Gujarat: Valsad અને છોટા ઉદેપુરમાં Amit Shahએ સંબોધી જનસભા, Congress પર કર્યા આકરા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-04 16:45:59

ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે.. પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે... ત્યારે ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે હતા.. છોટા ઉદેપુરમાં તેમજ વલસાડમાં અમિત શાહે પ્રચાર કર્યો હતો.. વલસાડમાં ધવલ પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.. પોતાના ભાષણમાં તેમણે અનેક બાબતોની ચર્ચા કરી હતી ઉપરાંત કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

બે જગ્યાઓ પર અમિત શાહે જનસભા સંબોધી! 

સાતમી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે.. ગુજરાતમાં છેલ્લી ઘડીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાત હતા અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચાર માટે હતા.. રાજકીય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં અમિત શાહે જનસભાને સંબોધી હતી.. ભાજપના ઉમેદવારને વોટ આપવા માટે અપીલ કરી હતી.. ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન તેમજ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા..


રામ મંદિરનો પોતાના સંબોધનમાં કર્યો ઉલ્લેખ! 

પોતાના સંબોધનમાં અમિત શાહે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.. તેમણે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરના મુદ્દાને લટકાવી રાખ્યો હતો.. મોદી સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામને ઘરમાં સ્થાન આપ્યું છે.. તે સિવાય તેમણે કહ્યું કે 70 વર્ષથી કોંગ્રેસ પાર્ટી કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નહોતી બનાવતી. નરેન્દ્રભાઈએ પહેલીવાર ઓડિશાના ગરીબ ઘરની આદિવાસી દીકરી, બેન દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ કર્યું છે..


અનેક મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરી!

 તે સિવાય કોંગ્રેસ પર પણ તેમણે પ્રહારો કર્યા હતા.. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ એટલે જુઠ્ઠાણાનું કારખાનું કોઈ દિવસ સાચું ના બોલે.. તે સિવાય તેમણે કહ્યું કે રાહુલબાબા જુઠ્ઠાણાં ફેલાવવાનું બંધ કરો, SC,STઅને બક્ષીપંચની અનામત પર કોઈએ લૂંટ મારી હોય તો કોંગ્રેસ પાર્ટીએ કરી છે. તે સિવાય તેમણે કહ્યું કે રાહુલબાબાને ખબર પડી કે આખા દેશે રસી મૂકાવી છે તો એકદિવસ રાતના અંધારામાં ભાઈ બહેન બંને જઈ રસી મૂકાઈ આવ્યા.  તે સિવાય તેમણે કહ્યું કે આદિવાસીઓના કલ્યાણનું કામ માત્ર ભાજપ સરકારે કર્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે..



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.