Gujarat: Valsad અને છોટા ઉદેપુરમાં Amit Shahએ સંબોધી જનસભા, Congress પર કર્યા આકરા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-04 16:45:59

ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે.. પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે... ત્યારે ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે હતા.. છોટા ઉદેપુરમાં તેમજ વલસાડમાં અમિત શાહે પ્રચાર કર્યો હતો.. વલસાડમાં ધવલ પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.. પોતાના ભાષણમાં તેમણે અનેક બાબતોની ચર્ચા કરી હતી ઉપરાંત કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

બે જગ્યાઓ પર અમિત શાહે જનસભા સંબોધી! 

સાતમી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે.. ગુજરાતમાં છેલ્લી ઘડીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાત હતા અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચાર માટે હતા.. રાજકીય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં અમિત શાહે જનસભાને સંબોધી હતી.. ભાજપના ઉમેદવારને વોટ આપવા માટે અપીલ કરી હતી.. ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન તેમજ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા..


રામ મંદિરનો પોતાના સંબોધનમાં કર્યો ઉલ્લેખ! 

પોતાના સંબોધનમાં અમિત શાહે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.. તેમણે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરના મુદ્દાને લટકાવી રાખ્યો હતો.. મોદી સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામને ઘરમાં સ્થાન આપ્યું છે.. તે સિવાય તેમણે કહ્યું કે 70 વર્ષથી કોંગ્રેસ પાર્ટી કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નહોતી બનાવતી. નરેન્દ્રભાઈએ પહેલીવાર ઓડિશાના ગરીબ ઘરની આદિવાસી દીકરી, બેન દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ કર્યું છે..


અનેક મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરી!

 તે સિવાય કોંગ્રેસ પર પણ તેમણે પ્રહારો કર્યા હતા.. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ એટલે જુઠ્ઠાણાનું કારખાનું કોઈ દિવસ સાચું ના બોલે.. તે સિવાય તેમણે કહ્યું કે રાહુલબાબા જુઠ્ઠાણાં ફેલાવવાનું બંધ કરો, SC,STઅને બક્ષીપંચની અનામત પર કોઈએ લૂંટ મારી હોય તો કોંગ્રેસ પાર્ટીએ કરી છે. તે સિવાય તેમણે કહ્યું કે રાહુલબાબાને ખબર પડી કે આખા દેશે રસી મૂકાવી છે તો એકદિવસ રાતના અંધારામાં ભાઈ બહેન બંને જઈ રસી મૂકાઈ આવ્યા.  તે સિવાય તેમણે કહ્યું કે આદિવાસીઓના કલ્યાણનું કામ માત્ર ભાજપ સરકારે કર્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે..



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.