મધ્ય ગુજરાતની 34 સીટો પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 225 મુરતીયાઓ ચૂંટણીના વરઘોડે


  • Published By :
  • Published Date : 2022-11-27 21:42:36


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન તેની ચરમસીમા પર છે ત્યારે કેટલીક બેઠકો તેવી પણ છે જ્યાં ખુબ મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાને છે. જેમ કે મધ્ય ગુજરાતના સાત જિલ્લાની 34 બેઠકો ઉપર 225 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 


કઈ સીટ પર કેટલા ઉમેદવારો


વડોદરા જિલ્લાની 10 બેઠક ઉપર 72 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ અકોટા બેઠક ઉપર 11 છે .વર્ષ 2017 ની ચૂંટણીમાં શહેર જિલ્લાની 10 બેઠક ઉપર 82 ઉમેદવારો જંગમાં હતા. શહેર જિલ્લાની બેઠકોમાં શહેર વાડી,સયાજીગંજ, અકોટા, રાવપુરા,માંજલપુર, પાદરા, કરજણ, ડભોઇ ,સાવલી અને વાઘોડિયા નો સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ અને હાલોલની પાંચ બેઠકો પર 38 ઉમેદવારો છે. દાહોદ જિલ્લાની ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ ,ગરબાડા અને દેવગઢ બારીયા ની છ બેઠકો પર 35 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની જેતપુર પાવી ,સંખેડા અને છોટાઉદેપુર એમ ત્રણ બેઠકો પર 17 ઉમેદવારો સ્પર્ધામાં છે. મહીસાગર જિલ્લાની બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા ની ત્રણ બેઠકો વચ્ચે 22 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. ભરૂચની પાંચ બેઠક પૈકી ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા ,વાગરા અને જંબુસરમાં 32 તથા નર્મદાની નાંદોદ અને ડેડીયાપાડા એમ બે બેઠક પર નવ ઉમેદવારો સ્પર્ધામાં છે.


વિધાનસભા ચૂંટણી- 2017માં શું સ્થિતી હતી


ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત બેઠક ઉપર 61 ઉમેદવારો હતા જો કે આ વખતે 41 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જો કે બાકીના પાંચ જિલ્લા  છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં આ વખતે ગઈ ચૂંટણી કરતા પાંચ ઉમેદવારો વધુ છે. એટલે કે આ ચૂંટણીમાં આ પાંચ જિલ્લામાં 184 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ 34 બેઠકો પૈકી ભરૂચની પાંચ અને નર્મદા જિલ્લાની બે બેઠક ઉપર તારીખ 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે .જ્યારે બાકીના પાંચ જિલ્લાની 27 બેઠકો પર તારીખ 5 ના રોજ વોટિંગ થશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.