કરો યા મરો! કાલે બીજા તબક્કાનું મતદાન, 93 બેઠકોના 833 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2022-12-04 21:30:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આવતીકાલે મતદાન થશે. રાજ્યના 2.51 કરોડ મતદારો 93 બેઠકો માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. રાજ્યના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લોકો મતદાનને લઈ નિરાશ જોવા મળ્યા હતા. જેના કારણે જ મતદાનની સરેરાશ ટકાવારી માત્ર 60 ટકા જ નોંધાઈ હતી. આ વખતે ત્રિપાંખિયો જંગ હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની રાજકીય કારકિર્દી દાવ પર લાગી છે. રાજકીય પાર્ટીઓ માટે કરો યા મરો માટે જેવી સ્થિતી સર્જાઈ છે.


બીજા તબક્કામાં ખરાખરીનો જંગ


રાજ્યમાં બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકોના 14 જિલ્લાઓ પર મતદાન થવાનું છે. બીજા તબક્કાની સીટો પર એક નજર કરીએ તો 74  જનરલ બેઠકો છે જ્યારે અનુસુચિત જાતિની 6 અને અનુસુચિત જનજાતિની 13 બેઠકો મળી 93 બેઠકો થાય છે. આ 93 બેઠકો પર 61 રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે. 93 સીટો પર રાજકીય પાર્ટીઓ, અપક્ષો સહિત કુલ 833 ઉમેદવારો મેદાને છે. જે 833 પૈકીના 764 ઉમેદવારો પુરુષ છે જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 69 છે. આ બેઠકો પૈકી સૌથી વધુ ઉમેદવારો બાપુનગર બેઠક પર છે જ્યાં કુલ 29 ઉમેદવારો વચ્ચે જંગ છે. બીજી બાજુ સૌથી ઓછા ઉમેદવારો ઈડર બેઠક પર છે જ્યાં માત્ર 3 ઉમેદવારો વચ્ચે જંગ છે. જો કે આ વખતે ભાજપના બળવાખોરો પાર્ટી માટે મોટો પડકાર બની રહેશે.


બીજા તબક્કામાં કેટલા મતદારો?


ગુજરાતની બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 2,51,58,730 મતદારો છે. જે પૈકીના 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. તેમાંથી સાવ નાની વયના મતલબ કે 18થી 19 વર્ષની ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 5,96,323 છે. જ્યારે 99 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વડીલ મતદારોની સંખ્યા 5412 છે. સેવા મતદારોની કુલ સંખ્યા 18271 છે, જ્યારે NRI મતદારોની સંખ્યા કુલ 660 છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.