GST મોરચે બન્યો નવો રેકોર્ડ, સરકારે ઓક્ટોબરમાં રૂ. 1.72 લાખ કરોડની કરી બંપર કમાણી


  • Published By :
  • Published Date : 2023-11-01 22:36:10

દેશમાં GSTનો અમલ થયો ત્યારથી નાના-મોટા વેપારીઓની મુશ્કેલીઓ વધી છે, જો કે આ GST સરકારને બંપર કમાણી કરાવી રહ્યો છે. આ વખતે પણ જીએસટી કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. કેન્દ્રએ બમ્પર કમાણી કરી છે. ઓક્ટોબર મહિનામાં સરકારે ઈતિહાસમાં બીજી સૌથી વધુ કમાણી કરી છે. એપ્રિલ પછી ઓક્ટોબરમાં સૌથી વધુ GST કલેક્શન થયું છે. એપ્રિલમાં GST કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ થયું હતું, જ્યારે ઓક્ટોબરમાં રૂ. 1.72 લાખ કરોડથી વધુની આવક થઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં GST કલેક્શનમાં 13 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.


કેટલી કમાણી થઈ?


ઓક્ટોબરમાં કુલ GST આવક 5.7 ટકા વધીને રૂ. 1,72,003 કરોડ થઈ છે જે સપ્ટેમ્બરમાં રૂ. 1,62,712 કરોડ હતી. રૂ. 1,72,003 કરોડના GST કલેક્શનમાંથી રૂ. 30,062 કરોડ CGST, રૂ. 38,171 કરોડ SGST, રૂ. 91,315 કરોડ IGST (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 42,127 કરોડ સહિત) અને રૂ. 12,456 કરોડ સેસ (આયાત પર એકત્રિત રૂ. 1,294 કરોડ સહિત) છે. 


ઓક્ટોબરમાં આવક 13 ટકા વધી


સરકારે  IGSTથી  CGSTમાં રૂ. 42,873 કરોડ અને SGSTમાં રૂ. 36,614 કરોડનું સેટલમેન્ટ કર્યું છે. નિયમિત સેટલમેન્ટ પછી ઓક્ટોબર, 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 72,934 કરોડ અને SGST માટે રૂ. 74,785 કરોડ છે. ઓક્ટોબર મહિનાની કુલ GST આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 13 ટકા વધુ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.