વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ચાર્ટર પ્લેનની માંગ વધી, દરરોજનું ભાડું 15 થી 30 લાખ


  • Published By :
  • Published Date : 2022-11-22 13:52:24

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી પ્રચાર અભિયાન માટે નેતાઓ માટે ખાસ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરોની ડિમાન્ડ વધી છે. તેમાં પણ સૌથી વધુ માગ તો એરક્રાફ્ટની છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે, ત્યારે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રાઈવેટ જેટ્સ એવિયેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે કુલ ચાર્ટર્સની ઓછામાં ઓછી 50% માંગ રાજકીય પાર્ટીઓ તરફથી આવે છે.


ચૂંટણી ટાણે ચાર્ટર જેટની ડિમાન્ડ વધી


નિર્ધારિત ફ્લાઇટ્સમાં ઉડવાને બદલે હવે મોટાભાગના રાજકારણીઓ હવે ચાર્ટર જેટ દ્વારા આવે છે અને રાજ્યની અંદર ઉડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રચાર માટે આવતા ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી અને આપના દિલ્હીના મુખ્યમંત્રી તથા આપના કન્વિનર અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે ખાસ ચાર્ટર જેટ્સ અને હેલિકોપ્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. અવિયેશન ઇન્ડસ્ટ્રીઝના સુત્રોના જણાવ્યા પ્રમાણે હજુ પણ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરની માગ વધશે.


ચાર્ટર એરક્રાફ્ટનો ખર્ચ 15 લાખથી 30 લાખ


અમદાવાદ સ્થિત એક ઉડ્ડયન કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે.આ મહિને મોટા ભાગના ચાર્ટર પ્લેન રાજકીય નેતાઓ માટે બુક થઈ ગયા છે. એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ માટે નેતાઓ દ્વારા ઓછામાં ઓછા ચાર કલાક માટે ભાડે લેવામાં આવે છે.”જો કોઈ પાર્ટી એક દિવસ માટે પણ ચાર્ટર એરક્રાફ્ટ રાખે છે તો તેનો ખર્ચ રૂ. 15 લાખથી રૂ. 30 લાખ સુધીનો હોય છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લાં બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક ઉછાળાને કારણે એવિએશન લીઝિંગ કંપનીઓને નવા એરક્રાફ્ટની શોધ કરવામાં આવી રહી છે, કારણ કે તેમની ઇન્વેન્ટરી સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. “આટલી ઊંચી માંગ સાથે, વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઇન્વેન્ટરીની અછત સ્થાનિક ખેલાડીઓને પણ અસર કરી રહી છે. 


નેતાઓ માટે 4-5 એરક્રાફ્ટ સ્ટેન્ડબાય 


ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક ઉછાળાને કારણે ઘણા રાજકીય પક્ષોએ દિલ્હી અથવા મુંબઈથી ચાર્ટર બુક કરાવ્યા."કોંગ્રેસ, ભાજપ અને AAP જેવા પક્ષો પાસે સામૂહિક રીતે ચાર કે પાંચ એરક્રાફ્ટ સ્ટેન્ડબાય પર છે, પ્રચાર માટે ગુજરાતના પ્રવાસ માટે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવા માટે," છેલ્લા બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગ વધવાને કારણે એવિએશન લીઝિંગ કંપનીઓને નવા એરક્રાફ્ટ પુરા પાડવામાં મુશ્કેલી આવી રહી છે, કારણ કે તેમની ઈન્વેન્ટરી સંપૂર્ણ રીતે બુક થઈ જાય છે. એવિએશન લીઝિંગ કંપની સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા પ્રમાણે ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની આટલી ઊંચી માંગ સાથે, વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઇન્વેન્ટરીની અછત સ્થાનિક ખેલાડીઓને પણ અસર કરી રહી છે, અમે અમારો કાફલો વિસ્તારવા માગીએ છીએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.