કરો યા મરો! કાલે બીજા તબક્કાનું મતદાન, 93 બેઠકોના 833 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2022-12-04 21:30:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આવતીકાલે મતદાન થશે. રાજ્યના 2.51 કરોડ મતદારો 93 બેઠકો માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. રાજ્યના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લોકો મતદાનને લઈ નિરાશ જોવા મળ્યા હતા. જેના કારણે જ મતદાનની સરેરાશ ટકાવારી માત્ર 60 ટકા જ નોંધાઈ હતી. આ વખતે ત્રિપાંખિયો જંગ હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની રાજકીય કારકિર્દી દાવ પર લાગી છે. રાજકીય પાર્ટીઓ માટે કરો યા મરો માટે જેવી સ્થિતી સર્જાઈ છે.


બીજા તબક્કામાં ખરાખરીનો જંગ


રાજ્યમાં બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકોના 14 જિલ્લાઓ પર મતદાન થવાનું છે. બીજા તબક્કાની સીટો પર એક નજર કરીએ તો 74  જનરલ બેઠકો છે જ્યારે અનુસુચિત જાતિની 6 અને અનુસુચિત જનજાતિની 13 બેઠકો મળી 93 બેઠકો થાય છે. આ 93 બેઠકો પર 61 રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે. 93 સીટો પર રાજકીય પાર્ટીઓ, અપક્ષો સહિત કુલ 833 ઉમેદવારો મેદાને છે. જે 833 પૈકીના 764 ઉમેદવારો પુરુષ છે જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 69 છે. આ બેઠકો પૈકી સૌથી વધુ ઉમેદવારો બાપુનગર બેઠક પર છે જ્યાં કુલ 29 ઉમેદવારો વચ્ચે જંગ છે. બીજી બાજુ સૌથી ઓછા ઉમેદવારો ઈડર બેઠક પર છે જ્યાં માત્ર 3 ઉમેદવારો વચ્ચે જંગ છે. જો કે આ વખતે ભાજપના બળવાખોરો પાર્ટી માટે મોટો પડકાર બની રહેશે.


બીજા તબક્કામાં કેટલા મતદારો?


ગુજરાતની બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 2,51,58,730 મતદારો છે. જે પૈકીના 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. તેમાંથી સાવ નાની વયના મતલબ કે 18થી 19 વર્ષની ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 5,96,323 છે. જ્યારે 99 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વડીલ મતદારોની સંખ્યા 5412 છે. સેવા મતદારોની કુલ સંખ્યા 18271 છે, જ્યારે NRI મતદારોની સંખ્યા કુલ 660 છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.