Gujarat 10th Board Result: હજારો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ થયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-16 12:38:25

ઈન્ગલિશ મીડિયમ સ્કૂલમાં ભણાવવાનો ક્રેઝ આજકાલ વધી ગયો છે.. અનેક બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, સારી વાત છે પરંતુ તે બાળકો આપણી માતૃભાષાને ભૂલી રહ્યા છે તે વાત કહીએ તો અતિશયોક્તિ નથી.. એવા અનેક બાળકો હશે જેમણે કોલેજ પાસ કરી લીધી હશે પરંતુ આંકડાઓને ગુજરાતીમાં શું કહેવાય તેની ખબર નહીં હોય..! 30-40 સુધી તે બોલી શકતા હશે પરંતુ જો તેની આગળનું બોલવાનું આવે તો ઈન્ગલિશમાં બોલતા હશે.. આ વાત અમે ધોરણ 10ના પરિણામ માટે કરી રહ્યા છીએ.. આજકાલની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે દિવસે દિવસે આપણી માતૃભાષા પારકી બની રહી છે, કેમકે આ વખતે ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ ભવિષ્યની ચિંતાઓના એંધાણને દેખાડી રહ્યું છે.  

કેટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા અને આટલા વિદ્યાર્થીઓ થયા પાસ 

હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ઓવરઓલ બોર્ડનું પરિણામ ઊંચું આવ્યું તે માટે બોર્ડના વિદ્યાર્થીઓની મહેનતના વખાણ કરવા જોઈએ, પરંતુ ચિંતાનો વિષય માતૃભાષામાં આવેલા પરિણામની થઈ રહી છે... રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે, તેની સામે અંગ્રેજી વિષયમાં માત્ર 2.48% જ નાપાસ થયા છે. 


અંગ્રેજી વિષય પાસ કરી લે છે પરંતુ... 

તો હવે તમે જ આ આંકડા પરથી કહો કે આ વાત જાણીને ચિંતા તો થાય જ ને ? અને આવું છેલ્લા પાંચ વર્ષોથી જોવાં મળે છે કે વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષય પાસ કરીલે છે, અને તેઓને ગુજરાતી વિષય સાથે ક્યાંક બનતું નથી! આવું કેમ થાય તેની વાત કરીએ તો શક્ય છે કે વિદ્યાર્થીઓ બાકીના મુખ્ય વિષય પર વધુ ધ્યાન આપતાં હશે, પણ શું ગુજરાતી વિષયને આમ તરછોડવાથી મળેલું પરિણામ એ આવતી કાલ માટે ચિંતાનો વિષય નથી ?


આવા પરિણામ આવવા પાછળ અનેક કારણો હોઈ શકે છે... 

ગુજરાતી તો આપણી માતૃભાષા છે, પણ આજે આપણે દરેક જગ્યાએ વેસ્ટર્ન કલ્ચર ઉમેરી દીધું છે એટલે કદાચ “માતૃભાષાની અવગણનાનું” આ પરિણામ આવ્યું કહેવાય. ક્યાંક વાલીઓ પણ એવુજ માને છે કે બાળકનું ભવિષ્ય બનાવવું હશે તો અંગ્રેજી ખુબ જરૂરી છે એટલે વાલીઓ પણ અંગ્રેજી વિષય પર વધુ ભાર મુકતા હશે. સાથે કદાચ વાલીઓ અને વિદ્યાર્થીઓએ માન્યતામાં પણ રહી ગયા હોય કે.. ગુજરાતી તો સરળ ભાષા કહેવાય એમાં કોઈ નાપાસ થઈ જ ના શકે. 

તો જુઓ વાલીઓ અને ગુજરાતીઓ, આ આંકડા દર્શાવે છે કે આપણે આપણી માતૃભાષામાં જ કાચા સાબિત થયા છીએ. 


આપણે જ આપણી માતભાષાને ઓછું પ્રાધાન્ય આપતા હોઈએ એવું લાગે... 

આજકાલ બાળકો પણ રમતી વખતે હિન્દીમાં કે અંગ્રેજીમાં વધુ વાતો કરતાં હોય છે. અહી અન્ય ભાષા સાથે કોઈ તકલીફ નથી. અહી તકલીફ એ છે કે આપણે આપણી જ માતૃભાષાને બીજી ભાષાઓ કરતાં ઓછું પ્રાધાન્ય આપી રહ્યાં છીએ, તેની કિમત બીજી ભાષાઓ કરતાં ઓછી આંકી રહ્યાં છીએ. આમાં પ્રાથમિક વાંક કદાચ વાલીઓ પર દર્શાવવો હોય તો ખોટું પણ નથી, કેમકે વાલી તરીકે સૌપ્રથમ આપણે જ આપણાં બાળકોને સફળ બનવાની રેસમાં ઊભા રાખવા માટે પરિવારથી દૂર કરીએ,સમાજથી દૂર કરીએ,આપણી માતૃભાષાથી દૂર કરીએ અને અંતે .. અંતે એ બાળકો જીવનની સાચી વાસ્તવિક્તાઓથી દૂર ધકેલાઇ જતાં હોય છે,



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.