ચિમકી આપી હતી પરંતુ અધિકારીઓ હડતાળ પર ઉતરે તે પહેલા સરકારે તેમના માગનો સ્વીકાર કરી લીધો હતો. વાયદા આપ્યાને ઘણો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી 30 ટકા પગાર વધારો મળ્યો નથી. વચનને યાદ કરાવવા માટે એસટી વિભાગના ફિક્સ-પેના કર્મચારીઓએ મંત્રીઓને પોસ્ટ કાર્ડ લખ્યો છે અને પગાર વધારાના વચનને યાદ કરાવી રહ્યા છે.

Image

30 ટકાનો પગાર વધારો કરવાનો સરકારે કર્યો હતો વાયદો

થોડા સમય પહેલા જીએસઆરટીસી વિભાગના ફિક્સ પેના કર્મચારીઓએ પગાર વધારાની માગ કરી હતી. 30 ટકા પગાર વધારો કરવામાં આવે તેવી માગ કર્મચારીઓએ કરી હતી. સરકારને પણ રજૂઆત કરી હતી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો! સરકાર સુધી અવાજ પહોંચે તે માટે તેમણે માસ સીએલ પર ઉતરવાની ચીમકી આપી હતી. તે બાદ મિટીંગોનો દોર શરૂ થયો અને સરકારે તેમની માગણી સ્વીકારી લીધી. 30 ટકાનો પગાર વધારો કરવામાં આવશે તેવું વચન આપ્યું હતું, તેમની માગ સ્વીકારવામાં આવતા કર્મચારીઓ આનંદિત થઈ ગયા હતા. પરંતુ ઘણો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી પગાર વધારો મળ્યો નથી. 

યુવરાજસિંહે મંત્રીઓને પોતાના વચનો કરાવ્યા યાદ! 

અનેક સમય વીતિ ગયો પરંતુ હજી સુધી પગાર વધારો નથી મળ્યો જેને કારણે કર્મચારીઓ મંત્રીઓને પોસ્ટકાર્ડ લખી તેમના વચનને યાદ કરાવી રહ્યા છે. એક તરફ જીએસઆરટીસીના કર્મચારીઓએ પત્ર લખ્યો છે તો બીજી તરફ યુવરાજસિંહે પણ આ મામલે ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે જીએસઆરટીસીના કર્મયોગી મંત્રીશ્રીને ફરી-યાદ કરાવી રહિયા છે એમનું વચન.... કર્મચારીઓ જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે વખતે પણ યુવરાજસિંહે તેમના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. ત્યારે જોવું રહ્યું કે કર્મચારીઓ આગળ જતા આંદોલન કરશે કે તેની પહેલા સરકાર તેમનો પગાર વધારો ક્યારે કરશે તે જોવું રહ્યું.  



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.