Gujarat: Valsad અને છોટા ઉદેપુરમાં Amit Shahએ સંબોધી જનસભા, Congress પર કર્યા આકરા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-04 16:45:59

ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે.. પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે... ત્યારે ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે હતા.. છોટા ઉદેપુરમાં તેમજ વલસાડમાં અમિત શાહે પ્રચાર કર્યો હતો.. વલસાડમાં ધવલ પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.. પોતાના ભાષણમાં તેમણે અનેક બાબતોની ચર્ચા કરી હતી ઉપરાંત કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

બે જગ્યાઓ પર અમિત શાહે જનસભા સંબોધી! 

સાતમી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે.. ગુજરાતમાં છેલ્લી ઘડીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાત હતા અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચાર માટે હતા.. રાજકીય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં અમિત શાહે જનસભાને સંબોધી હતી.. ભાજપના ઉમેદવારને વોટ આપવા માટે અપીલ કરી હતી.. ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન તેમજ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા..


રામ મંદિરનો પોતાના સંબોધનમાં કર્યો ઉલ્લેખ! 

પોતાના સંબોધનમાં અમિત શાહે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.. તેમણે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરના મુદ્દાને લટકાવી રાખ્યો હતો.. મોદી સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામને ઘરમાં સ્થાન આપ્યું છે.. તે સિવાય તેમણે કહ્યું કે 70 વર્ષથી કોંગ્રેસ પાર્ટી કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નહોતી બનાવતી. નરેન્દ્રભાઈએ પહેલીવાર ઓડિશાના ગરીબ ઘરની આદિવાસી દીકરી, બેન દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ કર્યું છે..


અનેક મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરી!

 તે સિવાય કોંગ્રેસ પર પણ તેમણે પ્રહારો કર્યા હતા.. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ એટલે જુઠ્ઠાણાનું કારખાનું કોઈ દિવસ સાચું ના બોલે.. તે સિવાય તેમણે કહ્યું કે રાહુલબાબા જુઠ્ઠાણાં ફેલાવવાનું બંધ કરો, SC,STઅને બક્ષીપંચની અનામત પર કોઈએ લૂંટ મારી હોય તો કોંગ્રેસ પાર્ટીએ કરી છે. તે સિવાય તેમણે કહ્યું કે રાહુલબાબાને ખબર પડી કે આખા દેશે રસી મૂકાવી છે તો એકદિવસ રાતના અંધારામાં ભાઈ બહેન બંને જઈ રસી મૂકાઈ આવ્યા.  તે સિવાય તેમણે કહ્યું કે આદિવાસીઓના કલ્યાણનું કામ માત્ર ભાજપ સરકારે કર્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે..



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .