GSRTCના કંડકટર અને ડ્રાઈવરની લુખ્ખી દાદાગીરી, એમને ફાયદો મળે એ હોટેલ જ જવાનું! 15 કિલોમીટર રોંગ સાઈડ બસ ચલાવી કારણ કે...! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-22 13:06:40

એસટી વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠતા હોય છે.. એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર દ્વારા અનેક વખત દાદાગીરી કરવામાં આવે છે તેવા અનેક વીડિયો આપણી સામે આવે છે.. મોટી સંખ્યામાં લોકો મુસાફરી માટે એસટીબસનો ઉપયોગ કરતા હોય છે અને એમાં પણ હમણાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક એસટી બસના ડ્રાઈવરે રોન્ગ સાઈડમાં બસ ચલાવી.. એક બે કિલોમીટર નહીં પરંતુ 15 કિલોમીટર!  

બસમાં મુસાફરી કરતા લોકોનો નહીં પરંતુ.. 

એસટી બસમાં અનેક વખત ઝઘડા થતા હોય છે.. ડ્રાઈવર, કન્ડક્ટર અને મુસાફરો વચ્ચે થતી બોલાચાલી અનેક વખત આપણે સાંભળી હશે..અનેક વાર જોયું છે કે એસટી બસમાં કંડકટર અને ડ્રાઈવરની ખુલ્લી દાદાગીરી હોય છે એમને મરજી પડે એવી ગંદી અથવા તો મોંઘી હોટલમાં ઊભી રાખવાની..એ લોકો બસમાં બેઠેલા લોકોનું નહીં પણ પોતાનો ફાયદો વિચારે છે એવી જ એક ઘટના તમારા સમક્ષ આજે મૂકવી છે..! આ સમાચાર અંગેની જાણ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ છે..



હોટલ પર બસ ઉભી રાખવાથી મળે છે 200 રૂપિયાનું ટોકન! 

16 મેની ઘટના છે. એસટીની બસ નં. GJ 18ZT 0013 અંબાજીથી ખંભાત જઈ રહી હતી. અને એ બસમાં લોકોએ હોબાળો કર્યો.. બસ હિંમતનગરથી નીકળ્યા પછી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે 15 km પહેલાં સલાલ પાસે આગમન હોટેલ ઉપર બસ ઊભી રાખવાનું તે ભૂલી ગયો.. આ યાદ આવ્યા પછી શું, ડ્રાઈવરે બસ રિવર્સ મારી અને રોન્ગ સાઈડ પર 15 કિલોમીટર બસ ચલાવી અને હોટલે લઈ ગયો...જ્યારે લોકોએ પૂછ્યું કે આવું કેમ કરો છો દલીલ કરી તો કંડકટર અને ડ્રાઈવરે જવાબ આપ્યો હોટેલ ઉપર બસ ઊભી રાખવી ફરજીયાત છે, કારણ કે ત્યાં બસ ઊભી રાખવાથી 200 રૂપિયાનું ટોકન મળે છે...


ડ્રાઈવર અને મુસાફરો વચ્ચે થયો ઝઘડો 

બાદમાં લોકોએ હોબાળો કર્યો ત્યાં હોટલે ઊભા રહ્યા બાદ મુસાફરોએ જ્યારે ફરિયાદ પોથી માંગી તો એ પણ ના આપી અને અંતે ઝઘડો કર્યા બાદ ફરિયાદ પોથી આપી જે વ્યક્તિએ ટ્વીટ કર્યું એમનું એવું પણ કહેવું છે કે  આ બાબતની જાણ ડેપો મેનેજર, ખંભાતને પણ કરવામાં આવી છે પણ છેલ્લા 2 દિવસથી તેઓ પણ ફોન ઉપાડતા નથી. તો પહેલા આખી ઘટના ડ્રાઈવર અને કંડકટરની દાદાગીરી જુઓ 


સામાન્ય માણસોને આવે છે પીસાવાનો વારો 

મહત્વનું છે કે અનેક વખત એસટી બસના ડ્રાઈવરની કામગીરી પર, એસટી વિભાગની કામગીરી પર સવાલ ઉઠતા હોય છે... સલામત સવારી એસટી અમારી જેવા સૂત્રો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે લાગે કે આ સૂત્રો માત્ર લખવા માટે જ હોય છે..  હવે આવી ઘટનાઓ જોઈએ ત્યારે સૌથી વધારે દયા સામાન્ય માણસ પર આવે કારણકે રોજિંદા જીવનથી લઈને બસમાં મુસાફરી કરે કે કઈ પણ હોય પીસવાનું એ સામન્ય મધ્યમ વર્ગના માણસને જ છે.. તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.