ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસ આટલી પરેશાન કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-29 21:01:48

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પડઘમ શાંત થયા છે. ભાજપના નેતાઓ અને કોંગ્રેસની સાથે આપના નેતાઓએ પણ જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો છે. આ ત્રિપાંખિયા જંગમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓને સૌથી મોટી ચિંતા આપની એન્ટ્રીથી છે. આપ ચૂંટણી જીતી નહીં શકે પણ વોટ તો ચોક્કસપણે કાપશે તે નિર્વિવાદપણે કહીં શકાય. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાંથી આપ કોનને ફટકો આપે છે તેના પર સૌની નજર છે.


ભાજપ માટે AAP પરિબળ


AAPને સામાન્ય રીતે શહેરી-કેન્દ્રિત પક્ષ માનવામાં આવે છે, ખાસ કરીને દિલ્હી અને ગુજરાતમાં આપનું બહું વર્ચસ્વ નથી પણ ભાજપને ડર છે કે કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટી તેના વોટ તોડશે તો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે, આપ ભાજપના વોટ ખાઈ શકે છે અને તેને નુકસાન પહોંચાડી શકે છે.


ભાજપ ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ કરતા પહેલાથી જ નબળી છે. પરંતુ જો તે શહેરી વિસ્તારોમાં પણ મત ગુમાવે છે, તો સ્થિતિ 1995થી રાજ્યમાં સત્તામાં રહેલી પાર્ટી માટે જોખમી બની શકે છે. આ જ કારણ છે કે ભાજપ ગુજરાતમાં ત્રીજી તાકાત તરીકે AAPને નીચે પાડવાનો પ્રયાસ કરી રહી છે.


કોંગ્રેસ vs આપ


કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે ગુજરાતમાં ભાજપ સરકાર સામે ભારે સત્તા વિરોધી ભાવના છે. પાર્ટીને માને છે કે લોકોએ ભાજપ સામે મત આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસને લાગે છે કે તેને સત્તા વિરોધી ભાવનાનો ફાયદો મળશે. જો કે, AAPની એન્ટ્રીએ તેને આશંકિત કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી નથી ઈચ્છતી કે ભાજપ વિરોધી મતો તેની અને AAP વચ્ચે વહેંચાઈ જાય. કોંગ્રેસ ભાજપ વિરોધી મતો મેળવવા માંગે છે, પણ AAPના કારણે સત્તાવિરોધી માહોલનો ફાયદો કોંગ્રેસને મળી શકશે નહીં.


કોંગ્રેસને આશંકા છે કે આપના કારણે ગુજરાતમાં પણ ઉત્તરાખંડ અને ગોવા જેવી સ્થિતી ન સર્જાય. આ જ કારણે કોંગ્રેસે પણ AAP વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે.


2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, AAPએ 29 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તે તમામ પર આપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. તેણે માત્ર 0.10 ટકા વોટ શેર મેળ્યો હતો. જો કે, ભાજપ અને કોંગ્રેસ બંનેને આશંકા છે કે તે આગામી ચૂંટણીમાં તેમના મત શેરમાં ઘટાડો કરી શકે છે.


2012 અને 2017માં શું સ્થિતી હતી?


રાજ્યની 182 બેઠકોમાંથી ભાજપે 2017માં 99 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 115 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 2017માં 77 અને 2012ની ચૂંટણીમાં 61 બેઠકો જીતી હતી.


ગુજરાતમાં શહેરી વિધાનસભા બેઠકો પર ભાજપને હજુ પણ મજબૂત માનવામાં આવે છે. રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 42 શહેરી છે જ્યારે બાકીની 140 ગ્રામીણ બેઠકો છે.


ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 42 શહેરી બેઠકોમાંથી 36 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 38 બેઠકો જીતી હતી. બીજી તરફ શહેરી વિસ્તારોમાં કોંગ્રેસે 2017માં 6 અને 2012માં 4 બેઠકો જીતી હતી.


140 ગ્રામીણ બેઠકોમાંથી, કોંગ્રેસે 2017માં 71 અને 2012માં 57 બેઠકો જીતી હતી. બીજી તરફ, ભાજપે 2017માં 63 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો જીતી હતી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.