રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા લાંચિયા અધિકારીઓ આવ્યા ACBના સકંજામાં, કેટલા થયા ફરાર? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 14:35:25

રાજયના લગભગ તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી ઓફિસોમાં લાંચ આપ્યા વિના સામાન્ય માણસનું કોઈ કામ થતું નથી. ACBના તમામ પ્રયત્નો છતાં રાજ્યમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય સરકારે આજે વિધાનસભામાં આવેલી જાણકારી દ્વારા પણ આ સત્ય સામે આવ્યું છે. 


ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યો સવાલ


રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે સરકારને ભ્રષ્ટ અધિકારીઓ સામે કરાયેલી કાર્યવાહી અંગે સવાલ પુછ્યો હતો. તેમણે પ્રશ્ન પુછ્યો કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યની એસીબી દ્વારા વર્ગ 1,2,3ના અધિકારીઓ સામે કેલા ગુના નોધવામાં આવ્યા હતા. ગુના આધારે આરોપીઓની કુલ સંખ્યા કેટલી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં ACB દ્વારા કેટલાં ગુનેગારો હજુ પકડાયા નથી તે અંગે પણ પેટા પ્રશ્ન કર્યો હતો.


સરકારે આપ્યો આ જવાબ


ધારાસભ્ય ચિરાગ પટેલના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે સરકારી કચેરીમાં ફરજ બજાવતા વર્ષ 1 થી માંડિને વર્ષ 4 સુધીના કર્મચારી અને અધિકારીઓ સામે લાંચ રુશ્વત વિભાગની કામગીરી અંગેની જાણકારી આપી હતી.સરકારે જણાવ્યુ હતું કે, વર્ષ 2021માં 173 ગુનાઓ નોધવામાં આવ્યા જેમાં કુલ 287 આરોપી સામે ગુનો નોધવામાં આવ્યો હતો. વર્ષ 2022માં 176 ગુનાઓ નોધવામાં આવ્યા જેમાં કુલ 254 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો. બે વર્ષમાં ACB દ્વારા 31 આરોપીઓને પકડવાના બાકી છે. ACB દ્વારા બે વર્ષમાં વર્ગ-1 ના 17 અને વર્ગ-2ના 58 વર્ગ-3ના 259 કર્મચારીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ગ 4ના 14 અને 192 વચેટિયા સામે ગુનો નોધવામાં આવ્યો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે