ગુજરાત ACBનો સપાટો, ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલ વસાવા સામે અપ્રમાણસર સંપત્તિનો ગુનો દાખલ


  • Published By :
  • Published Date : 2023-12-07 20:45:18

ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં વધી રહેલા ભ્રષ્ટાચારને લઈ ગુજરાત ACB એક્શનમાં આવી છે. રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓ સામે અપ્રમાણસર સંપત્તીની ફરિયાદો આવતા ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ તપાસ શરૂ કરી હતી. આ તપાસના ભાગરૂપે ACBએ રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલકુમાર ચતુરભાઈ વસાવા સામે ગુનો દાલખ કરી તેમની વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સ્થિત જુના સચિવાલયમાં ફરજ બજાવતા સુનીલકુમાર વસાવા પાસે રૂ. 88,84,982ની અપ્રમાણસર સંપત્તી હોવાનું સામે આવ્યું છે. 


પાટડીમાં હતા પ્રાંત અધિકારી 


રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલકુમાર ચતુરભાઈ વસાવા આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં વર્ગ-1 નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ગુજરાત ACBએ પગાર કરતા વધુ આવકના સ્ત્રોત અંગે તપાસ શરૂ કરતા સુનિલ કુમાર વસાવાની બેનામી સંપત્તીની જાણકારી મળી હતી. સુનિલ કુમાર વસાવાએ આટલી મોટી સંપત્તી કઈ રીતે ભેગી કરી તે તો પૂછપરછ બાદ જ જાણી શકાશે. 


અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ


ઉલ્લેખનિય છે કે સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના કિસ્સામાં સામાન્ય રીતે કોઈની ફરિયાદ આવે, ત્યારે છટકું ગોઠવીને એ.સી.બી. દ્વારા ભ્રષ્ટાચાર અંગેના ગુન્હાઓ નોંધાતા હોય છે, પરંતુ હવે પૂરતી તપાસ કરીને આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા સરકારી બાબુઓ સામે કાર્યવાહી શરૃ થતાં ભ્રષ્ટાચારી અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)એ આ પ્રકારે અનેક વિભાગોના સરકારી અધિકારી-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારનો ગુન્હો નોંધ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.