ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આતુરતાનો આવશે અંત, EC આજે જાહેર કરી શકે છે તારીખ


  • Published By :
  • Published Date : 2022-11-02 12:10:02

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અટકળોનું બજાર ગરમ છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ત્યારથી રાજ્યના લોકો અને રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો  કે  આજે એટલે કે બુધવાર સાંજ સુધીમાં ચૂંટણી જાહેર થાય તેવું માનવામાં આવી રહ્યું છે. 


મોરબી બિજ દુર્ઘટનાના કારણે જાહેરાતમાં વિલંબ


રાજ્યમાં ઘણા સમયથી વિધાનસભાની ચૂંટણીને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવી દેનારી મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે ચૂંટણી મોડી થઈ હોવાનું મનાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચૂંટણીની જાહેરાતમાં વિલંબ થવાને લઈ કોંગ્રેસે પણ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. જો કે હવે વિશ્વસનિય સુત્રો દ્વારા મળતી માહિતી મુંજબ આજે ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ વર્ષ 2017ની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.