રાજનીતિનું અપરાધીકરણ: વિધાનસભા ચૂંટણીમાં કુલ 1621 ઉમેદવારોમાંથી 313 ગુનાથી ખરડાયેલા


  • Published By :
  • Published Date : 2022-11-23 16:56:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બંને તબક્કા માટે થનારા મતદાન માટે તમામ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા છે. રાજ્યની કુલ 182 બેઠક માટે 1621 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 313 જેટલા ઉમેદવારો વિવિધ ગુનાઓથી ખરડાયેલા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે દાગી ઉમેદવારોની સંખ્યા 19 ટકા જેટલી વધી છે.


બે તબક્કા માટે કુલ 1621 ઉમેદવારો 


ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના દિવસે મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. 


313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ નોંધાયેલા 


ચૂંટણી પંચે મતદારો-નાગરિકો માટે લૉન્ચ કરેલી KYC (નો યોર કેન્ડિડેન્ટ) એપ્લિકેશન મુજબ કુલ 1621 ઉમેદવારોમાંથી 313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ નોંધાયેલા છે. જેમાં ભાજપના 28, કોંગ્રેલના 30 અને આમ આદમી પાર્ટીના 15 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અન્ય કેટલીક સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારો છે અને સૌથી વધુ અપક્ષના ઉમેદવારો છે.  


2017ની ચૂંટણીમાં કેટલા દાગી ઉમેદવારો હતા?


વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1815 ઉમેદવારો હતા, જેમાંથી 253 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. એટલે કે ગત ચૂંટણીની તુલનામાં આ વખતે 19 ટકાથી વધુ દાગી ઉમેદવારો છે. 2012માં કુલ 1283 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 222 (17 ટકા) દાગી ઉમેદવારો હતા. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.