Gujarat: Valsad અને છોટા ઉદેપુરમાં Amit Shahએ સંબોધી જનસભા, Congress પર કર્યા આકરા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-04 16:45:59

ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે.. પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે... ત્યારે ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે હતા.. છોટા ઉદેપુરમાં તેમજ વલસાડમાં અમિત શાહે પ્રચાર કર્યો હતો.. વલસાડમાં ધવલ પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.. પોતાના ભાષણમાં તેમણે અનેક બાબતોની ચર્ચા કરી હતી ઉપરાંત કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

બે જગ્યાઓ પર અમિત શાહે જનસભા સંબોધી! 

સાતમી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે.. ગુજરાતમાં છેલ્લી ઘડીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાત હતા અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચાર માટે હતા.. રાજકીય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં અમિત શાહે જનસભાને સંબોધી હતી.. ભાજપના ઉમેદવારને વોટ આપવા માટે અપીલ કરી હતી.. ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન તેમજ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા..


રામ મંદિરનો પોતાના સંબોધનમાં કર્યો ઉલ્લેખ! 

પોતાના સંબોધનમાં અમિત શાહે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.. તેમણે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરના મુદ્દાને લટકાવી રાખ્યો હતો.. મોદી સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામને ઘરમાં સ્થાન આપ્યું છે.. તે સિવાય તેમણે કહ્યું કે 70 વર્ષથી કોંગ્રેસ પાર્ટી કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નહોતી બનાવતી. નરેન્દ્રભાઈએ પહેલીવાર ઓડિશાના ગરીબ ઘરની આદિવાસી દીકરી, બેન દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ કર્યું છે..


અનેક મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરી!

 તે સિવાય કોંગ્રેસ પર પણ તેમણે પ્રહારો કર્યા હતા.. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ એટલે જુઠ્ઠાણાનું કારખાનું કોઈ દિવસ સાચું ના બોલે.. તે સિવાય તેમણે કહ્યું કે રાહુલબાબા જુઠ્ઠાણાં ફેલાવવાનું બંધ કરો, SC,STઅને બક્ષીપંચની અનામત પર કોઈએ લૂંટ મારી હોય તો કોંગ્રેસ પાર્ટીએ કરી છે. તે સિવાય તેમણે કહ્યું કે રાહુલબાબાને ખબર પડી કે આખા દેશે રસી મૂકાવી છે તો એકદિવસ રાતના અંધારામાં ભાઈ બહેન બંને જઈ રસી મૂકાઈ આવ્યા.  તે સિવાય તેમણે કહ્યું કે આદિવાસીઓના કલ્યાણનું કામ માત્ર ભાજપ સરકારે કર્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે..



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .