વિધાનસભામાં જીએસટી વધારાનું વિધેયક થયું પસાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 12:31:28

હાલ વિધાનસભામાં ચોમસુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અનેક વિધેયક રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમા માલ અને સેવા વેરા વિધેયક પસાર કરાયું હતું. જેમાં અનેક ચીજ-વસ્તુઓ પર જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ અનકે વખત તેના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને કારણે મોંઘવારીનું ભારણ વધતું રહે છે.

નાણા મંત્રીએ રજૂ કર્યો વિધેયક

નાણા મંત્રી કનુ દેસાઈએ સંસદમાં બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રની માલ અને સેવા વેરા કાઉન્સિલે કાયદામાં સુધારાની આવશ્યકતા દર્શાવતા નિર્ણયો લીધા છે. વિવિધ જોગવાઈ લાગુ કરવામાં એકરૂપતા જળવાય તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યોમાં આ બિલ પસાર કરાયું છે. 

Kanu Desai | Facebook
કઈ વસ્તુ પર વધ્યો જીએસટી 

જીવન જરૂરિયાતોની વસ્તુઓ પર પહેલેથી જ જીએસટી લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં ફરી એકવખત ફેરફાર કરવામાં આવ્યો છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર 5 ટકાથી 18 ટકા સુધીનો વધારો ઝીંકાયો છે. 12 ટકા જીએસટી વાળી વસ્તુઓ જેમકે પ્રિન્ટિંગ, લગ્ન કંકોત્રી, બ્લેડ, પેન, પેન્સિલ. એગ્રીકલ્ચર પ્રોડક્ટના પાર્ટ સહિતની અનેક વસ્તુ પર જીએસટી દર વધારાઈ દેવાયું છે.

આ તમામ વસ્તુ પર 12 ટકાને બદલે 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવશે. ઉપરાંત લોખંડ, કોપર, એલઈડી લાઈટ, સોલર વોટર પંપ સહિતની વસ્તુઓ પર જીએસટી વધારી દેવામાં આવ્યો છે. 5 ટકા જીએસટી વસુલાતો હતો જે હવે 12 ટકા સુધી વધારાઈ દેવામાં આવ્યો છે.

કોંગ્રેસે વિધેયક પર શું  આપી પ્રતિક્રિયા 

વિધેયક પસાર થતાં જ વિધાનસભા ગૃહમાં વિપક્ષે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. વિપક્ષે ચર્ચમાં ભાગ લેતા જણાવ્યું કે મંદીના માહોલ વચ્ચે સામાન્ય માણસની ખરીદ શક્તિ ઘટી છે, જીએસટીના કાયદા વારંવાર સુધારાના કારણે લાખો વેપારીઓ ઉપર કરનું ભારણ આવવાનું છે. વધુમાં તેમણે  કહ્યું કે દૂધ, લસ્સી, વિવિધ લોટ પર વેરાના દરમાં વારંવાર વધારો થયો છે.

Impact Of GST (Goods and Services Tax) On The Common Man - Moneymint

સામાન્ય લોકોની વધશે મુશ્કેલી 

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે જેને કારણે સામાન્ય માણસને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત જીએસટીના દરમાં ફેરફાર થતા સામાન્ય માણસના બજેટ પર ભારણ પડી શકે તેમજ મંદીનો સામનો કરી રહેલા વેપારીઓ પર આની ભારે અસર પડી શકે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.