આધારકાર્ડના આધારે આચરવામાં આવ્યું કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ, જીએસટી વિભાગે કૌભાંડનો કર્યા પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2023-02-16 17:00:07

બોગસ બિલિંગ કરી કૌભાંડ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ જીએસટી વિભાગે પોલીસ સાથે મળીને બોગસ બિલિંગ આચરનારાઓ વિરૂદ્ધ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ, રાજકોટમાં આવેલી 100થી વધુ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આધારકાર્ડ સાથે લીંક કરાયેલા મોબાઈલ નંબરને બદલી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું.આધારકાર્ડના મોબાઈલ નંબરમાં સુધારો કરી જીએસટીના રજિસ્ટ્રેશન કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.     


બિલિંગ કૌભાંડ આવ્યું સામે 

જીએસટી વિભાગને માહિતી મળી હતી કે સમગ્ર ગુજરાતમાં 100થી વધારે પેઢીઓમાં બિલિંગ કૌભાંડ થઈ રહ્યું છે. જે અંતર્ગત અનેક રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પેઢીઓમાં તપાસ દરમિયાન 4000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેકશન મળી આવ્યા હતા. મોટાભાગના નવી મોડસ ઓપરેન્ડી મુજબ કૌભાંડ આચરવામાં આવ્યાં છે. 


કૌભાંડનો થયો પર્દાફાશ 

એસજીએસટી વિભાગની ટીમે અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી કરી હતી. જેમાં એક ચોકાવનારો ખુલ્લાસો થયો છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલીને બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી અને આ કૌભાંડ આચરવામાં આવતો હતો. આધાર કાર્ડ સેન્ટર પરથી આધાર કાર્ડમાં નંબર અપડેટ થતા રહેતા જેથી કરીને માહિતી કૌભાંડીઓ પાસે આવતી. સુરતમાં 75 જેટલી શકમંદ પેઢીઓમાં જીએસટી વિભાગે તપાસ કરી હતી અને 61 પેઢીઓમાં બોગસ બિલિંગ થયાનું સામે આવ્યું. તપાસ દરમિયાન જીએસટી વિભાગને જાણવા મળ્યું હતુંકે એપીકે ફાઈલથી એન્ડ્રોઈડ એપ દ્વારા આધારકાર્ડ, પાનકાર્ડ જેવા નકલી દસ્તાવેજો બનાવવામાં આવતા હતા. આ તપાસ દરમિયાન 4 હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.