GSRTCના ફિક્સ-પેના કર્મચારીઓને પગાર વધારાનું વચન મળ્યું પરંતુ પગાર વધારો નથી મળ્યો! કર્મચારીઓએ મંત્રીઓને લખ્યા પોસ્ટ-કાર્ડ


  • Published By :
  • Published Date : 2023-12-15 12:14:40

ગુજરાતમાં ફરીથી એક વખત આંદોલન થઈ શકે છે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે! પગાર વધારાને લઈ જીએસઆરટીસીના કર્મચારીઓ સરકાર સામે મોરચો કાઢી શકે છે તેવું લાગી રહ્યું છે. જીએસઆરટીસીના ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં ન આવ્યો હતો જેને લઈ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સરકારને માસ સીએલ પર ઉતરવાની ચિમકી આપી હતી પરંતુ અધિકારીઓ હડતાળ પર ઉતરે તે પહેલા સરકારે તેમના માગનો સ્વીકાર કરી લીધો હતો. વાયદા આપ્યાને ઘણો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી 30 ટકા પગાર વધારો મળ્યો નથી. વચનને યાદ કરાવવા માટે એસટી વિભાગના ફિક્સ-પેના કર્મચારીઓએ મંત્રીઓને પોસ્ટ કાર્ડ લખ્યો છે અને પગાર વધારાના વચનને યાદ કરાવી રહ્યા છે.

Image

30 ટકાનો પગાર વધારો કરવાનો સરકારે કર્યો હતો વાયદો

થોડા સમય પહેલા જીએસઆરટીસી વિભાગના ફિક્સ પેના કર્મચારીઓએ પગાર વધારાની માગ કરી હતી. 30 ટકા પગાર વધારો કરવામાં આવે તેવી માગ કર્મચારીઓએ કરી હતી. સરકારને પણ રજૂઆત કરી હતી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો! સરકાર સુધી અવાજ પહોંચે તે માટે તેમણે માસ સીએલ પર ઉતરવાની ચીમકી આપી હતી. તે બાદ મિટીંગોનો દોર શરૂ થયો અને સરકારે તેમની માગણી સ્વીકારી લીધી. 30 ટકાનો પગાર વધારો કરવામાં આવશે તેવું વચન આપ્યું હતું, તેમની માગ સ્વીકારવામાં આવતા કર્મચારીઓ આનંદિત થઈ ગયા હતા. પરંતુ ઘણો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી પગાર વધારો મળ્યો નથી. 

યુવરાજસિંહે મંત્રીઓને પોતાના વચનો કરાવ્યા યાદ! 

અનેક સમય વીતિ ગયો પરંતુ હજી સુધી પગાર વધારો નથી મળ્યો જેને કારણે કર્મચારીઓ મંત્રીઓને પોસ્ટકાર્ડ લખી તેમના વચનને યાદ કરાવી રહ્યા છે. એક તરફ જીએસઆરટીસીના કર્મચારીઓએ પત્ર લખ્યો છે તો બીજી તરફ યુવરાજસિંહે પણ આ મામલે ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે જીએસઆરટીસીના કર્મયોગી મંત્રીશ્રીને ફરી-યાદ કરાવી રહિયા છે એમનું વચન.... કર્મચારીઓ જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે વખતે પણ યુવરાજસિંહે તેમના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. ત્યારે જોવું રહ્યું કે કર્મચારીઓ આગળ જતા આંદોલન કરશે કે તેની પહેલા સરકાર તેમનો પગાર વધારો ક્યારે કરશે તે જોવું રહ્યું.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.