વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ચાર્ટર પ્લેનની માંગ વધી, દરરોજનું ભાડું 15 થી 30 લાખ


  • Published By :
  • Published Date : 2022-11-22 13:52:24

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી પ્રચાર અભિયાન માટે નેતાઓ માટે ખાસ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરોની ડિમાન્ડ વધી છે. તેમાં પણ સૌથી વધુ માગ તો એરક્રાફ્ટની છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે, ત્યારે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રાઈવેટ જેટ્સ એવિયેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે કુલ ચાર્ટર્સની ઓછામાં ઓછી 50% માંગ રાજકીય પાર્ટીઓ તરફથી આવે છે.


ચૂંટણી ટાણે ચાર્ટર જેટની ડિમાન્ડ વધી


નિર્ધારિત ફ્લાઇટ્સમાં ઉડવાને બદલે હવે મોટાભાગના રાજકારણીઓ હવે ચાર્ટર જેટ દ્વારા આવે છે અને રાજ્યની અંદર ઉડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રચાર માટે આવતા ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી અને આપના દિલ્હીના મુખ્યમંત્રી તથા આપના કન્વિનર અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે ખાસ ચાર્ટર જેટ્સ અને હેલિકોપ્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. અવિયેશન ઇન્ડસ્ટ્રીઝના સુત્રોના જણાવ્યા પ્રમાણે હજુ પણ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરની માગ વધશે.


ચાર્ટર એરક્રાફ્ટનો ખર્ચ 15 લાખથી 30 લાખ


અમદાવાદ સ્થિત એક ઉડ્ડયન કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે.આ મહિને મોટા ભાગના ચાર્ટર પ્લેન રાજકીય નેતાઓ માટે બુક થઈ ગયા છે. એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ માટે નેતાઓ દ્વારા ઓછામાં ઓછા ચાર કલાક માટે ભાડે લેવામાં આવે છે.”જો કોઈ પાર્ટી એક દિવસ માટે પણ ચાર્ટર એરક્રાફ્ટ રાખે છે તો તેનો ખર્ચ રૂ. 15 લાખથી રૂ. 30 લાખ સુધીનો હોય છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લાં બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક ઉછાળાને કારણે એવિએશન લીઝિંગ કંપનીઓને નવા એરક્રાફ્ટની શોધ કરવામાં આવી રહી છે, કારણ કે તેમની ઇન્વેન્ટરી સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. “આટલી ઊંચી માંગ સાથે, વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઇન્વેન્ટરીની અછત સ્થાનિક ખેલાડીઓને પણ અસર કરી રહી છે. 


નેતાઓ માટે 4-5 એરક્રાફ્ટ સ્ટેન્ડબાય 


ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક ઉછાળાને કારણે ઘણા રાજકીય પક્ષોએ દિલ્હી અથવા મુંબઈથી ચાર્ટર બુક કરાવ્યા."કોંગ્રેસ, ભાજપ અને AAP જેવા પક્ષો પાસે સામૂહિક રીતે ચાર કે પાંચ એરક્રાફ્ટ સ્ટેન્ડબાય પર છે, પ્રચાર માટે ગુજરાતના પ્રવાસ માટે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવા માટે," છેલ્લા બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગ વધવાને કારણે એવિએશન લીઝિંગ કંપનીઓને નવા એરક્રાફ્ટ પુરા પાડવામાં મુશ્કેલી આવી રહી છે, કારણ કે તેમની ઈન્વેન્ટરી સંપૂર્ણ રીતે બુક થઈ જાય છે. એવિએશન લીઝિંગ કંપની સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા પ્રમાણે ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની આટલી ઊંચી માંગ સાથે, વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઇન્વેન્ટરીની અછત સ્થાનિક ખેલાડીઓને પણ અસર કરી રહી છે, અમે અમારો કાફલો વિસ્તારવા માગીએ છીએ.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.