ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસ આટલી પરેશાન કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-29 21:01:48

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પડઘમ શાંત થયા છે. ભાજપના નેતાઓ અને કોંગ્રેસની સાથે આપના નેતાઓએ પણ જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો છે. આ ત્રિપાંખિયા જંગમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓને સૌથી મોટી ચિંતા આપની એન્ટ્રીથી છે. આપ ચૂંટણી જીતી નહીં શકે પણ વોટ તો ચોક્કસપણે કાપશે તે નિર્વિવાદપણે કહીં શકાય. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાંથી આપ કોનને ફટકો આપે છે તેના પર સૌની નજર છે.


ભાજપ માટે AAP પરિબળ


AAPને સામાન્ય રીતે શહેરી-કેન્દ્રિત પક્ષ માનવામાં આવે છે, ખાસ કરીને દિલ્હી અને ગુજરાતમાં આપનું બહું વર્ચસ્વ નથી પણ ભાજપને ડર છે કે કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટી તેના વોટ તોડશે તો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે, આપ ભાજપના વોટ ખાઈ શકે છે અને તેને નુકસાન પહોંચાડી શકે છે.


ભાજપ ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ કરતા પહેલાથી જ નબળી છે. પરંતુ જો તે શહેરી વિસ્તારોમાં પણ મત ગુમાવે છે, તો સ્થિતિ 1995થી રાજ્યમાં સત્તામાં રહેલી પાર્ટી માટે જોખમી બની શકે છે. આ જ કારણ છે કે ભાજપ ગુજરાતમાં ત્રીજી તાકાત તરીકે AAPને નીચે પાડવાનો પ્રયાસ કરી રહી છે.


કોંગ્રેસ vs આપ


કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે ગુજરાતમાં ભાજપ સરકાર સામે ભારે સત્તા વિરોધી ભાવના છે. પાર્ટીને માને છે કે લોકોએ ભાજપ સામે મત આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસને લાગે છે કે તેને સત્તા વિરોધી ભાવનાનો ફાયદો મળશે. જો કે, AAPની એન્ટ્રીએ તેને આશંકિત કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી નથી ઈચ્છતી કે ભાજપ વિરોધી મતો તેની અને AAP વચ્ચે વહેંચાઈ જાય. કોંગ્રેસ ભાજપ વિરોધી મતો મેળવવા માંગે છે, પણ AAPના કારણે સત્તાવિરોધી માહોલનો ફાયદો કોંગ્રેસને મળી શકશે નહીં.


કોંગ્રેસને આશંકા છે કે આપના કારણે ગુજરાતમાં પણ ઉત્તરાખંડ અને ગોવા જેવી સ્થિતી ન સર્જાય. આ જ કારણે કોંગ્રેસે પણ AAP વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે.


2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, AAPએ 29 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તે તમામ પર આપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. તેણે માત્ર 0.10 ટકા વોટ શેર મેળ્યો હતો. જો કે, ભાજપ અને કોંગ્રેસ બંનેને આશંકા છે કે તે આગામી ચૂંટણીમાં તેમના મત શેરમાં ઘટાડો કરી શકે છે.


2012 અને 2017માં શું સ્થિતી હતી?


રાજ્યની 182 બેઠકોમાંથી ભાજપે 2017માં 99 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 115 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 2017માં 77 અને 2012ની ચૂંટણીમાં 61 બેઠકો જીતી હતી.


ગુજરાતમાં શહેરી વિધાનસભા બેઠકો પર ભાજપને હજુ પણ મજબૂત માનવામાં આવે છે. રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 42 શહેરી છે જ્યારે બાકીની 140 ગ્રામીણ બેઠકો છે.


ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 42 શહેરી બેઠકોમાંથી 36 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 38 બેઠકો જીતી હતી. બીજી તરફ શહેરી વિસ્તારોમાં કોંગ્રેસે 2017માં 6 અને 2012માં 4 બેઠકો જીતી હતી.


140 ગ્રામીણ બેઠકોમાંથી, કોંગ્રેસે 2017માં 71 અને 2012માં 57 બેઠકો જીતી હતી. બીજી તરફ, ભાજપે 2017માં 63 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો જીતી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.