Gujarat Assembly By election : Loksabha Election 2024ના પરિણામો કરતા પેટાચૂંટણીના પરિણામોમાં અમુક નેતાઓને શા માટે છે વધારે રસ?


  • Published By :
  • Published Date : 2024-05-25 14:14:12

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે, અને દેશભરમાં 5 તબક્કાનું મતદાન પુરુ થઈ ચૂક્યુ છે અને આજે છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલી તારીખે પૂર્ણ થઈ જશે. 4 મેના રોજ ઈવીએમ ખુલશે, મતગણતરી થશે અને કોણ ક્યાંથી જીત્યું તેની ખરબ પડશે. લોકસભાની ચૂંટણી સાથે સાથે પેટા ચૂંટણીનું પરિણામ પણ આવવાનું છે. પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.. આ પેટા ચૂંટણીના પરિણામ પર ભાજપના નેતાઓને વધારે રસ છે કારણે કે આ પરિણામો ગુજરાત સરકારના મંત્રી મંડળના વિસ્તરણનું ભાવી નક્કી કરી શકે છે.. 

ચોથી જૂને આવશે પેટા ચૂંટણીનું પરિણામ 

2022માં વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના ગમતા ઉમેદવારને જીતાડ્યા. પરંતુ અચાનક એક બાદ એક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપતા પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. ખંભાત, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને માણાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. આ પેટા ચૂંટણીનું પરિણામ પણ 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામની સાથે જ જાહેર થશે. આ પરિણામનો ગુજરાત ભાજપ અને આ ચૂંટણી લડતાં બે ઉમેદવારને ખાસ ઇંતેજાર છે. ઈંતેજારી એટલા માટે કારણ કે પરિણામ આવ્યા બાદ તેમને ગુજરાત સરકારનું મંત્રી પદ મળી શકે એમ છે. ઉમેદવારોની વાત કરીએ તો ભાજપે વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઇ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઇ ગોહિલને પેટાચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.....



ભાજપે ગુજરાતમાં જીતી રેકોર્ડ બ્રેક સીટ

 વિઘાનસભા બેઠકની તમામ 5 બેઠકો જીતવા માટે પણ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ કમર કસી છે. 182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કૉંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કૉંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે.... 


આ બે નેતાઓને મંત્રી પદનું વચન આપ્યું હોવાની ચર્ચા!

ગુજરાતમાં થોડા સમય પહેલા પક્ષ પલટાની મૌસમ આવી હતી.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા... પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓને કારણે ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થઈ ગયો. હવે ખરી લડાઈ કોંગ્રેસમાં નહીં પણ ભાજપમાં લડાવાની છે. આગામી દિવસોમાં સૌથી ખરાબ સ્થિતિ ભાજપમાં હશે... ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે નેતા અર્જુન  મોઢવાડિયા અને સી. જે. ચાવડાને ભાજપે મંત્રી પદનું વચન આપ્યાની ચર્ચા ગુજરાતના રાજકારણમાં અને નિષ્ણાંતોમાં છે.. આથી જો આ બંને ઉમેદવારો જીતે તો તેમને મંત્રી બનવાની ઉતાવળ હોય તે સમજી શકાય તેમ છે... 



લોકસભાની ચૂંટણી કરતા વિધાનસભાની પેટા ચૂંટણીમાં રસ 

અર્જુન  મોઢવાડિયા પોરબંદરથી અને સી. જે. ચાવડા વિજાપુરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા છે....આથી આ બંને નેતાને લોકસભાના પરિણામ કરતાં વિધાનસભાના પરિણામમાં વધુ રસ હોય તે સમજી શકાય છે. આવી જ રીતે ભાજપના અન્ય ધારાસભ્યો અને કાર્યકરોને પણ આ પરિણામનો વધુ ઇંતેજાર એટલા માટે છે કે મોઢવાડિયા અને ચાવડાને જો મંત્રી બનાવે તો મંત્રી મંડળનું વિસ્તરણ કરવું પડે અથવા તો હાલના કોઈ મંત્રીને પડતા મૂકવા પડે. અને જો વિસ્તરણ થાય તો અન્ય ધારાસભ્યોને પણ મંત્રી પદની લોટરી લાગી શકે છે. આથી ધારાસભ્યો અને તેમના સમર્થકો ચૂંટણીના પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, કે ક્યારે પરિણામ આવે અને ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય.


મંત્રીમંડળમાં હજી સુધી નથી કરવામાં આવ્યા મોટા ફેરફાર 

એક ચર્ચા એવી પણ છે કે ગુજરાતમાં 2022માં જ્યારે ચૂંટણી થઈ તેના પછી ખૂબ જ મર્યાદિત સંખ્યાનું મંત્રીમંડળ રાખવામાં આવ્યું છે. અને પછી ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા હતી. જો કે હજી સુધી તો મંત્રીમંડળમાં ખાસ ફેરફાર થયા નથી.. ત્યારે જોવાનું એ રહ્યું કે 2022માં મંત્રી પદની ગાડી ચૂકી ગયેલા કયા ધારાસભ્યો આ વખતે નસીબદાર પૂરવાર થાય છે... 


ક્યાં કેટલું થયું હતું મતદાન? 

સૌથી ચોંકાવનારો આંકડો વાઘોડિયા વિધાનસભાનો સામે આવ્યો છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીનું સરેરાશ મતદાન 62.48 ટકા જેટલુ નોંધાયુ છે. આમાં સૌથી વધુ વાઘોડીયા બેઠક પર 70.20 ટકા મતદાન નોંધાયુ છે. આ ઉપરાંત અન્ય બેઠકોની વાત કરીએ તો વિજાપુર વિધાનસભા બેઠક પર 64.04 ટકા મતદાન થયું, ખંભાત વિધાનસભા બેઠક પર 66.28 ટકા મતદાન થયુ, પોરબંદર વિધાનસભા બેઠક પર 57.99 ટકા મતદાન થયુ અને માણાવદર વિધાનસભા બેઠક પર 53.93 ટકા મતદાન નોંધાયુ હતુ. ..હવે તમે પણ કોમેન્ટ કરો કે તમને શું લાગે છે પેટાચૂંટણીમાં કોણ બાજી મારશે.?



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.