Gujarat : માવઠાને કારણે થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન, જાણો ક્યારથી અપાશે સહાય?


  • Published By :
  • Published Date : 2023-12-05 15:52:13

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોને સહાચ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. ત્યારે સહાય મુદ્દે એક મોટી અપડેટ સામે આવી છે. તેમણે કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યું છે. સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવાશે.

Raghavji Patel, who came to BJP from Congress and became a 7-time MLA,  became a minister again, let's know his political journey | કોંગ્રેસમાંથી  ભાજપમાં આવેલા અને 7 વખત ધારાસભ્ય બનેલા રાઘવજી

રાઘવજી પટેલે સહાય અંગે આપ્યું મોટું નિવેદન

ખેડૂતોની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. કોઈ વખત વરસાદ ન થવાને કારણે તો કોઈ વખત વધારે વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત ખેડૂતોને પાકના પોષણસમા ભાવ નથી મળતા તો કોઈ વખત કમોસમી વરસાદ ખેડૂતોને બેહાલ કરી નાખે છે. આગામી દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને પારાવાર મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક રવિવારે પલટો આવ્યો હતો. કમોસમી વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. 

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી


માવઠાને કારણે પાકને મોટા પાયે થાય છે નુકસાન

ખેડૂતોને સહાય મળી રહે તે માટે ભાજપના જ ધારાસભ્યએ પત્ર લખ્યો હતો. ત્યારે સર્વે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. આ મામલે નિવેદન આપતા તેમણે કહ્યું કે કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાશે. હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે, એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે. મહત્વનું છે કે  વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર પાક પર પડે છે. પાકને મોટા પાયે નુકસાન થાય છે. ત્યારે આ સર્વેની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી આશા અને ખેડૂતોને સહાય જલ્દી મળે તેવી આશા છે.  



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.