Gujarat : રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-12-27 10:04:55

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીને કારણે રસ્તાઓ પર ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. મંગળવારે નલિયાનું તાપામાન 10 ડિગ્રીથી નીચે ગગડી ગયું હતું તે ઉપરાંત અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું, 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed


મંગળવારે ક્યાં કેટલી પડી ઠંડી? 

એવું લાગતું હતું કે આ વર્ષે સખત ઠંડી પડી શકે છે. ગુલાબી નહીં પરંતુ હાડ થીજવતી ઠંડી કોને કહેવાય તેનો અનુભવ ગુજરાતીઓને થશે. પરંતુ વાતાવરણમાં એવા ફેરફાર આવ્યા કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો. પરંતુ ધીરે ધીરે ઠંડીનો અનુભવ થવા લાગ્યો. ડિસેમ્બરના અંત સુધીમાં અનેક વિસ્તારોનું તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું છે. નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું છે. નલિયા ઠંડોગાર પ્રદેશ સાબિત થાય છે. મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 15.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 14.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે.     

 હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ-છ દિવસ દરમિયાન મોટાભાગે વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. આગામી એક દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે 

તે ઉપરાંત વલસાડનું તાપમાન 17.8 ડિગ્રી, ભુજનું તાપમાન 14.6, નલિયાનું તાપમાન 09.0 ડિગ્રી નોંધાયું છે. દ્વારકાનું તાપમાન 17.6 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 18.9 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 14.4 ડિગ્રીએ પહોંચ્યું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ એક દિવસ બાદ એક-બે ડિગ્રી વધી શકે છે. ઠંડીનો વધુ અનુભવ થઇ રહ્યો નથી, તે અંગે તેમણે જણાવ્યું કે, હાલ ખૂબ જ ઓછા પવન ફૂંકાઇ રહ્યા છે. જ્યારે મહત્તમ તાપમાન 25-26 આવી રહ્યું હતું 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.