વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ચાર્ટર પ્લેનની માંગ વધી, દરરોજનું ભાડું 15 થી 30 લાખ


  • Published By :
  • Published Date : 2022-11-22 13:52:24

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી પ્રચાર અભિયાન માટે નેતાઓ માટે ખાસ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરોની ડિમાન્ડ વધી છે. તેમાં પણ સૌથી વધુ માગ તો એરક્રાફ્ટની છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે, ત્યારે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રાઈવેટ જેટ્સ એવિયેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે કુલ ચાર્ટર્સની ઓછામાં ઓછી 50% માંગ રાજકીય પાર્ટીઓ તરફથી આવે છે.


ચૂંટણી ટાણે ચાર્ટર જેટની ડિમાન્ડ વધી


નિર્ધારિત ફ્લાઇટ્સમાં ઉડવાને બદલે હવે મોટાભાગના રાજકારણીઓ હવે ચાર્ટર જેટ દ્વારા આવે છે અને રાજ્યની અંદર ઉડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રચાર માટે આવતા ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી અને આપના દિલ્હીના મુખ્યમંત્રી તથા આપના કન્વિનર અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે ખાસ ચાર્ટર જેટ્સ અને હેલિકોપ્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. અવિયેશન ઇન્ડસ્ટ્રીઝના સુત્રોના જણાવ્યા પ્રમાણે હજુ પણ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરની માગ વધશે.


ચાર્ટર એરક્રાફ્ટનો ખર્ચ 15 લાખથી 30 લાખ


અમદાવાદ સ્થિત એક ઉડ્ડયન કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે.આ મહિને મોટા ભાગના ચાર્ટર પ્લેન રાજકીય નેતાઓ માટે બુક થઈ ગયા છે. એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ માટે નેતાઓ દ્વારા ઓછામાં ઓછા ચાર કલાક માટે ભાડે લેવામાં આવે છે.”જો કોઈ પાર્ટી એક દિવસ માટે પણ ચાર્ટર એરક્રાફ્ટ રાખે છે તો તેનો ખર્ચ રૂ. 15 લાખથી રૂ. 30 લાખ સુધીનો હોય છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લાં બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક ઉછાળાને કારણે એવિએશન લીઝિંગ કંપનીઓને નવા એરક્રાફ્ટની શોધ કરવામાં આવી રહી છે, કારણ કે તેમની ઇન્વેન્ટરી સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. “આટલી ઊંચી માંગ સાથે, વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઇન્વેન્ટરીની અછત સ્થાનિક ખેલાડીઓને પણ અસર કરી રહી છે. 


નેતાઓ માટે 4-5 એરક્રાફ્ટ સ્ટેન્ડબાય 


ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક ઉછાળાને કારણે ઘણા રાજકીય પક્ષોએ દિલ્હી અથવા મુંબઈથી ચાર્ટર બુક કરાવ્યા."કોંગ્રેસ, ભાજપ અને AAP જેવા પક્ષો પાસે સામૂહિક રીતે ચાર કે પાંચ એરક્રાફ્ટ સ્ટેન્ડબાય પર છે, પ્રચાર માટે ગુજરાતના પ્રવાસ માટે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવા માટે," છેલ્લા બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગ વધવાને કારણે એવિએશન લીઝિંગ કંપનીઓને નવા એરક્રાફ્ટ પુરા પાડવામાં મુશ્કેલી આવી રહી છે, કારણ કે તેમની ઈન્વેન્ટરી સંપૂર્ણ રીતે બુક થઈ જાય છે. એવિએશન લીઝિંગ કંપની સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા પ્રમાણે ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની આટલી ઊંચી માંગ સાથે, વૈશ્વિક સ્તરે પ્રવર્તતી ઇન્વેન્ટરીની અછત સ્થાનિક ખેલાડીઓને પણ અસર કરી રહી છે, અમે અમારો કાફલો વિસ્તારવા માગીએ છીએ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.