GSRTCના કંડકટર અને ડ્રાઈવરની લુખ્ખી દાદાગીરી, એમને ફાયદો મળે એ હોટેલ જ જવાનું! 15 કિલોમીટર રોંગ સાઈડ બસ ચલાવી કારણ કે...! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-22 13:06:40

એસટી વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠતા હોય છે.. એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર દ્વારા અનેક વખત દાદાગીરી કરવામાં આવે છે તેવા અનેક વીડિયો આપણી સામે આવે છે.. મોટી સંખ્યામાં લોકો મુસાફરી માટે એસટીબસનો ઉપયોગ કરતા હોય છે અને એમાં પણ હમણાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક એસટી બસના ડ્રાઈવરે રોન્ગ સાઈડમાં બસ ચલાવી.. એક બે કિલોમીટર નહીં પરંતુ 15 કિલોમીટર!  

બસમાં મુસાફરી કરતા લોકોનો નહીં પરંતુ.. 

એસટી બસમાં અનેક વખત ઝઘડા થતા હોય છે.. ડ્રાઈવર, કન્ડક્ટર અને મુસાફરો વચ્ચે થતી બોલાચાલી અનેક વખત આપણે સાંભળી હશે..અનેક વાર જોયું છે કે એસટી બસમાં કંડકટર અને ડ્રાઈવરની ખુલ્લી દાદાગીરી હોય છે એમને મરજી પડે એવી ગંદી અથવા તો મોંઘી હોટલમાં ઊભી રાખવાની..એ લોકો બસમાં બેઠેલા લોકોનું નહીં પણ પોતાનો ફાયદો વિચારે છે એવી જ એક ઘટના તમારા સમક્ષ આજે મૂકવી છે..! આ સમાચાર અંગેની જાણ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ છે..



હોટલ પર બસ ઉભી રાખવાથી મળે છે 200 રૂપિયાનું ટોકન! 

16 મેની ઘટના છે. એસટીની બસ નં. GJ 18ZT 0013 અંબાજીથી ખંભાત જઈ રહી હતી. અને એ બસમાં લોકોએ હોબાળો કર્યો.. બસ હિંમતનગરથી નીકળ્યા પછી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે 15 km પહેલાં સલાલ પાસે આગમન હોટેલ ઉપર બસ ઊભી રાખવાનું તે ભૂલી ગયો.. આ યાદ આવ્યા પછી શું, ડ્રાઈવરે બસ રિવર્સ મારી અને રોન્ગ સાઈડ પર 15 કિલોમીટર બસ ચલાવી અને હોટલે લઈ ગયો...જ્યારે લોકોએ પૂછ્યું કે આવું કેમ કરો છો દલીલ કરી તો કંડકટર અને ડ્રાઈવરે જવાબ આપ્યો હોટેલ ઉપર બસ ઊભી રાખવી ફરજીયાત છે, કારણ કે ત્યાં બસ ઊભી રાખવાથી 200 રૂપિયાનું ટોકન મળે છે...


ડ્રાઈવર અને મુસાફરો વચ્ચે થયો ઝઘડો 

બાદમાં લોકોએ હોબાળો કર્યો ત્યાં હોટલે ઊભા રહ્યા બાદ મુસાફરોએ જ્યારે ફરિયાદ પોથી માંગી તો એ પણ ના આપી અને અંતે ઝઘડો કર્યા બાદ ફરિયાદ પોથી આપી જે વ્યક્તિએ ટ્વીટ કર્યું એમનું એવું પણ કહેવું છે કે  આ બાબતની જાણ ડેપો મેનેજર, ખંભાતને પણ કરવામાં આવી છે પણ છેલ્લા 2 દિવસથી તેઓ પણ ફોન ઉપાડતા નથી. તો પહેલા આખી ઘટના ડ્રાઈવર અને કંડકટરની દાદાગીરી જુઓ 


સામાન્ય માણસોને આવે છે પીસાવાનો વારો 

મહત્વનું છે કે અનેક વખત એસટી બસના ડ્રાઈવરની કામગીરી પર, એસટી વિભાગની કામગીરી પર સવાલ ઉઠતા હોય છે... સલામત સવારી એસટી અમારી જેવા સૂત્રો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે લાગે કે આ સૂત્રો માત્ર લખવા માટે જ હોય છે..  હવે આવી ઘટનાઓ જોઈએ ત્યારે સૌથી વધારે દયા સામાન્ય માણસ પર આવે કારણકે રોજિંદા જીવનથી લઈને બસમાં મુસાફરી કરે કે કઈ પણ હોય પીસવાનું એ સામન્ય મધ્યમ વર્ગના માણસને જ છે.. તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"