આધારકાર્ડના આધારે આચરવામાં આવ્યું કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ, જીએસટી વિભાગે કૌભાંડનો કર્યા પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2023-02-16 17:00:07

બોગસ બિલિંગ કરી કૌભાંડ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ જીએસટી વિભાગે પોલીસ સાથે મળીને બોગસ બિલિંગ આચરનારાઓ વિરૂદ્ધ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ, રાજકોટમાં આવેલી 100થી વધુ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આધારકાર્ડ સાથે લીંક કરાયેલા મોબાઈલ નંબરને બદલી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું.આધારકાર્ડના મોબાઈલ નંબરમાં સુધારો કરી જીએસટીના રજિસ્ટ્રેશન કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.     


બિલિંગ કૌભાંડ આવ્યું સામે 

જીએસટી વિભાગને માહિતી મળી હતી કે સમગ્ર ગુજરાતમાં 100થી વધારે પેઢીઓમાં બિલિંગ કૌભાંડ થઈ રહ્યું છે. જે અંતર્ગત અનેક રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પેઢીઓમાં તપાસ દરમિયાન 4000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેકશન મળી આવ્યા હતા. મોટાભાગના નવી મોડસ ઓપરેન્ડી મુજબ કૌભાંડ આચરવામાં આવ્યાં છે. 


કૌભાંડનો થયો પર્દાફાશ 

એસજીએસટી વિભાગની ટીમે અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી કરી હતી. જેમાં એક ચોકાવનારો ખુલ્લાસો થયો છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલીને બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી અને આ કૌભાંડ આચરવામાં આવતો હતો. આધાર કાર્ડ સેન્ટર પરથી આધાર કાર્ડમાં નંબર અપડેટ થતા રહેતા જેથી કરીને માહિતી કૌભાંડીઓ પાસે આવતી. સુરતમાં 75 જેટલી શકમંદ પેઢીઓમાં જીએસટી વિભાગે તપાસ કરી હતી અને 61 પેઢીઓમાં બોગસ બિલિંગ થયાનું સામે આવ્યું. તપાસ દરમિયાન જીએસટી વિભાગને જાણવા મળ્યું હતુંકે એપીકે ફાઈલથી એન્ડ્રોઈડ એપ દ્વારા આધારકાર્ડ, પાનકાર્ડ જેવા નકલી દસ્તાવેજો બનાવવામાં આવતા હતા. આ તપાસ દરમિયાન 4 હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.