રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા લાંચિયા અધિકારીઓ આવ્યા ACBના સકંજામાં, કેટલા થયા ફરાર? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 14:35:25

રાજયના લગભગ તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી ઓફિસોમાં લાંચ આપ્યા વિના સામાન્ય માણસનું કોઈ કામ થતું નથી. ACBના તમામ પ્રયત્નો છતાં રાજ્યમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય સરકારે આજે વિધાનસભામાં આવેલી જાણકારી દ્વારા પણ આ સત્ય સામે આવ્યું છે. 


ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યો સવાલ


રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે સરકારને ભ્રષ્ટ અધિકારીઓ સામે કરાયેલી કાર્યવાહી અંગે સવાલ પુછ્યો હતો. તેમણે પ્રશ્ન પુછ્યો કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યની એસીબી દ્વારા વર્ગ 1,2,3ના અધિકારીઓ સામે કેલા ગુના નોધવામાં આવ્યા હતા. ગુના આધારે આરોપીઓની કુલ સંખ્યા કેટલી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં ACB દ્વારા કેટલાં ગુનેગારો હજુ પકડાયા નથી તે અંગે પણ પેટા પ્રશ્ન કર્યો હતો.


સરકારે આપ્યો આ જવાબ


ધારાસભ્ય ચિરાગ પટેલના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે સરકારી કચેરીમાં ફરજ બજાવતા વર્ષ 1 થી માંડિને વર્ષ 4 સુધીના કર્મચારી અને અધિકારીઓ સામે લાંચ રુશ્વત વિભાગની કામગીરી અંગેની જાણકારી આપી હતી.સરકારે જણાવ્યુ હતું કે, વર્ષ 2021માં 173 ગુનાઓ નોધવામાં આવ્યા જેમાં કુલ 287 આરોપી સામે ગુનો નોધવામાં આવ્યો હતો. વર્ષ 2022માં 176 ગુનાઓ નોધવામાં આવ્યા જેમાં કુલ 254 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો. બે વર્ષમાં ACB દ્વારા 31 આરોપીઓને પકડવાના બાકી છે. ACB દ્વારા બે વર્ષમાં વર્ગ-1 ના 17 અને વર્ગ-2ના 58 વર્ગ-3ના 259 કર્મચારીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ગ 4ના 14 અને 192 વચેટિયા સામે ગુનો નોધવામાં આવ્યો છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.