ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આતુરતાનો આવશે અંત, EC આજે જાહેર કરી શકે છે તારીખ


  • Published By :
  • Published Date : 2022-11-02 12:10:02

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અટકળોનું બજાર ગરમ છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ત્યારથી રાજ્યના લોકો અને રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો  કે  આજે એટલે કે બુધવાર સાંજ સુધીમાં ચૂંટણી જાહેર થાય તેવું માનવામાં આવી રહ્યું છે. 


મોરબી બિજ દુર્ઘટનાના કારણે જાહેરાતમાં વિલંબ


રાજ્યમાં ઘણા સમયથી વિધાનસભાની ચૂંટણીને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવી દેનારી મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે ચૂંટણી મોડી થઈ હોવાનું મનાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચૂંટણીની જાહેરાતમાં વિલંબ થવાને લઈ કોંગ્રેસે પણ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. જો કે હવે વિશ્વસનિય સુત્રો દ્વારા મળતી માહિતી મુંજબ આજે ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ વર્ષ 2017ની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.