રાજનીતિનું અપરાધીકરણ: વિધાનસભા ચૂંટણીમાં કુલ 1621 ઉમેદવારોમાંથી 313 ગુનાથી ખરડાયેલા


  • Published By :
  • Published Date : 2022-11-23 16:56:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બંને તબક્કા માટે થનારા મતદાન માટે તમામ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા છે. રાજ્યની કુલ 182 બેઠક માટે 1621 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 313 જેટલા ઉમેદવારો વિવિધ ગુનાઓથી ખરડાયેલા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે દાગી ઉમેદવારોની સંખ્યા 19 ટકા જેટલી વધી છે.


બે તબક્કા માટે કુલ 1621 ઉમેદવારો 


ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના દિવસે મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. 


313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ નોંધાયેલા 


ચૂંટણી પંચે મતદારો-નાગરિકો માટે લૉન્ચ કરેલી KYC (નો યોર કેન્ડિડેન્ટ) એપ્લિકેશન મુજબ કુલ 1621 ઉમેદવારોમાંથી 313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ નોંધાયેલા છે. જેમાં ભાજપના 28, કોંગ્રેલના 30 અને આમ આદમી પાર્ટીના 15 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અન્ય કેટલીક સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારો છે અને સૌથી વધુ અપક્ષના ઉમેદવારો છે.  


2017ની ચૂંટણીમાં કેટલા દાગી ઉમેદવારો હતા?


વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1815 ઉમેદવારો હતા, જેમાંથી 253 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. એટલે કે ગત ચૂંટણીની તુલનામાં આ વખતે 19 ટકાથી વધુ દાગી ઉમેદવારો છે. 2012માં કુલ 1283 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 222 (17 ટકા) દાગી ઉમેદવારો હતા. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.