ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસ આટલી પરેશાન કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-29 21:01:48

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પડઘમ શાંત થયા છે. ભાજપના નેતાઓ અને કોંગ્રેસની સાથે આપના નેતાઓએ પણ જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો છે. આ ત્રિપાંખિયા જંગમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓને સૌથી મોટી ચિંતા આપની એન્ટ્રીથી છે. આપ ચૂંટણી જીતી નહીં શકે પણ વોટ તો ચોક્કસપણે કાપશે તે નિર્વિવાદપણે કહીં શકાય. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાંથી આપ કોનને ફટકો આપે છે તેના પર સૌની નજર છે.


ભાજપ માટે AAP પરિબળ


AAPને સામાન્ય રીતે શહેરી-કેન્દ્રિત પક્ષ માનવામાં આવે છે, ખાસ કરીને દિલ્હી અને ગુજરાતમાં આપનું બહું વર્ચસ્વ નથી પણ ભાજપને ડર છે કે કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટી તેના વોટ તોડશે તો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે, આપ ભાજપના વોટ ખાઈ શકે છે અને તેને નુકસાન પહોંચાડી શકે છે.


ભાજપ ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ કરતા પહેલાથી જ નબળી છે. પરંતુ જો તે શહેરી વિસ્તારોમાં પણ મત ગુમાવે છે, તો સ્થિતિ 1995થી રાજ્યમાં સત્તામાં રહેલી પાર્ટી માટે જોખમી બની શકે છે. આ જ કારણ છે કે ભાજપ ગુજરાતમાં ત્રીજી તાકાત તરીકે AAPને નીચે પાડવાનો પ્રયાસ કરી રહી છે.


કોંગ્રેસ vs આપ


કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે ગુજરાતમાં ભાજપ સરકાર સામે ભારે સત્તા વિરોધી ભાવના છે. પાર્ટીને માને છે કે લોકોએ ભાજપ સામે મત આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસને લાગે છે કે તેને સત્તા વિરોધી ભાવનાનો ફાયદો મળશે. જો કે, AAPની એન્ટ્રીએ તેને આશંકિત કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી નથી ઈચ્છતી કે ભાજપ વિરોધી મતો તેની અને AAP વચ્ચે વહેંચાઈ જાય. કોંગ્રેસ ભાજપ વિરોધી મતો મેળવવા માંગે છે, પણ AAPના કારણે સત્તાવિરોધી માહોલનો ફાયદો કોંગ્રેસને મળી શકશે નહીં.


કોંગ્રેસને આશંકા છે કે આપના કારણે ગુજરાતમાં પણ ઉત્તરાખંડ અને ગોવા જેવી સ્થિતી ન સર્જાય. આ જ કારણે કોંગ્રેસે પણ AAP વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે.


2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, AAPએ 29 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તે તમામ પર આપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. તેણે માત્ર 0.10 ટકા વોટ શેર મેળ્યો હતો. જો કે, ભાજપ અને કોંગ્રેસ બંનેને આશંકા છે કે તે આગામી ચૂંટણીમાં તેમના મત શેરમાં ઘટાડો કરી શકે છે.


2012 અને 2017માં શું સ્થિતી હતી?


રાજ્યની 182 બેઠકોમાંથી ભાજપે 2017માં 99 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 115 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 2017માં 77 અને 2012ની ચૂંટણીમાં 61 બેઠકો જીતી હતી.


ગુજરાતમાં શહેરી વિધાનસભા બેઠકો પર ભાજપને હજુ પણ મજબૂત માનવામાં આવે છે. રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 42 શહેરી છે જ્યારે બાકીની 140 ગ્રામીણ બેઠકો છે.


ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 42 શહેરી બેઠકોમાંથી 36 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 38 બેઠકો જીતી હતી. બીજી તરફ શહેરી વિસ્તારોમાં કોંગ્રેસે 2017માં 6 અને 2012માં 4 બેઠકો જીતી હતી.


140 ગ્રામીણ બેઠકોમાંથી, કોંગ્રેસે 2017માં 71 અને 2012માં 57 બેઠકો જીતી હતી. બીજી તરફ, ભાજપે 2017માં 63 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો જીતી હતી.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.