વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ચાર્ટર પ્લેનની માંગ વધી, દરરોજનું ભાડું 15 થી 30 લાખ


  • Published By :
  • Published Date : 2022-11-22 13:52:24

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી પ્રચાર અભિયાન માટે નેતાઓ માટે ખાસ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરોની ડિમાન્ડ વધી છે. તેમાં પણ સૌથી વધુ માગ તો એરક્રાફ્ટની છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે, ત્યારે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રાઈવેટ જેટ્સ એવિયેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે કુલ ચાર્ટર્સની ઓછામાં ઓછી 50% માંગ રાજકીય પાર્ટીઓ તરફથી આવે છે.


ચૂંટણી ટાણે ચાર્ટર જેટની ડિમાન્ડ વધી


નિર્ધારિત ફ્લાઇટ્સમાં ઉડવાને બદલે હવે મોટાભાગના રાજકારણીઓ હવે ચાર્ટર જેટ દ્વારા આવે છે અને રાજ્યની અંદર ઉડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રચાર માટે આવતા ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી અને આપના દિલ્હીના મુખ્યમંત્રી તથા આપના કન્વિનર અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે ખાસ ચાર્ટર જેટ્સ અને હેલિકોપ્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. અવિયેશન ઇન્ડસ્ટ્રીઝના સુત્રોના જણાવ્યા પ્રમાણે હજુ પણ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરની માગ વધશે.


ચાર્ટર એરક્રાફ્ટનો ખર્ચ 15 લાખથી 30 લાખ


અમદાવાદ સ્થિત એક ઉડ્ડયન કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે.આ મહિને મોટા ભાગના ચાર્ટર પ્લેન રાજકીય નેતાઓ માટે બુક થઈ ગયા છે. એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ માટે નેતાઓ દ્વારા ઓછામાં ઓછા ચાર કલાક માટે ભાડે લેવામાં આવે છે.”જો કોઈ પાર્ટી એક દિવસ માટે પણ ચાર્ટર એરક્રાફ્ટ રાખે છે તો તેનો ખર્ચ રૂ. 15 લાખથી રૂ. 30 લાખ સુધીનો હોય છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લાં બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક ઉછાળાને કારણે એવિએશન લીઝિંગ કંપનીઓને નવા એરક્રાફ્ટની શોધ કરવામાં આવી રહી છે, કારણ કે તેમની ઇન્વેન્ટરી સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. “આટલી ઊંચી માંગ સાથે, વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઇન્વેન્ટરીની અછત સ્થાનિક ખેલાડીઓને પણ અસર કરી રહી છે. 


નેતાઓ માટે 4-5 એરક્રાફ્ટ સ્ટેન્ડબાય 


ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક ઉછાળાને કારણે ઘણા રાજકીય પક્ષોએ દિલ્હી અથવા મુંબઈથી ચાર્ટર બુક કરાવ્યા."કોંગ્રેસ, ભાજપ અને AAP જેવા પક્ષો પાસે સામૂહિક રીતે ચાર કે પાંચ એરક્રાફ્ટ સ્ટેન્ડબાય પર છે, પ્રચાર માટે ગુજરાતના પ્રવાસ માટે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવા માટે," છેલ્લા બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગ વધવાને કારણે એવિએશન લીઝિંગ કંપનીઓને નવા એરક્રાફ્ટ પુરા પાડવામાં મુશ્કેલી આવી રહી છે, કારણ કે તેમની ઈન્વેન્ટરી સંપૂર્ણ રીતે બુક થઈ જાય છે. એવિએશન લીઝિંગ કંપની સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા પ્રમાણે ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની આટલી ઊંચી માંગ સાથે, વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઇન્વેન્ટરીની અછત સ્થાનિક ખેલાડીઓને પણ અસર કરી રહી છે, અમે અમારો કાફલો વિસ્તારવા માગીએ છીએ.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .