બ્રેકિંગ ન્યૂઝ! ગુજરાતના વહીવટીતંત્રમાં ભારેખમ ફેરફાર, રાજ્યના 109 જેટલા IAS અધિકારીઓની બદલી, જાણો કયા અધિકારીઓની બદલી અને બઢતી થઈ


  • Published By :
  • Published Date : 2023-03-31 19:45:32

ગુજરાતના વહીવટી તંત્રમાં ભારેખમ ફેરફાર કરવામાં આવી રહયા છે. આજે ગુજરાત રાજ્યના IAS 109 જેટલા અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને આજે સરકારે સત્તાવાર મહોર લગાવી છે. રાજ્યમાં 109 જેટલા IAS અધિકારીઓની બદલી બાદ હજુ પણ હજુ વધુ બદલીઓ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. 


આ IAS અધિકારીઓને મળી નવી જવાબદારી


મુકેશ પુરી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા

મુકેશ પૂરી નર્મદા સરોવર વિભાગના એમડી તરીકે રહેશે કાર્યરત

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી

સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા

એ.કે.રાકેશ ACS કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇકમલ દયાણી વહીવટી વિભાગનો વધારાનો ચાર્જ સંભાળશે

એસ જે હૈદરને ઉદ્યોગો અને માઈંસ વિભાગના અધિક મુખ્ય સચિવ

અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા

અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે.

રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી

પ્રભોવ જોશી રાજકોટનાનવા કલેક્ટર બન્યા 

વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર

રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ






આ અધિકારીઓની થઈ બદલી


ગુજરાતમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે. જ્યારે એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓની પ્રમોશન આપવામાં આવ્યું છે



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.