મધ્ય ગુજરાતની 34 સીટો પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 225 મુરતીયાઓ ચૂંટણીના વરઘોડે


  • Published By :
  • Published Date : 2022-11-27 21:42:36


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન તેની ચરમસીમા પર છે ત્યારે કેટલીક બેઠકો તેવી પણ છે જ્યાં ખુબ મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાને છે. જેમ કે મધ્ય ગુજરાતના સાત જિલ્લાની 34 બેઠકો ઉપર 225 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 


કઈ સીટ પર કેટલા ઉમેદવારો


વડોદરા જિલ્લાની 10 બેઠક ઉપર 72 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ અકોટા બેઠક ઉપર 11 છે .વર્ષ 2017 ની ચૂંટણીમાં શહેર જિલ્લાની 10 બેઠક ઉપર 82 ઉમેદવારો જંગમાં હતા. શહેર જિલ્લાની બેઠકોમાં શહેર વાડી,સયાજીગંજ, અકોટા, રાવપુરા,માંજલપુર, પાદરા, કરજણ, ડભોઇ ,સાવલી અને વાઘોડિયા નો સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ અને હાલોલની પાંચ બેઠકો પર 38 ઉમેદવારો છે. દાહોદ જિલ્લાની ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ ,ગરબાડા અને દેવગઢ બારીયા ની છ બેઠકો પર 35 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની જેતપુર પાવી ,સંખેડા અને છોટાઉદેપુર એમ ત્રણ બેઠકો પર 17 ઉમેદવારો સ્પર્ધામાં છે. મહીસાગર જિલ્લાની બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા ની ત્રણ બેઠકો વચ્ચે 22 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. ભરૂચની પાંચ બેઠક પૈકી ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા ,વાગરા અને જંબુસરમાં 32 તથા નર્મદાની નાંદોદ અને ડેડીયાપાડા એમ બે બેઠક પર નવ ઉમેદવારો સ્પર્ધામાં છે.


વિધાનસભા ચૂંટણી- 2017માં શું સ્થિતી હતી


ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત બેઠક ઉપર 61 ઉમેદવારો હતા જો કે આ વખતે 41 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જો કે બાકીના પાંચ જિલ્લા  છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં આ વખતે ગઈ ચૂંટણી કરતા પાંચ ઉમેદવારો વધુ છે. એટલે કે આ ચૂંટણીમાં આ પાંચ જિલ્લામાં 184 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ 34 બેઠકો પૈકી ભરૂચની પાંચ અને નર્મદા જિલ્લાની બે બેઠક ઉપર તારીખ 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે .જ્યારે બાકીના પાંચ જિલ્લાની 27 બેઠકો પર તારીખ 5 ના રોજ વોટિંગ થશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .