વિધાનસભામાં જીએસટી વધારાનું વિધેયક થયું પસાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 12:31:28

હાલ વિધાનસભામાં ચોમસુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અનેક વિધેયક રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમા માલ અને સેવા વેરા વિધેયક પસાર કરાયું હતું. જેમાં અનેક ચીજ-વસ્તુઓ પર જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ અનકે વખત તેના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને કારણે મોંઘવારીનું ભારણ વધતું રહે છે.

નાણા મંત્રીએ રજૂ કર્યો વિધેયક

નાણા મંત્રી કનુ દેસાઈએ સંસદમાં બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રની માલ અને સેવા વેરા કાઉન્સિલે કાયદામાં સુધારાની આવશ્યકતા દર્શાવતા નિર્ણયો લીધા છે. વિવિધ જોગવાઈ લાગુ કરવામાં એકરૂપતા જળવાય તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યોમાં આ બિલ પસાર કરાયું છે. 

Kanu Desai | Facebook
કઈ વસ્તુ પર વધ્યો જીએસટી 

જીવન જરૂરિયાતોની વસ્તુઓ પર પહેલેથી જ જીએસટી લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં ફરી એકવખત ફેરફાર કરવામાં આવ્યો છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર 5 ટકાથી 18 ટકા સુધીનો વધારો ઝીંકાયો છે. 12 ટકા જીએસટી વાળી વસ્તુઓ જેમકે પ્રિન્ટિંગ, લગ્ન કંકોત્રી, બ્લેડ, પેન, પેન્સિલ. એગ્રીકલ્ચર પ્રોડક્ટના પાર્ટ સહિતની અનેક વસ્તુ પર જીએસટી દર વધારાઈ દેવાયું છે.

આ તમામ વસ્તુ પર 12 ટકાને બદલે 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવશે. ઉપરાંત લોખંડ, કોપર, એલઈડી લાઈટ, સોલર વોટર પંપ સહિતની વસ્તુઓ પર જીએસટી વધારી દેવામાં આવ્યો છે. 5 ટકા જીએસટી વસુલાતો હતો જે હવે 12 ટકા સુધી વધારાઈ દેવામાં આવ્યો છે.

કોંગ્રેસે વિધેયક પર શું  આપી પ્રતિક્રિયા 

વિધેયક પસાર થતાં જ વિધાનસભા ગૃહમાં વિપક્ષે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. વિપક્ષે ચર્ચમાં ભાગ લેતા જણાવ્યું કે મંદીના માહોલ વચ્ચે સામાન્ય માણસની ખરીદ શક્તિ ઘટી છે, જીએસટીના કાયદા વારંવાર સુધારાના કારણે લાખો વેપારીઓ ઉપર કરનું ભારણ આવવાનું છે. વધુમાં તેમણે  કહ્યું કે દૂધ, લસ્સી, વિવિધ લોટ પર વેરાના દરમાં વારંવાર વધારો થયો છે.

Impact Of GST (Goods and Services Tax) On The Common Man - Moneymint

સામાન્ય લોકોની વધશે મુશ્કેલી 

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે જેને કારણે સામાન્ય માણસને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત જીએસટીના દરમાં ફેરફાર થતા સામાન્ય માણસના બજેટ પર ભારણ પડી શકે તેમજ મંદીનો સામનો કરી રહેલા વેપારીઓ પર આની ભારે અસર પડી શકે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.