વિધાનસભાની ચૂંટણીમાં NOTAના કારણે ભાજપને ફટકો, 4 ઉમેદારોની જીત હારમાં ફેરવાઈ


  • Published By :
  • Published Date : 2022-12-09 20:26:29

દરેક વિધાનસભાની ચૂંટણી બાદ ચૂંટણી સમીક્ષકો દરેક પાર્ટીને મળેલા વોટ શેર અને NOTAને મળેલા મત અંગે ચોક્કસ ચર્ચા કરે છે. આ વખતે ભાજપની ઐતિહાસિક જીત થઈ છે, ભાજપે 156 બેઠકો જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપનો વોટશેર પણ 50 ટકાથી પણ વધુ છે. જો કે નિષ્ણાતોના કહેવા પ્રમાણે નોટાના કારણે ભાજપને આ વખતે સૌથી વધુ નુકસાન થયું છે. 


ભાજપને NOTAથી ફટકો


EVM મશીનમાં રહેલું  NOTA (None of the Above)નું બટન ખુબ મહત્વનું છે. જો કે રાજકીય પક્ષોના નેતાઓને તેનાથી ઘણી વખત નુકસાન થતું હોય છે. નોટાના કારણે નેતાઓની જીત, હારમાં ફેરવાઈ જતી હોય છે. જેમ  કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચાર ઉમેદવારોની જીત હારમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ ઉમેદવારોમાં ખેડબ્રહ્મા સીટથી ભાજપના ઉમેદવાર અશ્લિન કોટવાલ, સોમનાથથી મોહન સિંહ પરમાર, ચાણસ્માથી દિલીપ ઠોકોર, અને દસાડાથી પી કે પરમારનો સમાવેશ થાય છે.  ભાજપના ચારેય ઉમેદવારોની પાતળી સરસાઈથી હાર થઈ છે, એટલે કે ભાજપના હારેલા ઉમેદવારોને જે માર્જિન મળ્યું છે તેનાથી વધારે મત તો નોટાને મળ્યા છે. જો નોટાના આ મત ભાજપની તરફેણમાં પડ્યા હોત તો ભાજપના ઉમેદવારો સરળતાથી ચૂંટણી જીતી ગયા હોત અને ભાજપે પણ 156ને બદલે 160 સીટ જીતવાનો રેકોર્ડ બન્યો હોત.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .