વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતી આ બેઠકો પર છે સૌથી વધુ મદાર


  • Published By :
  • Published Date : 2022-11-22 19:20:30

ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર જોરશોરથી જામ્યો છે. રાજ્યમાં સર્વત્ર ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓ સમગ્ર ગુજરાતમાં લોકોને રિઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન એ જાણવું રસપ્રદ બની રહે છે કે રાજ્યમાં ભાજપ કેટલી સીટો પર મજબુત છે. રાજ્યના ચૂંટણી પંડિતોના મતે  25 એવી સીટ છે કે જે ભાજપ માટે સુરક્ષિત છે. તો આ રાજ્યની આ 25 સીટ કઈ છે જે ભાજપનો મજબુત ગઢ મનાય છે.


આ છે ભાજપની ભરોસાની સીટો 


ઘાટલોડિયા-ભૂપેન્દ્ર પટેલ, જસદણ-કુંવરજી બાવળિયા, અબડાસા-પ્રદ્યુમનસિંહ જાડેજા, વિજાપુર-રમણ પટેલ, જામનગરનોર્થ -રાઘવજી પટેલ, દ્વારકા-પબુભા માણેક,માણવદર-જવાહર ચાવડા,  રાજુલા-હીરા સોલંકી, ભાવનગર ગ્રામ્ય-પરસોત્તમ સોલંકી, મજુરા-હર્ષ સંઘવી,  માંજલપુર-યોગેશ પટેલ, ઇડર-રમણલાલ વોરા, ગોંડલ-ગીતાબા જાડેજા, ડભોઈ-શૈલેષ મહેતા, વિસનગર-ઋષિકેશ પટેલ, નડિયાદ-પંકજ દેસાઈ, ખેડબ્રહ્મા-અશ્વિન કોટવાલ,ગાંધીનગર દક્ષિણના-અલ્પેશ ઠાકોર, કપરાડા-જિતુ ચૌધરીની જીત પાક્કી મનાય છે.


પાતળા માર્જીનથી હાર-જીત 


ગુજરાતમાં છેલ્લા ચાર દાયકાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો મુકાબલો રહે તો હતો. જો કે હવે પરિસ્થિતી બદલાઈ ગઈ છે, અને આ વખતે ત્રિપાંખિયો જંગ છે. કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને છે. આપને પણ મજબુત ત્રીજા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હારજીતમાં આપ નિર્ણાયક ફેક્ટર બની રહે છે. જો કોઈ ઉમેદવાર જીતશે તો પણ હાર-જીતનું માર્જીન બહુ જ ઓછું હશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .