વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મુરતિયાઓની શોધ શરૂ કરી, એક બેઠક માટે અનેક ઉમેદવારો


  • Published By :
  • Published Date : 2022-10-27 16:49:44


જમાવટ મીડિયા, BY UTPAL DAVE 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ માટે આંતરવિગ્રહ શરૂ થઈ ગયો છે. ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ પણ આ ખેંચતાણથી ચિતિંત છે. ભાજપે આ યાદસ્થળીને રોકવા માટે સેન્સ પ્રક્રિયાને હથિયાર બનાવ્યું છે. ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે ગઈ કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી અને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિધાનસભાની બેઠક માટેના ઉમેદવારો શોધવાની પ્રક્રિયાને ભાજપે સેન્સ પ્રક્રિયા નામ આપ્યું છે. જો કે આજથી જ પાર્ટીના નેતાઓ વચ્ચેનો આંતરકલહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ટિકિટના દાવેદારોએ રીતસર શક્તિપ્રદર્શન કર્યું હતું.


ભાજપમાં ટિકિટ માટે ખેંચતાણ


ભાજપના નેતાઓ દ્વારા ટિકિટ માટે રીતસર લોબિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક વિધાનસભાની સીટ  માટે સરેરાસ 20 ઉમેદવારો દાવો કરી રહ્યા છે. હવે દરેકને ટિકિટ આપવી શક્ય નહોવાથી સેન્સ પ્રક્રિયા દ્વારા ઉમેદવારો શોધવામાં આવી રહ્યા છે. જો  કે તેમ છતાં પણ ટિકિટ ન મળતા ઉમેદવારોમાં અસંતોષ નહીં તેની શું ગેરન્ટી? રાધનપુર સીટ માટે અલ્પેશ ઠાકોરને તેમના ભાજપના જ પ્રતિસ્પર્ધી લવિંગજી ઠાકોર ખુલ્લો પડકાર આપી રહ્યા છે. ભાજપના નેતાઓને આ પ્રકારનો આંતરવિગ્રહ લગભગ તમામ બેઠકો પર જોવા મળે છે. લવિંગજી ઠાકોરે તો સમાજનું સંમેલન યોજીને શક્તિ પ્રદર્શન પણ કર્યું  હતું.


દરેક ઉમેદવારને રાજી રાખવા કપરી કસોટી


રાજ્યની તમામ 182 સીટો માટે યોગ્ય અને સર્વસંમત ઉમેદવાર શોધવો એ ખુબ જ મુશ્કેલ કવાયત છે.  આજે અમદાવાદ શહેરની વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. શાહીબાગ ખાતે ચાર બેઠકો યોજાઈ સેન્સ પ્રક્રિયા યોજાઇ છે. જેમાં નરોડા, અસરવા, દાણીલીમડા અને દરિયાપુર બેઠક માટે સેન્સ લેવાઈ છે. દરેક ઉમેદવાર તેમના સમર્થકો કે અગ્રણી નેતાઓનો ટેકો મેળવી દાવો કરી રહ્યો છે. જો કે આ સેન્સ પ્રક્રિયા કેટલી સફળ રહેશે તે તો વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી જ ખબર પડશે.


કઈ સીટ પર કયા નેતાનો દાવો 


વેજલપુર બેઠક-પ્રદીપસિંહ વાઘેલા, ધોળકા-ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અસારવા-પ્રદીપ પરમાર, પારડી-કનુભાઇ દેસાઈ, ગણદેવી અને જલાલપોર-નરેશ પટેલ,જલાલપોરના -આર.સી.પટેલ,ખેરાલુ-જયરાજસિંહ, વાઘોડિયા- મધુ શ્રીવાસ્તવે મજબુત દાવેદારો છે. જો કે આ બેઠકો માટે પણ અન્ય દાવેદોરો પણ છે.


એક કરતા વધુ દાવેદારોવાળી બેઠકો


ભાજપનું સંગઠન મોટું હોવાથી ટિકિટના દાવેદારો પણ વધુ છે. જેમ કે સુરતની વરાછા માટે 15, ઉધના માટે 17 દાવેદારો નોંધાયા છે. ગઢડા બેઠક પર 15થી 20 તો બોટાદ બેઠક પર 12થી 15, ડભોઇમાંથી 7, વાઘોડિયામાંથી 6 ઈચ્છુક દાવેદાર,કપરાડાના ધારાસભ્ય સામે 3 દાવેદારો, ડાંગમાં 10થી વધુ ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં સામેલ નિરિક્ષકોની ટીમ સમક્ષ દાવેદારી રજુ કરી છે. દાંતા વિધાનસભા માટે ઉમેદવારોનો રાફડો ફાંટ્યો છે ત્યાં 17 દાવેદારો મળ્યા, વાવ વિધાનસભા માટે શંકર ચૌધરી સામે 7 દાવેદારો, સાવરકુંડલા બેઠક પર ભાજપમાંથી 16 લોકોએ દાવેદારી નોંધાવી છે.


ભાજપના કયા નેતાઓ ટિકિટવાંચ્છુ બન્યા


ભાજપમાં વર્ષોથી કાર્યરત અગ્રણી કાર્યકરો હવે ટિકિટ માટે ઘા-ઘા થયા છે. ભાજપની ટિકિટ મેળવવા મુરતીયાઓ રીતસર લાઈન લગાવતા જોવા મળી રહ્યા છે. આ વરિષ્ઠ પદાધિકારીઓમાં AMC સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ પ્રદેશ મંત્રી અમિત ઠાકર, ધોળકામાં પ્રમુખ કેતુલ પટેલ,અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ અને કોળી સમુદાયના રમેશ મકવાણા,જિલ્લા પંચાયતમાં શિક્ષણસમિતિના પૂર્વ ચેરમેન કિરીટસિંહ ડાભી,APMC ધોળકાના ચેરમેન પ્રવિણસિંહ ડાભીએ પણ દાવેદારી કરી રહ્યા છે. અસારવા બેઠકમાં પ્રદીપ પરમારની દાવેદારી સામે ડિબેટ ટીમ પ્રવક્તા અશ્વિન બેંકર, નરેશ ચાવડા, અશોક સુતરિયા, પૂર્વ શહેર મહામંત્રી જગદીશ પરમાર, SC મોરચા પ્રમુખ ભદ્રેશ મકવાણાની પણ દાવેદારી નોંધાવી છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી સામે  વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ગુલાબ રાઉત, માધુ રાઉત કપરાડાના પૂર્વ ધારાસભ્ય અને મુકેશ પટેલ કપરાડા એપીએમસીના ચેરમેને પણ ટિકિટ માગી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.