ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી,જાણો CM ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડિયા પરથી કોંગ્રેસે કોને આપી ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-05 08:50:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડિયા પરથી કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી

India needs a fighting-fit Opposition. Can Congress (at least now) step up  to the job?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડિયા પરથી કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે,પોરબંદરથી અર્જુન મોઢવાડિયા,કુતિયાણાથી નાથા ઓડેદરા,જસદણમાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ,અને મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ આપવામાં આવી છે.



કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ નવી દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલયમાં બેઠક પછી લિસ્ટને જાહેર કર્યું હતું. કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે લિસ્ટ જાહેર કરતા જણાવ્યું કે ઉચિત સમય પર બાકી વિધાનસભા ક્ષેત્રો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. 


ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાયા

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી ફરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજયગુરુ આ વર્ષે એપ્રિલમાં જ આપમાં જોડાયા હતા. હવે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.