ગુજરાત ACBનો સપાટો, ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલ વસાવા સામે અપ્રમાણસર સંપત્તિનો ગુનો દાખલ


  • Published By :
  • Published Date : 2023-12-07 20:45:18

ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં વધી રહેલા ભ્રષ્ટાચારને લઈ ગુજરાત ACB એક્શનમાં આવી છે. રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓ સામે અપ્રમાણસર સંપત્તીની ફરિયાદો આવતા ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ તપાસ શરૂ કરી હતી. આ તપાસના ભાગરૂપે ACBએ રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલકુમાર ચતુરભાઈ વસાવા સામે ગુનો દાલખ કરી તેમની વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સ્થિત જુના સચિવાલયમાં ફરજ બજાવતા સુનીલકુમાર વસાવા પાસે રૂ. 88,84,982ની અપ્રમાણસર સંપત્તી હોવાનું સામે આવ્યું છે. 


પાટડીમાં હતા પ્રાંત અધિકારી 


રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલકુમાર ચતુરભાઈ વસાવા આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં વર્ગ-1 નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ગુજરાત ACBએ પગાર કરતા વધુ આવકના સ્ત્રોત અંગે તપાસ શરૂ કરતા સુનિલ કુમાર વસાવાની બેનામી સંપત્તીની જાણકારી મળી હતી. સુનિલ કુમાર વસાવાએ આટલી મોટી સંપત્તી કઈ રીતે ભેગી કરી તે તો પૂછપરછ બાદ જ જાણી શકાશે. 


અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ


ઉલ્લેખનિય છે કે સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના કિસ્સામાં સામાન્ય રીતે કોઈની ફરિયાદ આવે, ત્યારે છટકું ગોઠવીને એ.સી.બી. દ્વારા ભ્રષ્ટાચાર અંગેના ગુન્હાઓ નોંધાતા હોય છે, પરંતુ હવે પૂરતી તપાસ કરીને આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા સરકારી બાબુઓ સામે કાર્યવાહી શરૃ થતાં ભ્રષ્ટાચારી અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)એ આ પ્રકારે અનેક વિભાગોના સરકારી અધિકારી-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારનો ગુન્હો નોંધ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.