રાજ્યની આ વિધાનસભા સીટ પર છે મહિલાઓનો દબદબો, કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું છે પ્રભુત્વ


  • Published By :
  • Published Date : 2022-11-29 12:07:55

ગુજરાત ચૂંટણીને લઈ રાજકીય પંડિતો જાતિ  સમીકરણોનું ઘણું વિષ્લેષણ કરે છે પરંતુ મહિલાઓની સંખ્યા અને તેમના મતો અંગે કોઈ ખાસ ગંભીર ચર્ચા સાંભળવા મળતી નથી. આપણા સમાજ સામાન્ય રીતે મહિલાઓ વિશે એવી માન્યતા છે કે દેશમાં મહિલાઓ તેમના પરિવારના વડીલના આદેશ પ્રમાણે મતદાન કરતી હોય છે. જો કે હવે હવે તેવું રહ્યું નથી મહિલાઓ પણ મતદાનને લઈ સ્વતંત્ર નિર્ણય લેતી થઈ છે.


મહિલાઓની બહુમતીવાળી સીટ


ગુજરાતની એક વિધાનસભાની સીટ એવી છે જ્યાં મહિલાઓની બહુમતી છે. જેમ કે નવસારી જીલ્લામાં આવેલા ચાર તાલુકા નવસારી જલાલપોર વાંસદા અને ગણદેવી તાલુકામાંથી વાંસદા તાલુકો એવો છે જેમાં હાલમાં જે વિધાનસભાની ચુંટણી માટે મતદારોની ગણતરી કરવામાં આવી હતી તેમાં પુરુષ અને મહિલા મતદારો માંથી મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતા અંદાજીત 5 હજાર વધુ નોંધાઈ છે. વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99  લાખ મતદારો નોંધાયા છે જેમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ નોંધાઈ છે. આદિવાસી વિસ્તારોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ હોવાનું એ આદિવાસી સમાજ પ્રયાસોનું જ પરિણામ માનવામાં આવે છે.


વાસદામાં કેટલી મહિલા મતદારો


વાંસદા તાલુકામાં સ્ત્રીઓનું મહત્વ અને દેખરેખ અને તેમના કલ્યાણ માટેના કર્યો થતા હોવાની વાત સામેં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર નવસારી જિલ્લામાં 10, 78, 260 મતદારો નોંધાયા છે. જેમાં જલાલપુર તાલુકામાં 2.36 લાખ, નવસારી તાલુકામા 2.49 લાખ, ગણદેવી તાલુકામાં 2.92 લાખ, અને વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99 લાખ મતદારો નોંધાયા છે. જેમાં વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં 1,47,146 પુરૂસોની સામે 1,52,399 મહિલા મતદારો છે. જ્યાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે પાંચ હાજર થી વધુ મહિલા મતદાર વાંસદા તાલુકામાં નોંધાયા છે. જે આદિવાસી વિસ્તાર અને ST બેઠક માટે નિર્ણાયક મતદારો સાબિત થશે.


કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના પિયુષ પટેલ 


વાંસદા વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ગત 2017ની ચૂંટણીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ 19 હજારની લીડથી જીત્યા હતા. હવે જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અનંત પટેલ સામે ભાજપે કોંગ્રેસના યુવા નેતા સામે શિક્ષિત, સરકારી વહીવટી અધિકારી અને યુવા પિયુષ પટેલ ઉપર પસંદગી ઉતારી એક નવો દાવ ખેલ્યો છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .