GSRTCના કંડકટર અને ડ્રાઈવરની લુખ્ખી દાદાગીરી, એમને ફાયદો મળે એ હોટેલ જ જવાનું! 15 કિલોમીટર રોંગ સાઈડ બસ ચલાવી કારણ કે...! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-22 13:06:40

એસટી વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠતા હોય છે.. એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર દ્વારા અનેક વખત દાદાગીરી કરવામાં આવે છે તેવા અનેક વીડિયો આપણી સામે આવે છે.. મોટી સંખ્યામાં લોકો મુસાફરી માટે એસટીબસનો ઉપયોગ કરતા હોય છે અને એમાં પણ હમણાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક એસટી બસના ડ્રાઈવરે રોન્ગ સાઈડમાં બસ ચલાવી.. એક બે કિલોમીટર નહીં પરંતુ 15 કિલોમીટર!  

બસમાં મુસાફરી કરતા લોકોનો નહીં પરંતુ.. 

એસટી બસમાં અનેક વખત ઝઘડા થતા હોય છે.. ડ્રાઈવર, કન્ડક્ટર અને મુસાફરો વચ્ચે થતી બોલાચાલી અનેક વખત આપણે સાંભળી હશે..અનેક વાર જોયું છે કે એસટી બસમાં કંડકટર અને ડ્રાઈવરની ખુલ્લી દાદાગીરી હોય છે એમને મરજી પડે એવી ગંદી અથવા તો મોંઘી હોટલમાં ઊભી રાખવાની..એ લોકો બસમાં બેઠેલા લોકોનું નહીં પણ પોતાનો ફાયદો વિચારે છે એવી જ એક ઘટના તમારા સમક્ષ આજે મૂકવી છે..! આ સમાચાર અંગેની જાણ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ છે..



હોટલ પર બસ ઉભી રાખવાથી મળે છે 200 રૂપિયાનું ટોકન! 

16 મેની ઘટના છે. એસટીની બસ નં. GJ 18ZT 0013 અંબાજીથી ખંભાત જઈ રહી હતી. અને એ બસમાં લોકોએ હોબાળો કર્યો.. બસ હિંમતનગરથી નીકળ્યા પછી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે 15 km પહેલાં સલાલ પાસે આગમન હોટેલ ઉપર બસ ઊભી રાખવાનું તે ભૂલી ગયો.. આ યાદ આવ્યા પછી શું, ડ્રાઈવરે બસ રિવર્સ મારી અને રોન્ગ સાઈડ પર 15 કિલોમીટર બસ ચલાવી અને હોટલે લઈ ગયો...જ્યારે લોકોએ પૂછ્યું કે આવું કેમ કરો છો દલીલ કરી તો કંડકટર અને ડ્રાઈવરે જવાબ આપ્યો હોટેલ ઉપર બસ ઊભી રાખવી ફરજીયાત છે, કારણ કે ત્યાં બસ ઊભી રાખવાથી 200 રૂપિયાનું ટોકન મળે છે...


ડ્રાઈવર અને મુસાફરો વચ્ચે થયો ઝઘડો 

બાદમાં લોકોએ હોબાળો કર્યો ત્યાં હોટલે ઊભા રહ્યા બાદ મુસાફરોએ જ્યારે ફરિયાદ પોથી માંગી તો એ પણ ના આપી અને અંતે ઝઘડો કર્યા બાદ ફરિયાદ પોથી આપી જે વ્યક્તિએ ટ્વીટ કર્યું એમનું એવું પણ કહેવું છે કે  આ બાબતની જાણ ડેપો મેનેજર, ખંભાતને પણ કરવામાં આવી છે પણ છેલ્લા 2 દિવસથી તેઓ પણ ફોન ઉપાડતા નથી. તો પહેલા આખી ઘટના ડ્રાઈવર અને કંડકટરની દાદાગીરી જુઓ 


સામાન્ય માણસોને આવે છે પીસાવાનો વારો 

મહત્વનું છે કે અનેક વખત એસટી બસના ડ્રાઈવરની કામગીરી પર, એસટી વિભાગની કામગીરી પર સવાલ ઉઠતા હોય છે... સલામત સવારી એસટી અમારી જેવા સૂત્રો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે લાગે કે આ સૂત્રો માત્ર લખવા માટે જ હોય છે..  હવે આવી ઘટનાઓ જોઈએ ત્યારે સૌથી વધારે દયા સામાન્ય માણસ પર આવે કારણકે રોજિંદા જીવનથી લઈને બસમાં મુસાફરી કરે કે કઈ પણ હોય પીસવાનું એ સામન્ય મધ્યમ વર્ગના માણસને જ છે.. તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.