Gujarat : Corona caseમાં વધારો થતા AMC એક્ટિવ થઈ, AMC આરોગ્ય વિભાગે શરૂ કર્યા કોવિડ ટેસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-26 12:16:03

કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પણ કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં પણ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અમદાવાદમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં વધતા કોરોના કેસોને લઈ એએમસી વિભાગ એક્ટિવ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે.

કોરોના વાઇરસના એ ચાર નવા વૅરિયન્ટ જેનાથી ચેતવાની જરૂર છે - BBC News ગુજરાતી

ગુજરાતમાં સતત નોંધાઈ રહ્યા છે કોરોનાના કેસ 

એક સમય હતો જ્યારે કોરોનાના નામથી લોકો ડરી જતા હતા. કોરોના વાયરસને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. વચ્ચેનો સમય હતો જ્યારે કોરોના જતો રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવવાનો શરૂ કર્યો છે. દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના કેસો ફરી એક વખત નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસનો આંકડો 30ને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે ઉપરાંત ગાંધીનગરથી કોરોનાને લઈ સમાચાર આવ્યા છે.

Coronavirus (COVID-19) tests: Methods, availability, and accuracy

આ જગ્યાઓ પર કરાઈ ટેસ્ટ માટેની વ્યવસ્થા 

અમદાવાદમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાના 54 કેસ છે. અમદાવાદમાં કોરોના કેસ વધતા એએમસી એક્ટિવ મોડમાં આવી ગયું છે. સરકારી હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અસારવા સિવિલમાં પણ કોરોનાને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવી માહિતી પણ સામે આવી છે કે  AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિ દિન કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. 

વિશ્વમાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કરનાર દેશોમાં સામેલ ભારત, વ્હાઇટ હાઉસે  આપ્યું આ નિવેદન | World News in Gujarati

કેરળમાં નોંધાઈ રહ્યા છે સૌથી વધારે કોરોનાના કેસ 

મહત્વનું છે કે એક તરફ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. કેરળમાં તો સૌથી વધારે ખતરો છે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે એક તરફ ક્રિસમસ વેકેશનને લઈ લોકો ફરવા નીકળ્યા છે તો આગામી સમયમાં કોરોના કેસમાં વધારે ઉછાળો જોવા મળી શકે છે.  

ગુજરાતમાં નવા બે કોરોના કેસ આવતા હોસ્પિટલ સજ્જ | Sandesh


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.