વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મુરતિયાઓની શોધ શરૂ કરી, એક બેઠક માટે અનેક ઉમેદવારો


  • Published By :
  • Published Date : 2022-10-27 16:49:44


જમાવટ મીડિયા, BY UTPAL DAVE 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ માટે આંતરવિગ્રહ શરૂ થઈ ગયો છે. ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ પણ આ ખેંચતાણથી ચિતિંત છે. ભાજપે આ યાદસ્થળીને રોકવા માટે સેન્સ પ્રક્રિયાને હથિયાર બનાવ્યું છે. ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે ગઈ કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી અને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિધાનસભાની બેઠક માટેના ઉમેદવારો શોધવાની પ્રક્રિયાને ભાજપે સેન્સ પ્રક્રિયા નામ આપ્યું છે. જો કે આજથી જ પાર્ટીના નેતાઓ વચ્ચેનો આંતરકલહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ટિકિટના દાવેદારોએ રીતસર શક્તિપ્રદર્શન કર્યું હતું.


ભાજપમાં ટિકિટ માટે ખેંચતાણ


ભાજપના નેતાઓ દ્વારા ટિકિટ માટે રીતસર લોબિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક વિધાનસભાની સીટ  માટે સરેરાસ 20 ઉમેદવારો દાવો કરી રહ્યા છે. હવે દરેકને ટિકિટ આપવી શક્ય નહોવાથી સેન્સ પ્રક્રિયા દ્વારા ઉમેદવારો શોધવામાં આવી રહ્યા છે. જો  કે તેમ છતાં પણ ટિકિટ ન મળતા ઉમેદવારોમાં અસંતોષ નહીં તેની શું ગેરન્ટી? રાધનપુર સીટ માટે અલ્પેશ ઠાકોરને તેમના ભાજપના જ પ્રતિસ્પર્ધી લવિંગજી ઠાકોર ખુલ્લો પડકાર આપી રહ્યા છે. ભાજપના નેતાઓને આ પ્રકારનો આંતરવિગ્રહ લગભગ તમામ બેઠકો પર જોવા મળે છે. લવિંગજી ઠાકોરે તો સમાજનું સંમેલન યોજીને શક્તિ પ્રદર્શન પણ કર્યું  હતું.


દરેક ઉમેદવારને રાજી રાખવા કપરી કસોટી


રાજ્યની તમામ 182 સીટો માટે યોગ્ય અને સર્વસંમત ઉમેદવાર શોધવો એ ખુબ જ મુશ્કેલ કવાયત છે.  આજે અમદાવાદ શહેરની વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. શાહીબાગ ખાતે ચાર બેઠકો યોજાઈ સેન્સ પ્રક્રિયા યોજાઇ છે. જેમાં નરોડા, અસરવા, દાણીલીમડા અને દરિયાપુર બેઠક માટે સેન્સ લેવાઈ છે. દરેક ઉમેદવાર તેમના સમર્થકો કે અગ્રણી નેતાઓનો ટેકો મેળવી દાવો કરી રહ્યો છે. જો કે આ સેન્સ પ્રક્રિયા કેટલી સફળ રહેશે તે તો વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી જ ખબર પડશે.


કઈ સીટ પર કયા નેતાનો દાવો 


વેજલપુર બેઠક-પ્રદીપસિંહ વાઘેલા, ધોળકા-ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અસારવા-પ્રદીપ પરમાર, પારડી-કનુભાઇ દેસાઈ, ગણદેવી અને જલાલપોર-નરેશ પટેલ,જલાલપોરના -આર.સી.પટેલ,ખેરાલુ-જયરાજસિંહ, વાઘોડિયા- મધુ શ્રીવાસ્તવે મજબુત દાવેદારો છે. જો કે આ બેઠકો માટે પણ અન્ય દાવેદોરો પણ છે.


એક કરતા વધુ દાવેદારોવાળી બેઠકો


ભાજપનું સંગઠન મોટું હોવાથી ટિકિટના દાવેદારો પણ વધુ છે. જેમ કે સુરતની વરાછા માટે 15, ઉધના માટે 17 દાવેદારો નોંધાયા છે. ગઢડા બેઠક પર 15થી 20 તો બોટાદ બેઠક પર 12થી 15, ડભોઇમાંથી 7, વાઘોડિયામાંથી 6 ઈચ્છુક દાવેદાર,કપરાડાના ધારાસભ્ય સામે 3 દાવેદારો, ડાંગમાં 10થી વધુ ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં સામેલ નિરિક્ષકોની ટીમ સમક્ષ દાવેદારી રજુ કરી છે. દાંતા વિધાનસભા માટે ઉમેદવારોનો રાફડો ફાંટ્યો છે ત્યાં 17 દાવેદારો મળ્યા, વાવ વિધાનસભા માટે શંકર ચૌધરી સામે 7 દાવેદારો, સાવરકુંડલા બેઠક પર ભાજપમાંથી 16 લોકોએ દાવેદારી નોંધાવી છે.


ભાજપના કયા નેતાઓ ટિકિટવાંચ્છુ બન્યા


ભાજપમાં વર્ષોથી કાર્યરત અગ્રણી કાર્યકરો હવે ટિકિટ માટે ઘા-ઘા થયા છે. ભાજપની ટિકિટ મેળવવા મુરતીયાઓ રીતસર લાઈન લગાવતા જોવા મળી રહ્યા છે. આ વરિષ્ઠ પદાધિકારીઓમાં AMC સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ પ્રદેશ મંત્રી અમિત ઠાકર, ધોળકામાં પ્રમુખ કેતુલ પટેલ,અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ અને કોળી સમુદાયના રમેશ મકવાણા,જિલ્લા પંચાયતમાં શિક્ષણસમિતિના પૂર્વ ચેરમેન કિરીટસિંહ ડાભી,APMC ધોળકાના ચેરમેન પ્રવિણસિંહ ડાભીએ પણ દાવેદારી કરી રહ્યા છે. અસારવા બેઠકમાં પ્રદીપ પરમારની દાવેદારી સામે ડિબેટ ટીમ પ્રવક્તા અશ્વિન બેંકર, નરેશ ચાવડા, અશોક સુતરિયા, પૂર્વ શહેર મહામંત્રી જગદીશ પરમાર, SC મોરચા પ્રમુખ ભદ્રેશ મકવાણાની પણ દાવેદારી નોંધાવી છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી સામે  વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ગુલાબ રાઉત, માધુ રાઉત કપરાડાના પૂર્વ ધારાસભ્ય અને મુકેશ પટેલ કપરાડા એપીએમસીના ચેરમેને પણ ટિકિટ માગી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.