ગુજરાતની આ 8 વિધાનસભા બેઠકો જે મોદી લહેરમાં પણ કોંગ્રેસનો અતુટ ગઢ રહી


  • Published By :
  • Published Date : 2022-11-25 16:09:44

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. તેમાં પણ સૌથી સમય સુધી નરેન્દ્ર મોદીની એકચક્રી સત્તા રહી છે. નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપે સૌથી વધુ 127 સીટો 2002ની વિધાનસભાની ચૂંટણીમાં જીતી હતી. જો કે ત્યારબાદ તમામ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સીટો ઘટી છે. રસપ્રદ બાબત તે પણ છે કે મોદી લહેરમાં પણ ભાજપ રાજ્યની એવી 8 બેઠકો છે જે આજદિન સુધી જીતી શકી નથી.  


રાજ્ય 8 સીટો કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો


ભાજપ ગુજરાતની આ 8 વિધાનસભા સીટો લાખ પ્રયત્નો છતાં જીતી શકી નથી, આ બેઠકોમાં બોરસદ, ઝઘડિયા, વ્યારા, ભિલોડા (1995 સિવાય), મહુધા, આંકલાવ, દાણીલીમડા અને ગરબાડાનો સમાવેશ થાય છે. 


શા માટે ભાજપની હાર થઈ ?


ભાજપે જે બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો, તે તમામ બેઠકો પર આદિવાસીનું વર્ચસ્વ વધુ છે. જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી હતી. આ ગુજરાતના 27 મતવિસ્તારોનો ભાગ છે, જેમાં આદિવાસીનો નોંધપાત્ર પ્રભાવ છે, જે 14 પૂર્વીય જિલ્લાઓમાં વિસ્તારિત છે. આ તમામ બેઠકો પર કોંગ્રેસ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી 2017માં પણ ભાજપને માત્ર આઠ આદિવાસી બેઠકો મળી હતી, તો કોંગ્રેસને 15 બેઠકો મળી હતી. આદિવાસીઓમાં ભાજપની હિંદુત્વની રાજનીતિ બહુ અસરકારક રહી નથી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.