Gujarat : Corona caseમાં વધારો થતા AMC એક્ટિવ થઈ, AMC આરોગ્ય વિભાગે શરૂ કર્યા કોવિડ ટેસ્ટ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-26 12:16:03

કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પણ કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં પણ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અમદાવાદમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં વધતા કોરોના કેસોને લઈ એએમસી વિભાગ એક્ટિવ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે.

કોરોના વાઇરસના એ ચાર નવા વૅરિયન્ટ જેનાથી ચેતવાની જરૂર છે - BBC News ગુજરાતી

ગુજરાતમાં સતત નોંધાઈ રહ્યા છે કોરોનાના કેસ 

એક સમય હતો જ્યારે કોરોનાના નામથી લોકો ડરી જતા હતા. કોરોના વાયરસને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. વચ્ચેનો સમય હતો જ્યારે કોરોના જતો રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવવાનો શરૂ કર્યો છે. દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના કેસો ફરી એક વખત નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસનો આંકડો 30ને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે ઉપરાંત ગાંધીનગરથી કોરોનાને લઈ સમાચાર આવ્યા છે.

Coronavirus (COVID-19) tests: Methods, availability, and accuracy

આ જગ્યાઓ પર કરાઈ ટેસ્ટ માટેની વ્યવસ્થા 

અમદાવાદમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાના 54 કેસ છે. અમદાવાદમાં કોરોના કેસ વધતા એએમસી એક્ટિવ મોડમાં આવી ગયું છે. સરકારી હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અસારવા સિવિલમાં પણ કોરોનાને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવી માહિતી પણ સામે આવી છે કે  AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિ દિન કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. 

વિશ્વમાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કરનાર દેશોમાં સામેલ ભારત, વ્હાઇટ હાઉસે  આપ્યું આ નિવેદન | World News in Gujarati

કેરળમાં નોંધાઈ રહ્યા છે સૌથી વધારે કોરોનાના કેસ 

મહત્વનું છે કે એક તરફ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. કેરળમાં તો સૌથી વધારે ખતરો છે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે એક તરફ ક્રિસમસ વેકેશનને લઈ લોકો ફરવા નીકળ્યા છે તો આગામી સમયમાં કોરોના કેસમાં વધારે ઉછાળો જોવા મળી શકે છે.  

ગુજરાતમાં નવા બે કોરોના કેસ આવતા હોસ્પિટલ સજ્જ | Sandesh


આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.