બ્રેકિંગ ન્યૂઝ! ગુજરાતના વહીવટીતંત્રમાં ભારેખમ ફેરફાર, રાજ્યના 109 જેટલા IAS અધિકારીઓની બદલી, જાણો કયા અધિકારીઓની બદલી અને બઢતી થઈ


  • Published By :
  • Published Date : 2023-03-31 19:45:32

ગુજરાતના વહીવટી તંત્રમાં ભારેખમ ફેરફાર કરવામાં આવી રહયા છે. આજે ગુજરાત રાજ્યના IAS 109 જેટલા અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને આજે સરકારે સત્તાવાર મહોર લગાવી છે. રાજ્યમાં 109 જેટલા IAS અધિકારીઓની બદલી બાદ હજુ પણ હજુ વધુ બદલીઓ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. 


આ IAS અધિકારીઓને મળી નવી જવાબદારી


મુકેશ પુરી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા

મુકેશ પૂરી નર્મદા સરોવર વિભાગના એમડી તરીકે રહેશે કાર્યરત

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી

સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા

એ.કે.રાકેશ ACS કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇકમલ દયાણી વહીવટી વિભાગનો વધારાનો ચાર્જ સંભાળશે

એસ જે હૈદરને ઉદ્યોગો અને માઈંસ વિભાગના અધિક મુખ્ય સચિવ

અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા

અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે.

રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી

પ્રભોવ જોશી રાજકોટનાનવા કલેક્ટર બન્યા 

વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર

રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ






આ અધિકારીઓની થઈ બદલી


ગુજરાતમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે. જ્યારે એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓની પ્રમોશન આપવામાં આવ્યું છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.