વિધાનસભાની ચૂંટણીમાં NOTAના કારણે ભાજપને ફટકો, 4 ઉમેદારોની જીત હારમાં ફેરવાઈ


  • Published By :
  • Published Date : 2022-12-09 20:26:29

દરેક વિધાનસભાની ચૂંટણી બાદ ચૂંટણી સમીક્ષકો દરેક પાર્ટીને મળેલા વોટ શેર અને NOTAને મળેલા મત અંગે ચોક્કસ ચર્ચા કરે છે. આ વખતે ભાજપની ઐતિહાસિક જીત થઈ છે, ભાજપે 156 બેઠકો જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપનો વોટશેર પણ 50 ટકાથી પણ વધુ છે. જો કે નિષ્ણાતોના કહેવા પ્રમાણે નોટાના કારણે ભાજપને આ વખતે સૌથી વધુ નુકસાન થયું છે. 


ભાજપને NOTAથી ફટકો


EVM મશીનમાં રહેલું  NOTA (None of the Above)નું બટન ખુબ મહત્વનું છે. જો કે રાજકીય પક્ષોના નેતાઓને તેનાથી ઘણી વખત નુકસાન થતું હોય છે. નોટાના કારણે નેતાઓની જીત, હારમાં ફેરવાઈ જતી હોય છે. જેમ  કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચાર ઉમેદવારોની જીત હારમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ ઉમેદવારોમાં ખેડબ્રહ્મા સીટથી ભાજપના ઉમેદવાર અશ્લિન કોટવાલ, સોમનાથથી મોહન સિંહ પરમાર, ચાણસ્માથી દિલીપ ઠોકોર, અને દસાડાથી પી કે પરમારનો સમાવેશ થાય છે.  ભાજપના ચારેય ઉમેદવારોની પાતળી સરસાઈથી હાર થઈ છે, એટલે કે ભાજપના હારેલા ઉમેદવારોને જે માર્જિન મળ્યું છે તેનાથી વધારે મત તો નોટાને મળ્યા છે. જો નોટાના આ મત ભાજપની તરફેણમાં પડ્યા હોત તો ભાજપના ઉમેદવારો સરળતાથી ચૂંટણી જીતી ગયા હોત અને ભાજપે પણ 156ને બદલે 160 સીટ જીતવાનો રેકોર્ડ બન્યો હોત.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.