આધારકાર્ડના આધારે આચરવામાં આવ્યું કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ, જીએસટી વિભાગે કૌભાંડનો કર્યા પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2023-02-16 17:00:07

બોગસ બિલિંગ કરી કૌભાંડ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ જીએસટી વિભાગે પોલીસ સાથે મળીને બોગસ બિલિંગ આચરનારાઓ વિરૂદ્ધ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ, રાજકોટમાં આવેલી 100થી વધુ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આધારકાર્ડ સાથે લીંક કરાયેલા મોબાઈલ નંબરને બદલી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું.આધારકાર્ડના મોબાઈલ નંબરમાં સુધારો કરી જીએસટીના રજિસ્ટ્રેશન કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.     


બિલિંગ કૌભાંડ આવ્યું સામે 

જીએસટી વિભાગને માહિતી મળી હતી કે સમગ્ર ગુજરાતમાં 100થી વધારે પેઢીઓમાં બિલિંગ કૌભાંડ થઈ રહ્યું છે. જે અંતર્ગત અનેક રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પેઢીઓમાં તપાસ દરમિયાન 4000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેકશન મળી આવ્યા હતા. મોટાભાગના નવી મોડસ ઓપરેન્ડી મુજબ કૌભાંડ આચરવામાં આવ્યાં છે. 


કૌભાંડનો થયો પર્દાફાશ 

એસજીએસટી વિભાગની ટીમે અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી કરી હતી. જેમાં એક ચોકાવનારો ખુલ્લાસો થયો છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલીને બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી અને આ કૌભાંડ આચરવામાં આવતો હતો. આધાર કાર્ડ સેન્ટર પરથી આધાર કાર્ડમાં નંબર અપડેટ થતા રહેતા જેથી કરીને માહિતી કૌભાંડીઓ પાસે આવતી. સુરતમાં 75 જેટલી શકમંદ પેઢીઓમાં જીએસટી વિભાગે તપાસ કરી હતી અને 61 પેઢીઓમાં બોગસ બિલિંગ થયાનું સામે આવ્યું. તપાસ દરમિયાન જીએસટી વિભાગને જાણવા મળ્યું હતુંકે એપીકે ફાઈલથી એન્ડ્રોઈડ એપ દ્વારા આધારકાર્ડ, પાનકાર્ડ જેવા નકલી દસ્તાવેજો બનાવવામાં આવતા હતા. આ તપાસ દરમિયાન 4 હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.