ન ભૂતો ન ભવિષ્યતિ: 156 બેઠકો સાથે ભાજપની પ્રચંડ જીત, વિધાનસભામાં વિરોધ પક્ષના ફાફાં


  • Published By :
  • Published Date : 2022-12-08 19:13:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે અત્યાર સુધીના તમામ વિક્રમ તોડી નાંખ્યા છે. ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી છે. 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનો 20 વર્ષનો અને કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 37 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભાજપની ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કોંગ્રેસનો 1985માં રચાયેલા 149 સીટનો રેકોર્ડ  તોડી નાખ્યો છે. તે જ પ્રકારે નરેન્દ્ર મોદીનો 2002માં 127 બેઠકોનો રેકોર્ડ પણ આ વખતે તુટ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે. 


કોંગ્રેસના સુપડા સાફ


વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે. વર્ષ 2017માં 77 સીટો મેળવનારી કોંગ્રેસે આ વખતે માત્ર 17 સીટથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસના અનેક  દિગ્ગજો ચૂંટણી હારી ગયા છે. અમરીશ ડેર, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દીન શેખ સહિતના અગ્રણી નેતાઓ ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસની હાર એટલી મોટી છે કે હવે ભવિષ્યમાં ઉભી થઈ શકશે કે કેમ તે પણ એક સવાલ છે. 


આપના ગાજ્યા મેઘ વરસ્યા નહીં


ગુજરાતમાં આમ આદમી પાર્ટી મોટી જીત મેળવશે તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. જો કે આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા,અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, રામ ધડુક, મનોજ સોરઠિયા સહિતના અગ્રણી નેતાઓનો કારમો પરાજય થયો છે. આપના નેતાઓએ રાજ્યમાં જોરદાર પ્રયાર અભિયાન ચલાવ્યું હતું. આપના કન્વિનર અરવિંદ કેજરીવાલે પણ રાજ્યમાં રોડ શો તથા ચૂટણી રેલીઓ સંબોધીને મતદારોને રિઝવવાના પ્રયાસો કર્યા હતા. જો કે આપના જાણીતા ચહેરા સિવાયના અન્ય ઉમેદવારો જેવા કે ડેડિયાપાડાન આપના ઉમેદવાર ચૈતર વસાવા સહિતના પાંચ નેતાઓની જીત થઈ છે.


યુવા નેતાઓની વિધાનસભામાં એન્ટ્રી


આ વખતે વિધાન સભામાં કેટલાક યુવા નેતાઓની પણ એન્ટ્રી થઈ છે. જેમ કે વિરમગામ સીટ પરથી હાર્દિક પટેલ, વડગામ સીટ પરથી જિજ્ઞેશ મેવાણી અને ગાંધીનગર દક્ષિણ પરથી અલ્પેશ ઠાકોરની જીત થઈ છે. આ ત્રણેય નેતાઓ અનામત આંદોલન વખતે ચમક્યા હતા અને તેમની જાતિમાં લોકપ્રિય બન્યા હતા. તે ઉપરાંત મહિલાઓમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ જીત મેળવી છે. તે જ રીતે ગ્રામ સેવકની નોકરી છોડીને રાજકારણમાં આવેલા આપના ચૈતર વસાવાએ પણ ભવ્ય જીત મેળવી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.