વિધાનસભાની ચૂંટણીમાં NOTAના કારણે ભાજપને ફટકો, 4 ઉમેદારોની જીત હારમાં ફેરવાઈ


  • Published By :
  • Published Date : 2022-12-09 20:26:29

દરેક વિધાનસભાની ચૂંટણી બાદ ચૂંટણી સમીક્ષકો દરેક પાર્ટીને મળેલા વોટ શેર અને NOTAને મળેલા મત અંગે ચોક્કસ ચર્ચા કરે છે. આ વખતે ભાજપની ઐતિહાસિક જીત થઈ છે, ભાજપે 156 બેઠકો જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપનો વોટશેર પણ 50 ટકાથી પણ વધુ છે. જો કે નિષ્ણાતોના કહેવા પ્રમાણે નોટાના કારણે ભાજપને આ વખતે સૌથી વધુ નુકસાન થયું છે. 


ભાજપને NOTAથી ફટકો


EVM મશીનમાં રહેલું  NOTA (None of the Above)નું બટન ખુબ મહત્વનું છે. જો કે રાજકીય પક્ષોના નેતાઓને તેનાથી ઘણી વખત નુકસાન થતું હોય છે. નોટાના કારણે નેતાઓની જીત, હારમાં ફેરવાઈ જતી હોય છે. જેમ  કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચાર ઉમેદવારોની જીત હારમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ ઉમેદવારોમાં ખેડબ્રહ્મા સીટથી ભાજપના ઉમેદવાર અશ્લિન કોટવાલ, સોમનાથથી મોહન સિંહ પરમાર, ચાણસ્માથી દિલીપ ઠોકોર, અને દસાડાથી પી કે પરમારનો સમાવેશ થાય છે.  ભાજપના ચારેય ઉમેદવારોની પાતળી સરસાઈથી હાર થઈ છે, એટલે કે ભાજપના હારેલા ઉમેદવારોને જે માર્જિન મળ્યું છે તેનાથી વધારે મત તો નોટાને મળ્યા છે. જો નોટાના આ મત ભાજપની તરફેણમાં પડ્યા હોત તો ભાજપના ઉમેદવારો સરળતાથી ચૂંટણી જીતી ગયા હોત અને ભાજપે પણ 156ને બદલે 160 સીટ જીતવાનો રેકોર્ડ બન્યો હોત.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.