ગુજરાતની આ 8 વિધાનસભા બેઠકો જે મોદી લહેરમાં પણ કોંગ્રેસનો અતુટ ગઢ રહી


  • Published By :
  • Published Date : 2022-11-25 16:09:44

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. તેમાં પણ સૌથી સમય સુધી નરેન્દ્ર મોદીની એકચક્રી સત્તા રહી છે. નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપે સૌથી વધુ 127 સીટો 2002ની વિધાનસભાની ચૂંટણીમાં જીતી હતી. જો કે ત્યારબાદ તમામ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સીટો ઘટી છે. રસપ્રદ બાબત તે પણ છે કે મોદી લહેરમાં પણ ભાજપ રાજ્યની એવી 8 બેઠકો છે જે આજદિન સુધી જીતી શકી નથી.  


રાજ્ય 8 સીટો કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો


ભાજપ ગુજરાતની આ 8 વિધાનસભા સીટો લાખ પ્રયત્નો છતાં જીતી શકી નથી, આ બેઠકોમાં બોરસદ, ઝઘડિયા, વ્યારા, ભિલોડા (1995 સિવાય), મહુધા, આંકલાવ, દાણીલીમડા અને ગરબાડાનો સમાવેશ થાય છે. 


શા માટે ભાજપની હાર થઈ ?


ભાજપે જે બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો, તે તમામ બેઠકો પર આદિવાસીનું વર્ચસ્વ વધુ છે. જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી હતી. આ ગુજરાતના 27 મતવિસ્તારોનો ભાગ છે, જેમાં આદિવાસીનો નોંધપાત્ર પ્રભાવ છે, જે 14 પૂર્વીય જિલ્લાઓમાં વિસ્તારિત છે. આ તમામ બેઠકો પર કોંગ્રેસ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી 2017માં પણ ભાજપને માત્ર આઠ આદિવાસી બેઠકો મળી હતી, તો કોંગ્રેસને 15 બેઠકો મળી હતી. આદિવાસીઓમાં ભાજપની હિંદુત્વની રાજનીતિ બહુ અસરકારક રહી નથી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .