વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ચાર્ટર પ્લેનની માંગ વધી, દરરોજનું ભાડું 15 થી 30 લાખ


  • Published By :
  • Published Date : 2022-11-22 13:52:24

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી પ્રચાર અભિયાન માટે નેતાઓ માટે ખાસ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરોની ડિમાન્ડ વધી છે. તેમાં પણ સૌથી વધુ માગ તો એરક્રાફ્ટની છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે, ત્યારે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રાઈવેટ જેટ્સ એવિયેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે કુલ ચાર્ટર્સની ઓછામાં ઓછી 50% માંગ રાજકીય પાર્ટીઓ તરફથી આવે છે.


ચૂંટણી ટાણે ચાર્ટર જેટની ડિમાન્ડ વધી


નિર્ધારિત ફ્લાઇટ્સમાં ઉડવાને બદલે હવે મોટાભાગના રાજકારણીઓ હવે ચાર્ટર જેટ દ્વારા આવે છે અને રાજ્યની અંદર ઉડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રચાર માટે આવતા ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી અને આપના દિલ્હીના મુખ્યમંત્રી તથા આપના કન્વિનર અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે ખાસ ચાર્ટર જેટ્સ અને હેલિકોપ્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. અવિયેશન ઇન્ડસ્ટ્રીઝના સુત્રોના જણાવ્યા પ્રમાણે હજુ પણ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરની માગ વધશે.


ચાર્ટર એરક્રાફ્ટનો ખર્ચ 15 લાખથી 30 લાખ


અમદાવાદ સ્થિત એક ઉડ્ડયન કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે.આ મહિને મોટા ભાગના ચાર્ટર પ્લેન રાજકીય નેતાઓ માટે બુક થઈ ગયા છે. એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ માટે નેતાઓ દ્વારા ઓછામાં ઓછા ચાર કલાક માટે ભાડે લેવામાં આવે છે.”જો કોઈ પાર્ટી એક દિવસ માટે પણ ચાર્ટર એરક્રાફ્ટ રાખે છે તો તેનો ખર્ચ રૂ. 15 લાખથી રૂ. 30 લાખ સુધીનો હોય છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લાં બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક ઉછાળાને કારણે એવિએશન લીઝિંગ કંપનીઓને નવા એરક્રાફ્ટની શોધ કરવામાં આવી રહી છે, કારણ કે તેમની ઇન્વેન્ટરી સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. “આટલી ઊંચી માંગ સાથે, વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઇન્વેન્ટરીની અછત સ્થાનિક ખેલાડીઓને પણ અસર કરી રહી છે. 


નેતાઓ માટે 4-5 એરક્રાફ્ટ સ્ટેન્ડબાય 


ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક ઉછાળાને કારણે ઘણા રાજકીય પક્ષોએ દિલ્હી અથવા મુંબઈથી ચાર્ટર બુક કરાવ્યા."કોંગ્રેસ, ભાજપ અને AAP જેવા પક્ષો પાસે સામૂહિક રીતે ચાર કે પાંચ એરક્રાફ્ટ સ્ટેન્ડબાય પર છે, પ્રચાર માટે ગુજરાતના પ્રવાસ માટે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવા માટે," છેલ્લા બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગ વધવાને કારણે એવિએશન લીઝિંગ કંપનીઓને નવા એરક્રાફ્ટ પુરા પાડવામાં મુશ્કેલી આવી રહી છે, કારણ કે તેમની ઈન્વેન્ટરી સંપૂર્ણ રીતે બુક થઈ જાય છે. એવિએશન લીઝિંગ કંપની સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા પ્રમાણે ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની આટલી ઊંચી માંગ સાથે, વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઇન્વેન્ટરીની અછત સ્થાનિક ખેલાડીઓને પણ અસર કરી રહી છે, અમે અમારો કાફલો વિસ્તારવા માગીએ છીએ.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.