Gujarat 10th Board Result: હજારો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ થયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-16 12:38:25

ઈન્ગલિશ મીડિયમ સ્કૂલમાં ભણાવવાનો ક્રેઝ આજકાલ વધી ગયો છે.. અનેક બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, સારી વાત છે પરંતુ તે બાળકો આપણી માતૃભાષાને ભૂલી રહ્યા છે તે વાત કહીએ તો અતિશયોક્તિ નથી.. એવા અનેક બાળકો હશે જેમણે કોલેજ પાસ કરી લીધી હશે પરંતુ આંકડાઓને ગુજરાતીમાં શું કહેવાય તેની ખબર નહીં હોય..! 30-40 સુધી તે બોલી શકતા હશે પરંતુ જો તેની આગળનું બોલવાનું આવે તો ઈન્ગલિશમાં બોલતા હશે.. આ વાત અમે ધોરણ 10ના પરિણામ માટે કરી રહ્યા છીએ.. આજકાલની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે દિવસે દિવસે આપણી માતૃભાષા પારકી બની રહી છે, કેમકે આ વખતે ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ ભવિષ્યની ચિંતાઓના એંધાણને દેખાડી રહ્યું છે.  

કેટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા અને આટલા વિદ્યાર્થીઓ થયા પાસ 

હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ઓવરઓલ બોર્ડનું પરિણામ ઊંચું આવ્યું તે માટે બોર્ડના વિદ્યાર્થીઓની મહેનતના વખાણ કરવા જોઈએ, પરંતુ ચિંતાનો વિષય માતૃભાષામાં આવેલા પરિણામની થઈ રહી છે... રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે, તેની સામે અંગ્રેજી વિષયમાં માત્ર 2.48% જ નાપાસ થયા છે. 


અંગ્રેજી વિષય પાસ કરી લે છે પરંતુ... 

તો હવે તમે જ આ આંકડા પરથી કહો કે આ વાત જાણીને ચિંતા તો થાય જ ને ? અને આવું છેલ્લા પાંચ વર્ષોથી જોવાં મળે છે કે વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષય પાસ કરીલે છે, અને તેઓને ગુજરાતી વિષય સાથે ક્યાંક બનતું નથી! આવું કેમ થાય તેની વાત કરીએ તો શક્ય છે કે વિદ્યાર્થીઓ બાકીના મુખ્ય વિષય પર વધુ ધ્યાન આપતાં હશે, પણ શું ગુજરાતી વિષયને આમ તરછોડવાથી મળેલું પરિણામ એ આવતી કાલ માટે ચિંતાનો વિષય નથી ?


આવા પરિણામ આવવા પાછળ અનેક કારણો હોઈ શકે છે... 

ગુજરાતી તો આપણી માતૃભાષા છે, પણ આજે આપણે દરેક જગ્યાએ વેસ્ટર્ન કલ્ચર ઉમેરી દીધું છે એટલે કદાચ “માતૃભાષાની અવગણનાનું” આ પરિણામ આવ્યું કહેવાય. ક્યાંક વાલીઓ પણ એવુજ માને છે કે બાળકનું ભવિષ્ય બનાવવું હશે તો અંગ્રેજી ખુબ જરૂરી છે એટલે વાલીઓ પણ અંગ્રેજી વિષય પર વધુ ભાર મુકતા હશે. સાથે કદાચ વાલીઓ અને વિદ્યાર્થીઓએ માન્યતામાં પણ રહી ગયા હોય કે.. ગુજરાતી તો સરળ ભાષા કહેવાય એમાં કોઈ નાપાસ થઈ જ ના શકે. 

તો જુઓ વાલીઓ અને ગુજરાતીઓ, આ આંકડા દર્શાવે છે કે આપણે આપણી માતૃભાષામાં જ કાચા સાબિત થયા છીએ. 


આપણે જ આપણી માતભાષાને ઓછું પ્રાધાન્ય આપતા હોઈએ એવું લાગે... 

આજકાલ બાળકો પણ રમતી વખતે હિન્દીમાં કે અંગ્રેજીમાં વધુ વાતો કરતાં હોય છે. અહી અન્ય ભાષા સાથે કોઈ તકલીફ નથી. અહી તકલીફ એ છે કે આપણે આપણી જ માતૃભાષાને બીજી ભાષાઓ કરતાં ઓછું પ્રાધાન્ય આપી રહ્યાં છીએ, તેની કિમત બીજી ભાષાઓ કરતાં ઓછી આંકી રહ્યાં છીએ. આમાં પ્રાથમિક વાંક કદાચ વાલીઓ પર દર્શાવવો હોય તો ખોટું પણ નથી, કેમકે વાલી તરીકે સૌપ્રથમ આપણે જ આપણાં બાળકોને સફળ બનવાની રેસમાં ઊભા રાખવા માટે પરિવારથી દૂર કરીએ,સમાજથી દૂર કરીએ,આપણી માતૃભાષાથી દૂર કરીએ અને અંતે .. અંતે એ બાળકો જીવનની સાચી વાસ્તવિક્તાઓથી દૂર ધકેલાઇ જતાં હોય છે,



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે