Gujarat 10th Board Result: હજારો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ થયા! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 12:38:25

ઈન્ગલિશ મીડિયમ સ્કૂલમાં ભણાવવાનો ક્રેઝ આજકાલ વધી ગયો છે.. અનેક બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, સારી વાત છે પરંતુ તે બાળકો આપણી માતૃભાષાને ભૂલી રહ્યા છે તે વાત કહીએ તો અતિશયોક્તિ નથી.. એવા અનેક બાળકો હશે જેમણે કોલેજ પાસ કરી લીધી હશે પરંતુ આંકડાઓને ગુજરાતીમાં શું કહેવાય તેની ખબર નહીં હોય..! 30-40 સુધી તે બોલી શકતા હશે પરંતુ જો તેની આગળનું બોલવાનું આવે તો ઈન્ગલિશમાં બોલતા હશે.. આ વાત અમે ધોરણ 10ના પરિણામ માટે કરી રહ્યા છીએ.. આજકાલની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે દિવસે દિવસે આપણી માતૃભાષા પારકી બની રહી છે, કેમકે આ વખતે ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ ભવિષ્યની ચિંતાઓના એંધાણને દેખાડી રહ્યું છે.  

કેટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા અને આટલા વિદ્યાર્થીઓ થયા પાસ 

હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ઓવરઓલ બોર્ડનું પરિણામ ઊંચું આવ્યું તે માટે બોર્ડના વિદ્યાર્થીઓની મહેનતના વખાણ કરવા જોઈએ, પરંતુ ચિંતાનો વિષય માતૃભાષામાં આવેલા પરિણામની થઈ રહી છે... રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે, તેની સામે અંગ્રેજી વિષયમાં માત્ર 2.48% જ નાપાસ થયા છે. 


અંગ્રેજી વિષય પાસ કરી લે છે પરંતુ... 

તો હવે તમે જ આ આંકડા પરથી કહો કે આ વાત જાણીને ચિંતા તો થાય જ ને ? અને આવું છેલ્લા પાંચ વર્ષોથી જોવાં મળે છે કે વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષય પાસ કરીલે છે, અને તેઓને ગુજરાતી વિષય સાથે ક્યાંક બનતું નથી! આવું કેમ થાય તેની વાત કરીએ તો શક્ય છે કે વિદ્યાર્થીઓ બાકીના મુખ્ય વિષય પર વધુ ધ્યાન આપતાં હશે, પણ શું ગુજરાતી વિષયને આમ તરછોડવાથી મળેલું પરિણામ એ આવતી કાલ માટે ચિંતાનો વિષય નથી ?


આવા પરિણામ આવવા પાછળ અનેક કારણો હોઈ શકે છે... 

ગુજરાતી તો આપણી માતૃભાષા છે, પણ આજે આપણે દરેક જગ્યાએ વેસ્ટર્ન કલ્ચર ઉમેરી દીધું છે એટલે કદાચ “માતૃભાષાની અવગણનાનું” આ પરિણામ આવ્યું કહેવાય. ક્યાંક વાલીઓ પણ એવુજ માને છે કે બાળકનું ભવિષ્ય બનાવવું હશે તો અંગ્રેજી ખુબ જરૂરી છે એટલે વાલીઓ પણ અંગ્રેજી વિષય પર વધુ ભાર મુકતા હશે. સાથે કદાચ વાલીઓ અને વિદ્યાર્થીઓએ માન્યતામાં પણ રહી ગયા હોય કે.. ગુજરાતી તો સરળ ભાષા કહેવાય એમાં કોઈ નાપાસ થઈ જ ના શકે. 

તો જુઓ વાલીઓ અને ગુજરાતીઓ, આ આંકડા દર્શાવે છે કે આપણે આપણી માતૃભાષામાં જ કાચા સાબિત થયા છીએ. 


આપણે જ આપણી માતભાષાને ઓછું પ્રાધાન્ય આપતા હોઈએ એવું લાગે... 

આજકાલ બાળકો પણ રમતી વખતે હિન્દીમાં કે અંગ્રેજીમાં વધુ વાતો કરતાં હોય છે. અહી અન્ય ભાષા સાથે કોઈ તકલીફ નથી. અહી તકલીફ એ છે કે આપણે આપણી જ માતૃભાષાને બીજી ભાષાઓ કરતાં ઓછું પ્રાધાન્ય આપી રહ્યાં છીએ, તેની કિમત બીજી ભાષાઓ કરતાં ઓછી આંકી રહ્યાં છીએ. આમાં પ્રાથમિક વાંક કદાચ વાલીઓ પર દર્શાવવો હોય તો ખોટું પણ નથી, કેમકે વાલી તરીકે સૌપ્રથમ આપણે જ આપણાં બાળકોને સફળ બનવાની રેસમાં ઊભા રાખવા માટે પરિવારથી દૂર કરીએ,સમાજથી દૂર કરીએ,આપણી માતૃભાષાથી દૂર કરીએ અને અંતે .. અંતે એ બાળકો જીવનની સાચી વાસ્તવિક્તાઓથી દૂર ધકેલાઇ જતાં હોય છે,



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.