બ્રેકિંગ ન્યૂઝ! ગુજરાતના વહીવટીતંત્રમાં ભારેખમ ફેરફાર, રાજ્યના 109 જેટલા IAS અધિકારીઓની બદલી, જાણો કયા અધિકારીઓની બદલી અને બઢતી થઈ


  • Published By :
  • Published Date : 2023-03-31 19:45:32

ગુજરાતના વહીવટી તંત્રમાં ભારેખમ ફેરફાર કરવામાં આવી રહયા છે. આજે ગુજરાત રાજ્યના IAS 109 જેટલા અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને આજે સરકારે સત્તાવાર મહોર લગાવી છે. રાજ્યમાં 109 જેટલા IAS અધિકારીઓની બદલી બાદ હજુ પણ હજુ વધુ બદલીઓ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. 


આ IAS અધિકારીઓને મળી નવી જવાબદારી


મુકેશ પુરી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા

મુકેશ પૂરી નર્મદા સરોવર વિભાગના એમડી તરીકે રહેશે કાર્યરત

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી

સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા

એ.કે.રાકેશ ACS કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇકમલ દયાણી વહીવટી વિભાગનો વધારાનો ચાર્જ સંભાળશે

એસ જે હૈદરને ઉદ્યોગો અને માઈંસ વિભાગના અધિક મુખ્ય સચિવ

અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા

અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે.

રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી

પ્રભોવ જોશી રાજકોટનાનવા કલેક્ટર બન્યા 

વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર

રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ






આ અધિકારીઓની થઈ બદલી


ગુજરાતમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે. જ્યારે એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓની પ્રમોશન આપવામાં આવ્યું છે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.