Gujarat : માવઠાને કારણે થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન, જાણો ક્યારથી અપાશે સહાય?


  • Published By :
  • Published Date : 2023-12-05 15:52:13

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોને સહાચ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. ત્યારે સહાય મુદ્દે એક મોટી અપડેટ સામે આવી છે. તેમણે કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યું છે. સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવાશે.

Raghavji Patel, who came to BJP from Congress and became a 7-time MLA,  became a minister again, let's know his political journey | કોંગ્રેસમાંથી  ભાજપમાં આવેલા અને 7 વખત ધારાસભ્ય બનેલા રાઘવજી

રાઘવજી પટેલે સહાય અંગે આપ્યું મોટું નિવેદન

ખેડૂતોની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. કોઈ વખત વરસાદ ન થવાને કારણે તો કોઈ વખત વધારે વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત ખેડૂતોને પાકના પોષણસમા ભાવ નથી મળતા તો કોઈ વખત કમોસમી વરસાદ ખેડૂતોને બેહાલ કરી નાખે છે. આગામી દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને પારાવાર મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક રવિવારે પલટો આવ્યો હતો. કમોસમી વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. 

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી


માવઠાને કારણે પાકને મોટા પાયે થાય છે નુકસાન

ખેડૂતોને સહાય મળી રહે તે માટે ભાજપના જ ધારાસભ્યએ પત્ર લખ્યો હતો. ત્યારે સર્વે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. આ મામલે નિવેદન આપતા તેમણે કહ્યું કે કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાશે. હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે, એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે. મહત્વનું છે કે  વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર પાક પર પડે છે. પાકને મોટા પાયે નુકસાન થાય છે. ત્યારે આ સર્વેની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી આશા અને ખેડૂતોને સહાય જલ્દી મળે તેવી આશા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.