રાજ્યની આ વિધાનસભા સીટ પર છે મહિલાઓનો દબદબો, કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું છે પ્રભુત્વ


  • Published By :
  • Published Date : 2022-11-29 12:07:55

ગુજરાત ચૂંટણીને લઈ રાજકીય પંડિતો જાતિ  સમીકરણોનું ઘણું વિષ્લેષણ કરે છે પરંતુ મહિલાઓની સંખ્યા અને તેમના મતો અંગે કોઈ ખાસ ગંભીર ચર્ચા સાંભળવા મળતી નથી. આપણા સમાજ સામાન્ય રીતે મહિલાઓ વિશે એવી માન્યતા છે કે દેશમાં મહિલાઓ તેમના પરિવારના વડીલના આદેશ પ્રમાણે મતદાન કરતી હોય છે. જો કે હવે હવે તેવું રહ્યું નથી મહિલાઓ પણ મતદાનને લઈ સ્વતંત્ર નિર્ણય લેતી થઈ છે.


મહિલાઓની બહુમતીવાળી સીટ


ગુજરાતની એક વિધાનસભાની સીટ એવી છે જ્યાં મહિલાઓની બહુમતી છે. જેમ કે નવસારી જીલ્લામાં આવેલા ચાર તાલુકા નવસારી જલાલપોર વાંસદા અને ગણદેવી તાલુકામાંથી વાંસદા તાલુકો એવો છે જેમાં હાલમાં જે વિધાનસભાની ચુંટણી માટે મતદારોની ગણતરી કરવામાં આવી હતી તેમાં પુરુષ અને મહિલા મતદારો માંથી મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતા અંદાજીત 5 હજાર વધુ નોંધાઈ છે. વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99  લાખ મતદારો નોંધાયા છે જેમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ નોંધાઈ છે. આદિવાસી વિસ્તારોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ હોવાનું એ આદિવાસી સમાજ પ્રયાસોનું જ પરિણામ માનવામાં આવે છે.


વાસદામાં કેટલી મહિલા મતદારો


વાંસદા તાલુકામાં સ્ત્રીઓનું મહત્વ અને દેખરેખ અને તેમના કલ્યાણ માટેના કર્યો થતા હોવાની વાત સામેં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર નવસારી જિલ્લામાં 10, 78, 260 મતદારો નોંધાયા છે. જેમાં જલાલપુર તાલુકામાં 2.36 લાખ, નવસારી તાલુકામા 2.49 લાખ, ગણદેવી તાલુકામાં 2.92 લાખ, અને વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99 લાખ મતદારો નોંધાયા છે. જેમાં વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં 1,47,146 પુરૂસોની સામે 1,52,399 મહિલા મતદારો છે. જ્યાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે પાંચ હાજર થી વધુ મહિલા મતદાર વાંસદા તાલુકામાં નોંધાયા છે. જે આદિવાસી વિસ્તાર અને ST બેઠક માટે નિર્ણાયક મતદારો સાબિત થશે.


કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના પિયુષ પટેલ 


વાંસદા વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ગત 2017ની ચૂંટણીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ 19 હજારની લીડથી જીત્યા હતા. હવે જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અનંત પટેલ સામે ભાજપે કોંગ્રેસના યુવા નેતા સામે શિક્ષિત, સરકારી વહીવટી અધિકારી અને યુવા પિયુષ પટેલ ઉપર પસંદગી ઉતારી એક નવો દાવ ખેલ્યો છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .