Gujarat : Corona caseમાં વધારો થતા AMC એક્ટિવ થઈ, AMC આરોગ્ય વિભાગે શરૂ કર્યા કોવિડ ટેસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-26 12:16:03

કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પણ કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં પણ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અમદાવાદમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં વધતા કોરોના કેસોને લઈ એએમસી વિભાગ એક્ટિવ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે.

કોરોના વાઇરસના એ ચાર નવા વૅરિયન્ટ જેનાથી ચેતવાની જરૂર છે - BBC News ગુજરાતી

ગુજરાતમાં સતત નોંધાઈ રહ્યા છે કોરોનાના કેસ 

એક સમય હતો જ્યારે કોરોનાના નામથી લોકો ડરી જતા હતા. કોરોના વાયરસને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. વચ્ચેનો સમય હતો જ્યારે કોરોના જતો રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવવાનો શરૂ કર્યો છે. દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના કેસો ફરી એક વખત નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસનો આંકડો 30ને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે ઉપરાંત ગાંધીનગરથી કોરોનાને લઈ સમાચાર આવ્યા છે.

Coronavirus (COVID-19) tests: Methods, availability, and accuracy

આ જગ્યાઓ પર કરાઈ ટેસ્ટ માટેની વ્યવસ્થા 

અમદાવાદમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાના 54 કેસ છે. અમદાવાદમાં કોરોના કેસ વધતા એએમસી એક્ટિવ મોડમાં આવી ગયું છે. સરકારી હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અસારવા સિવિલમાં પણ કોરોનાને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવી માહિતી પણ સામે આવી છે કે  AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિ દિન કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. 

વિશ્વમાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કરનાર દેશોમાં સામેલ ભારત, વ્હાઇટ હાઉસે  આપ્યું આ નિવેદન | World News in Gujarati

કેરળમાં નોંધાઈ રહ્યા છે સૌથી વધારે કોરોનાના કેસ 

મહત્વનું છે કે એક તરફ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. કેરળમાં તો સૌથી વધારે ખતરો છે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે એક તરફ ક્રિસમસ વેકેશનને લઈ લોકો ફરવા નીકળ્યા છે તો આગામી સમયમાં કોરોના કેસમાં વધારે ઉછાળો જોવા મળી શકે છે.  

ગુજરાતમાં નવા બે કોરોના કેસ આવતા હોસ્પિટલ સજ્જ | Sandesh


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી