વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતી આ બેઠકો પર છે સૌથી વધુ મદાર


  • Published By :
  • Published Date : 2022-11-22 19:20:30

ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર જોરશોરથી જામ્યો છે. રાજ્યમાં સર્વત્ર ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓ સમગ્ર ગુજરાતમાં લોકોને રિઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન એ જાણવું રસપ્રદ બની રહે છે કે રાજ્યમાં ભાજપ કેટલી સીટો પર મજબુત છે. રાજ્યના ચૂંટણી પંડિતોના મતે  25 એવી સીટ છે કે જે ભાજપ માટે સુરક્ષિત છે. તો આ રાજ્યની આ 25 સીટ કઈ છે જે ભાજપનો મજબુત ગઢ મનાય છે.


આ છે ભાજપની ભરોસાની સીટો 


ઘાટલોડિયા-ભૂપેન્દ્ર પટેલ, જસદણ-કુંવરજી બાવળિયા, અબડાસા-પ્રદ્યુમનસિંહ જાડેજા, વિજાપુર-રમણ પટેલ, જામનગરનોર્થ -રાઘવજી પટેલ, દ્વારકા-પબુભા માણેક,માણવદર-જવાહર ચાવડા,  રાજુલા-હીરા સોલંકી, ભાવનગર ગ્રામ્ય-પરસોત્તમ સોલંકી, મજુરા-હર્ષ સંઘવી,  માંજલપુર-યોગેશ પટેલ, ઇડર-રમણલાલ વોરા, ગોંડલ-ગીતાબા જાડેજા, ડભોઈ-શૈલેષ મહેતા, વિસનગર-ઋષિકેશ પટેલ, નડિયાદ-પંકજ દેસાઈ, ખેડબ્રહ્મા-અશ્વિન કોટવાલ,ગાંધીનગર દક્ષિણના-અલ્પેશ ઠાકોર, કપરાડા-જિતુ ચૌધરીની જીત પાક્કી મનાય છે.


પાતળા માર્જીનથી હાર-જીત 


ગુજરાતમાં છેલ્લા ચાર દાયકાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો મુકાબલો રહે તો હતો. જો કે હવે પરિસ્થિતી બદલાઈ ગઈ છે, અને આ વખતે ત્રિપાંખિયો જંગ છે. કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને છે. આપને પણ મજબુત ત્રીજા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હારજીતમાં આપ નિર્ણાયક ફેક્ટર બની રહે છે. જો કોઈ ઉમેદવાર જીતશે તો પણ હાર-જીતનું માર્જીન બહુ જ ઓછું હશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.