ગુજરાત ACBનો સપાટો, ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલ વસાવા સામે અપ્રમાણસર સંપત્તિનો ગુનો દાખલ


  • Published By :
  • Published Date : 2023-12-07 20:45:18

ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં વધી રહેલા ભ્રષ્ટાચારને લઈ ગુજરાત ACB એક્શનમાં આવી છે. રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓ સામે અપ્રમાણસર સંપત્તીની ફરિયાદો આવતા ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ તપાસ શરૂ કરી હતી. આ તપાસના ભાગરૂપે ACBએ રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલકુમાર ચતુરભાઈ વસાવા સામે ગુનો દાલખ કરી તેમની વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સ્થિત જુના સચિવાલયમાં ફરજ બજાવતા સુનીલકુમાર વસાવા પાસે રૂ. 88,84,982ની અપ્રમાણસર સંપત્તી હોવાનું સામે આવ્યું છે. 


પાટડીમાં હતા પ્રાંત અધિકારી 


રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલકુમાર ચતુરભાઈ વસાવા આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં વર્ગ-1 નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ગુજરાત ACBએ પગાર કરતા વધુ આવકના સ્ત્રોત અંગે તપાસ શરૂ કરતા સુનિલ કુમાર વસાવાની બેનામી સંપત્તીની જાણકારી મળી હતી. સુનિલ કુમાર વસાવાએ આટલી મોટી સંપત્તી કઈ રીતે ભેગી કરી તે તો પૂછપરછ બાદ જ જાણી શકાશે. 


અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ


ઉલ્લેખનિય છે કે સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના કિસ્સામાં સામાન્ય રીતે કોઈની ફરિયાદ આવે, ત્યારે છટકું ગોઠવીને એ.સી.બી. દ્વારા ભ્રષ્ટાચાર અંગેના ગુન્હાઓ નોંધાતા હોય છે, પરંતુ હવે પૂરતી તપાસ કરીને આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા સરકારી બાબુઓ સામે કાર્યવાહી શરૃ થતાં ભ્રષ્ટાચારી અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)એ આ પ્રકારે અનેક વિભાગોના સરકારી અધિકારી-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારનો ગુન્હો નોંધ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.