ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આતુરતાનો આવશે અંત, EC આજે જાહેર કરી શકે છે તારીખ


  • Published By :
  • Published Date : 2022-11-02 12:10:02

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અટકળોનું બજાર ગરમ છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ત્યારથી રાજ્યના લોકો અને રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો  કે  આજે એટલે કે બુધવાર સાંજ સુધીમાં ચૂંટણી જાહેર થાય તેવું માનવામાં આવી રહ્યું છે. 


મોરબી બિજ દુર્ઘટનાના કારણે જાહેરાતમાં વિલંબ


રાજ્યમાં ઘણા સમયથી વિધાનસભાની ચૂંટણીને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવી દેનારી મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે ચૂંટણી મોડી થઈ હોવાનું મનાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચૂંટણીની જાહેરાતમાં વિલંબ થવાને લઈ કોંગ્રેસે પણ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. જો કે હવે વિશ્વસનિય સુત્રો દ્વારા મળતી માહિતી મુંજબ આજે ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ વર્ષ 2017ની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.