મધ્ય ગુજરાતની 34 સીટો પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 225 મુરતીયાઓ ચૂંટણીના વરઘોડે


  • Published By :
  • Published Date : 2022-11-27 21:42:36


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન તેની ચરમસીમા પર છે ત્યારે કેટલીક બેઠકો તેવી પણ છે જ્યાં ખુબ મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાને છે. જેમ કે મધ્ય ગુજરાતના સાત જિલ્લાની 34 બેઠકો ઉપર 225 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 


કઈ સીટ પર કેટલા ઉમેદવારો


વડોદરા જિલ્લાની 10 બેઠક ઉપર 72 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ અકોટા બેઠક ઉપર 11 છે .વર્ષ 2017 ની ચૂંટણીમાં શહેર જિલ્લાની 10 બેઠક ઉપર 82 ઉમેદવારો જંગમાં હતા. શહેર જિલ્લાની બેઠકોમાં શહેર વાડી,સયાજીગંજ, અકોટા, રાવપુરા,માંજલપુર, પાદરા, કરજણ, ડભોઇ ,સાવલી અને વાઘોડિયા નો સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ અને હાલોલની પાંચ બેઠકો પર 38 ઉમેદવારો છે. દાહોદ જિલ્લાની ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ ,ગરબાડા અને દેવગઢ બારીયા ની છ બેઠકો પર 35 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની જેતપુર પાવી ,સંખેડા અને છોટાઉદેપુર એમ ત્રણ બેઠકો પર 17 ઉમેદવારો સ્પર્ધામાં છે. મહીસાગર જિલ્લાની બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા ની ત્રણ બેઠકો વચ્ચે 22 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. ભરૂચની પાંચ બેઠક પૈકી ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા ,વાગરા અને જંબુસરમાં 32 તથા નર્મદાની નાંદોદ અને ડેડીયાપાડા એમ બે બેઠક પર નવ ઉમેદવારો સ્પર્ધામાં છે.


વિધાનસભા ચૂંટણી- 2017માં શું સ્થિતી હતી


ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત બેઠક ઉપર 61 ઉમેદવારો હતા જો કે આ વખતે 41 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જો કે બાકીના પાંચ જિલ્લા  છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં આ વખતે ગઈ ચૂંટણી કરતા પાંચ ઉમેદવારો વધુ છે. એટલે કે આ ચૂંટણીમાં આ પાંચ જિલ્લામાં 184 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ 34 બેઠકો પૈકી ભરૂચની પાંચ અને નર્મદા જિલ્લાની બે બેઠક ઉપર તારીખ 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે .જ્યારે બાકીના પાંચ જિલ્લાની 27 બેઠકો પર તારીખ 5 ના રોજ વોટિંગ થશે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.