ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 211 'કરોડપતિ' મેદાને; 79 ઉમેદવારો સાથે ભાજપ ટોપ પર


  • Published By :
  • Published Date : 2022-11-25 17:58:53

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર લડતા 788 ઉમેદવારોમાંથી 211 'કરોડપતિ' છે, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે આવા 79 ઉમેદવારો છે, એમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે. કે ચૂંટણી મેદાનમાં ઉતરેલા કુલ ઉમેદવારોમાંથી 27% પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.


ભાજપના 79 કરોડપતિઓ


ભાજપ આ તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, તેના 79 ઉમેદવારો અથવા 89% ઉમેદવારો એવા છે કે જેમની સંપત્તિ 1 કરોડથી વધુ છે, ત્યારબાદ વિપક્ષ કોંગ્રેસ  65 ઉમેદવારો સાથે 73% પર અને આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવારો સાથે 38 ઉમેદવાર સાથે 33% ટકા ઉમેદવારો કરોડપતિ છે. પ્રથમ તબક્કામાં AAP 88 સીટો પર ચૂંટણી લડી રહી છે.


આ છે પ્રથમ તબક્કાના કરોડપતિ ઉમેદવારો


રમેશ ટીલાળા-ભાજપ-રાજકોટ દક્ષિણ-રૂ. 175 કરોડ
ઈન્દ્રનીલ રાજ્યગુરુ-કોંગ્રેસ-રાજકોટ પૂર્વ-રૂ. 162 કરોડ
જવાહર ચાવડા-ભાજપ-માણાવદર બેઠક- રૂ. 130 કરોડ
પબુભા માણેક-ભાજપ- દ્વારકા બેઠક રૂ. 115  કરોડ
રીવાબા જાડેજા-ભાજપ-જામનગર-ઉત્તર-રૂ. 97 કરોડ
કનુ દેસાઈ-ભાજપ-પારડી- રૂ. 10 કરોડ 


સૌથી ગરીબ ઉમેદવારો

   

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં રાજકોટ પશ્ચિમમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભૂપેન્દ્ર પટોળિય છે જેમણે એફિડેવીટમાં તેમની સંપત્તી શૂન્ય દર્શાવી છે. તે ઉપરાંત વ્યારા સીટ માટે બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર રાકેશ ગામીતનો નંબર આવે છે, તેમણે રૂ. 1,000ની સંપત્તિ જાહેર કરી છે. વ્યારા અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠક છે. ત્યાર બાદ ભાવનગર પશ્ચિમના જયાબેન બોરીચાએ રૂ. 3,000 અને સુરત પૂર્વના સમીર શેખે રૂ. 6,500ની સંપત્તિ જાહેર કરી છે. 


કેટલું ભણેલા છે ઉમેદવારો?


જ્યાં સુધી ઉમેદવારોના શિક્ષણનો સંબંધ છે, ત્યાં સુધી 492  ઉમેદવારો એવા છે, જેમણે ધોરણ 5 અને 12 ની વચ્ચે અભ્યાસ કર્યો છે, જ્યારે 185 ઉમેદવારોએ સ્નાતક અને તેથી વધુ અભ્યાસ કર્યો છે, 21 ડિપ્લોમાં ધારક તથા 57 જેટલા ઉમેદવારો સાક્ષર છે, જ્યારે અન્ય 37 ઉમેદવારો અભણ છે. ADRના રિપોર્ટ પ્રમાણે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં નિરક્ષરો ઉમેદવારોની સંખ્યા ઘણી વધારે છે. 


719 પુરૂષો અને 69 મહિલા ઉમેદવારો


ADRના રિપોર્ટ પ્રમાણે 277 અથવા 35% જેટલા ઉમેદવારો 25 થી 40 વય જૂથના છે, જ્યારે 431 અથવા 55% ઉમેદવારો કે જે 41 થી 60 વર્ષની વયના છે. અન્ય 79 ઉમેદવારો 61 થી 80 વર્ષની વય જૂથમાં છે અને એક ઉમેદવારની ઉંમર 80 વર્ષથી વધુ છે, ચૂંટણીના પ્રથમ તબક્કામાં 719 પુરૂષો અને 69 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.