Gujarat : માવઠાને કારણે થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન, જાણો ક્યારથી અપાશે સહાય?


  • Published By :
  • Published Date : 2023-12-05 15:52:13

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોને સહાચ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. ત્યારે સહાય મુદ્દે એક મોટી અપડેટ સામે આવી છે. તેમણે કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યું છે. સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવાશે.

Raghavji Patel, who came to BJP from Congress and became a 7-time MLA,  became a minister again, let's know his political journey | કોંગ્રેસમાંથી  ભાજપમાં આવેલા અને 7 વખત ધારાસભ્ય બનેલા રાઘવજી

રાઘવજી પટેલે સહાય અંગે આપ્યું મોટું નિવેદન

ખેડૂતોની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. કોઈ વખત વરસાદ ન થવાને કારણે તો કોઈ વખત વધારે વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત ખેડૂતોને પાકના પોષણસમા ભાવ નથી મળતા તો કોઈ વખત કમોસમી વરસાદ ખેડૂતોને બેહાલ કરી નાખે છે. આગામી દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને પારાવાર મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક રવિવારે પલટો આવ્યો હતો. કમોસમી વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. 

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી


માવઠાને કારણે પાકને મોટા પાયે થાય છે નુકસાન

ખેડૂતોને સહાય મળી રહે તે માટે ભાજપના જ ધારાસભ્યએ પત્ર લખ્યો હતો. ત્યારે સર્વે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. આ મામલે નિવેદન આપતા તેમણે કહ્યું કે કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાશે. હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે, એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે. મહત્વનું છે કે  વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર પાક પર પડે છે. પાકને મોટા પાયે નુકસાન થાય છે. ત્યારે આ સર્વેની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી આશા અને ખેડૂતોને સહાય જલ્દી મળે તેવી આશા છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .