Gujarat : રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-12-27 10:04:55

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીને કારણે રસ્તાઓ પર ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. મંગળવારે નલિયાનું તાપામાન 10 ડિગ્રીથી નીચે ગગડી ગયું હતું તે ઉપરાંત અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું, 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed


મંગળવારે ક્યાં કેટલી પડી ઠંડી? 

એવું લાગતું હતું કે આ વર્ષે સખત ઠંડી પડી શકે છે. ગુલાબી નહીં પરંતુ હાડ થીજવતી ઠંડી કોને કહેવાય તેનો અનુભવ ગુજરાતીઓને થશે. પરંતુ વાતાવરણમાં એવા ફેરફાર આવ્યા કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો. પરંતુ ધીરે ધીરે ઠંડીનો અનુભવ થવા લાગ્યો. ડિસેમ્બરના અંત સુધીમાં અનેક વિસ્તારોનું તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું છે. નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું છે. નલિયા ઠંડોગાર પ્રદેશ સાબિત થાય છે. મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 15.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 14.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે.     

 હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ-છ દિવસ દરમિયાન મોટાભાગે વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. આગામી એક દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે 

તે ઉપરાંત વલસાડનું તાપમાન 17.8 ડિગ્રી, ભુજનું તાપમાન 14.6, નલિયાનું તાપમાન 09.0 ડિગ્રી નોંધાયું છે. દ્વારકાનું તાપમાન 17.6 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 18.9 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 14.4 ડિગ્રીએ પહોંચ્યું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ એક દિવસ બાદ એક-બે ડિગ્રી વધી શકે છે. ઠંડીનો વધુ અનુભવ થઇ રહ્યો નથી, તે અંગે તેમણે જણાવ્યું કે, હાલ ખૂબ જ ઓછા પવન ફૂંકાઇ રહ્યા છે. જ્યારે મહત્તમ તાપમાન 25-26 આવી રહ્યું હતું 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.