રાજનીતિનું અપરાધીકરણ: વિધાનસભા ચૂંટણીમાં કુલ 1621 ઉમેદવારોમાંથી 313 ગુનાથી ખરડાયેલા


  • Published By :
  • Published Date : 2022-11-23 16:56:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બંને તબક્કા માટે થનારા મતદાન માટે તમામ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા છે. રાજ્યની કુલ 182 બેઠક માટે 1621 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 313 જેટલા ઉમેદવારો વિવિધ ગુનાઓથી ખરડાયેલા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે દાગી ઉમેદવારોની સંખ્યા 19 ટકા જેટલી વધી છે.


બે તબક્કા માટે કુલ 1621 ઉમેદવારો 


ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના દિવસે મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. 


313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ નોંધાયેલા 


ચૂંટણી પંચે મતદારો-નાગરિકો માટે લૉન્ચ કરેલી KYC (નો યોર કેન્ડિડેન્ટ) એપ્લિકેશન મુજબ કુલ 1621 ઉમેદવારોમાંથી 313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ નોંધાયેલા છે. જેમાં ભાજપના 28, કોંગ્રેલના 30 અને આમ આદમી પાર્ટીના 15 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અન્ય કેટલીક સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારો છે અને સૌથી વધુ અપક્ષના ઉમેદવારો છે.  


2017ની ચૂંટણીમાં કેટલા દાગી ઉમેદવારો હતા?


વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1815 ઉમેદવારો હતા, જેમાંથી 253 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. એટલે કે ગત ચૂંટણીની તુલનામાં આ વખતે 19 ટકાથી વધુ દાગી ઉમેદવારો છે. 2012માં કુલ 1283 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 222 (17 ટકા) દાગી ઉમેદવારો હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.