ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 211 'કરોડપતિ' મેદાને; 79 ઉમેદવારો સાથે ભાજપ ટોપ પર


  • Published By :
  • Published Date : 2022-11-25 17:58:53

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર લડતા 788 ઉમેદવારોમાંથી 211 'કરોડપતિ' છે, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે આવા 79 ઉમેદવારો છે, એમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે. કે ચૂંટણી મેદાનમાં ઉતરેલા કુલ ઉમેદવારોમાંથી 27% પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.


ભાજપના 79 કરોડપતિઓ


ભાજપ આ તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, તેના 79 ઉમેદવારો અથવા 89% ઉમેદવારો એવા છે કે જેમની સંપત્તિ 1 કરોડથી વધુ છે, ત્યારબાદ વિપક્ષ કોંગ્રેસ  65 ઉમેદવારો સાથે 73% પર અને આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવારો સાથે 38 ઉમેદવાર સાથે 33% ટકા ઉમેદવારો કરોડપતિ છે. પ્રથમ તબક્કામાં AAP 88 સીટો પર ચૂંટણી લડી રહી છે.


આ છે પ્રથમ તબક્કાના કરોડપતિ ઉમેદવારો


રમેશ ટીલાળા-ભાજપ-રાજકોટ દક્ષિણ-રૂ. 175 કરોડ
ઈન્દ્રનીલ રાજ્યગુરુ-કોંગ્રેસ-રાજકોટ પૂર્વ-રૂ. 162 કરોડ
જવાહર ચાવડા-ભાજપ-માણાવદર બેઠક- રૂ. 130 કરોડ
પબુભા માણેક-ભાજપ- દ્વારકા બેઠક રૂ. 115  કરોડ
રીવાબા જાડેજા-ભાજપ-જામનગર-ઉત્તર-રૂ. 97 કરોડ
કનુ દેસાઈ-ભાજપ-પારડી- રૂ. 10 કરોડ 


સૌથી ગરીબ ઉમેદવારો

   

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં રાજકોટ પશ્ચિમમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભૂપેન્દ્ર પટોળિય છે જેમણે એફિડેવીટમાં તેમની સંપત્તી શૂન્ય દર્શાવી છે. તે ઉપરાંત વ્યારા સીટ માટે બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર રાકેશ ગામીતનો નંબર આવે છે, તેમણે રૂ. 1,000ની સંપત્તિ જાહેર કરી છે. વ્યારા અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠક છે. ત્યાર બાદ ભાવનગર પશ્ચિમના જયાબેન બોરીચાએ રૂ. 3,000 અને સુરત પૂર્વના સમીર શેખે રૂ. 6,500ની સંપત્તિ જાહેર કરી છે. 


કેટલું ભણેલા છે ઉમેદવારો?


જ્યાં સુધી ઉમેદવારોના શિક્ષણનો સંબંધ છે, ત્યાં સુધી 492  ઉમેદવારો એવા છે, જેમણે ધોરણ 5 અને 12 ની વચ્ચે અભ્યાસ કર્યો છે, જ્યારે 185 ઉમેદવારોએ સ્નાતક અને તેથી વધુ અભ્યાસ કર્યો છે, 21 ડિપ્લોમાં ધારક તથા 57 જેટલા ઉમેદવારો સાક્ષર છે, જ્યારે અન્ય 37 ઉમેદવારો અભણ છે. ADRના રિપોર્ટ પ્રમાણે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં નિરક્ષરો ઉમેદવારોની સંખ્યા ઘણી વધારે છે. 


719 પુરૂષો અને 69 મહિલા ઉમેદવારો


ADRના રિપોર્ટ પ્રમાણે 277 અથવા 35% જેટલા ઉમેદવારો 25 થી 40 વય જૂથના છે, જ્યારે 431 અથવા 55% ઉમેદવારો કે જે 41 થી 60 વર્ષની વયના છે. અન્ય 79 ઉમેદવારો 61 થી 80 વર્ષની વય જૂથમાં છે અને એક ઉમેદવારની ઉંમર 80 વર્ષથી વધુ છે, ચૂંટણીના પ્રથમ તબક્કામાં 719 પુરૂષો અને 69 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.