ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 211 'કરોડપતિ' મેદાને; 79 ઉમેદવારો સાથે ભાજપ ટોપ પર


  • Published By :
  • Published Date : 2022-11-25 17:58:53

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર લડતા 788 ઉમેદવારોમાંથી 211 'કરોડપતિ' છે, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે આવા 79 ઉમેદવારો છે, એમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે. કે ચૂંટણી મેદાનમાં ઉતરેલા કુલ ઉમેદવારોમાંથી 27% પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.


ભાજપના 79 કરોડપતિઓ


ભાજપ આ તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, તેના 79 ઉમેદવારો અથવા 89% ઉમેદવારો એવા છે કે જેમની સંપત્તિ 1 કરોડથી વધુ છે, ત્યારબાદ વિપક્ષ કોંગ્રેસ  65 ઉમેદવારો સાથે 73% પર અને આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવારો સાથે 38 ઉમેદવાર સાથે 33% ટકા ઉમેદવારો કરોડપતિ છે. પ્રથમ તબક્કામાં AAP 88 સીટો પર ચૂંટણી લડી રહી છે.


આ છે પ્રથમ તબક્કાના કરોડપતિ ઉમેદવારો


રમેશ ટીલાળા-ભાજપ-રાજકોટ દક્ષિણ-રૂ. 175 કરોડ
ઈન્દ્રનીલ રાજ્યગુરુ-કોંગ્રેસ-રાજકોટ પૂર્વ-રૂ. 162 કરોડ
જવાહર ચાવડા-ભાજપ-માણાવદર બેઠક- રૂ. 130 કરોડ
પબુભા માણેક-ભાજપ- દ્વારકા બેઠક રૂ. 115  કરોડ
રીવાબા જાડેજા-ભાજપ-જામનગર-ઉત્તર-રૂ. 97 કરોડ
કનુ દેસાઈ-ભાજપ-પારડી- રૂ. 10 કરોડ 


સૌથી ગરીબ ઉમેદવારો

   

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં રાજકોટ પશ્ચિમમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભૂપેન્દ્ર પટોળિય છે જેમણે એફિડેવીટમાં તેમની સંપત્તી શૂન્ય દર્શાવી છે. તે ઉપરાંત વ્યારા સીટ માટે બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર રાકેશ ગામીતનો નંબર આવે છે, તેમણે રૂ. 1,000ની સંપત્તિ જાહેર કરી છે. વ્યારા અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠક છે. ત્યાર બાદ ભાવનગર પશ્ચિમના જયાબેન બોરીચાએ રૂ. 3,000 અને સુરત પૂર્વના સમીર શેખે રૂ. 6,500ની સંપત્તિ જાહેર કરી છે. 


કેટલું ભણેલા છે ઉમેદવારો?


જ્યાં સુધી ઉમેદવારોના શિક્ષણનો સંબંધ છે, ત્યાં સુધી 492  ઉમેદવારો એવા છે, જેમણે ધોરણ 5 અને 12 ની વચ્ચે અભ્યાસ કર્યો છે, જ્યારે 185 ઉમેદવારોએ સ્નાતક અને તેથી વધુ અભ્યાસ કર્યો છે, 21 ડિપ્લોમાં ધારક તથા 57 જેટલા ઉમેદવારો સાક્ષર છે, જ્યારે અન્ય 37 ઉમેદવારો અભણ છે. ADRના રિપોર્ટ પ્રમાણે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં નિરક્ષરો ઉમેદવારોની સંખ્યા ઘણી વધારે છે. 


719 પુરૂષો અને 69 મહિલા ઉમેદવારો


ADRના રિપોર્ટ પ્રમાણે 277 અથવા 35% જેટલા ઉમેદવારો 25 થી 40 વય જૂથના છે, જ્યારે 431 અથવા 55% ઉમેદવારો કે જે 41 થી 60 વર્ષની વયના છે. અન્ય 79 ઉમેદવારો 61 થી 80 વર્ષની વય જૂથમાં છે અને એક ઉમેદવારની ઉંમર 80 વર્ષથી વધુ છે, ચૂંટણીના પ્રથમ તબક્કામાં 719 પુરૂષો અને 69 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.