GSRTCના ફિક્સ-પેના કર્મચારીઓને પગાર વધારાનું વચન મળ્યું પરંતુ પગાર વધારો નથી મળ્યો! કર્મચારીઓએ મંત્રીઓને લખ્યા પોસ્ટ-કાર્ડ


  • Published By :
  • Published Date : 2023-12-15 12:14:40

ગુજરાતમાં ફરીથી એક વખત આંદોલન થઈ શકે છે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે! પગાર વધારાને લઈ જીએસઆરટીસીના કર્મચારીઓ સરકાર સામે મોરચો કાઢી શકે છે તેવું લાગી રહ્યું છે. જીએસઆરટીસીના ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં ન આવ્યો હતો જેને લઈ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સરકારને માસ સીએલ પર ઉતરવાની ચિમકી આપી હતી પરંતુ અધિકારીઓ હડતાળ પર ઉતરે તે પહેલા સરકારે તેમના માગનો સ્વીકાર કરી લીધો હતો. વાયદા આપ્યાને ઘણો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી 30 ટકા પગાર વધારો મળ્યો નથી. વચનને યાદ કરાવવા માટે એસટી વિભાગના ફિક્સ-પેના કર્મચારીઓએ મંત્રીઓને પોસ્ટ કાર્ડ લખ્યો છે અને પગાર વધારાના વચનને યાદ કરાવી રહ્યા છે.

Image

30 ટકાનો પગાર વધારો કરવાનો સરકારે કર્યો હતો વાયદો

થોડા સમય પહેલા જીએસઆરટીસી વિભાગના ફિક્સ પેના કર્મચારીઓએ પગાર વધારાની માગ કરી હતી. 30 ટકા પગાર વધારો કરવામાં આવે તેવી માગ કર્મચારીઓએ કરી હતી. સરકારને પણ રજૂઆત કરી હતી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો! સરકાર સુધી અવાજ પહોંચે તે માટે તેમણે માસ સીએલ પર ઉતરવાની ચીમકી આપી હતી. તે બાદ મિટીંગોનો દોર શરૂ થયો અને સરકારે તેમની માગણી સ્વીકારી લીધી. 30 ટકાનો પગાર વધારો કરવામાં આવશે તેવું વચન આપ્યું હતું, તેમની માગ સ્વીકારવામાં આવતા કર્મચારીઓ આનંદિત થઈ ગયા હતા. પરંતુ ઘણો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી પગાર વધારો મળ્યો નથી. 

યુવરાજસિંહે મંત્રીઓને પોતાના વચનો કરાવ્યા યાદ! 

અનેક સમય વીતિ ગયો પરંતુ હજી સુધી પગાર વધારો નથી મળ્યો જેને કારણે કર્મચારીઓ મંત્રીઓને પોસ્ટકાર્ડ લખી તેમના વચનને યાદ કરાવી રહ્યા છે. એક તરફ જીએસઆરટીસીના કર્મચારીઓએ પત્ર લખ્યો છે તો બીજી તરફ યુવરાજસિંહે પણ આ મામલે ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે જીએસઆરટીસીના કર્મયોગી મંત્રીશ્રીને ફરી-યાદ કરાવી રહિયા છે એમનું વચન.... કર્મચારીઓ જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે વખતે પણ યુવરાજસિંહે તેમના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. ત્યારે જોવું રહ્યું કે કર્મચારીઓ આગળ જતા આંદોલન કરશે કે તેની પહેલા સરકાર તેમનો પગાર વધારો ક્યારે કરશે તે જોવું રહ્યું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.