ન ભૂતો ન ભવિષ્યતિ: 156 બેઠકો સાથે ભાજપની પ્રચંડ જીત, વિધાનસભામાં વિરોધ પક્ષના ફાફાં


  • Published By :
  • Published Date : 2022-12-08 19:13:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે અત્યાર સુધીના તમામ વિક્રમ તોડી નાંખ્યા છે. ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી છે. 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનો 20 વર્ષનો અને કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 37 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભાજપની ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કોંગ્રેસનો 1985માં રચાયેલા 149 સીટનો રેકોર્ડ  તોડી નાખ્યો છે. તે જ પ્રકારે નરેન્દ્ર મોદીનો 2002માં 127 બેઠકોનો રેકોર્ડ પણ આ વખતે તુટ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે. 


કોંગ્રેસના સુપડા સાફ


વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે. વર્ષ 2017માં 77 સીટો મેળવનારી કોંગ્રેસે આ વખતે માત્ર 17 સીટથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસના અનેક  દિગ્ગજો ચૂંટણી હારી ગયા છે. અમરીશ ડેર, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દીન શેખ સહિતના અગ્રણી નેતાઓ ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસની હાર એટલી મોટી છે કે હવે ભવિષ્યમાં ઉભી થઈ શકશે કે કેમ તે પણ એક સવાલ છે. 


આપના ગાજ્યા મેઘ વરસ્યા નહીં


ગુજરાતમાં આમ આદમી પાર્ટી મોટી જીત મેળવશે તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. જો કે આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા,અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, રામ ધડુક, મનોજ સોરઠિયા સહિતના અગ્રણી નેતાઓનો કારમો પરાજય થયો છે. આપના નેતાઓએ રાજ્યમાં જોરદાર પ્રયાર અભિયાન ચલાવ્યું હતું. આપના કન્વિનર અરવિંદ કેજરીવાલે પણ રાજ્યમાં રોડ શો તથા ચૂટણી રેલીઓ સંબોધીને મતદારોને રિઝવવાના પ્રયાસો કર્યા હતા. જો કે આપના જાણીતા ચહેરા સિવાયના અન્ય ઉમેદવારો જેવા કે ડેડિયાપાડાન આપના ઉમેદવાર ચૈતર વસાવા સહિતના પાંચ નેતાઓની જીત થઈ છે.


યુવા નેતાઓની વિધાનસભામાં એન્ટ્રી


આ વખતે વિધાન સભામાં કેટલાક યુવા નેતાઓની પણ એન્ટ્રી થઈ છે. જેમ કે વિરમગામ સીટ પરથી હાર્દિક પટેલ, વડગામ સીટ પરથી જિજ્ઞેશ મેવાણી અને ગાંધીનગર દક્ષિણ પરથી અલ્પેશ ઠાકોરની જીત થઈ છે. આ ત્રણેય નેતાઓ અનામત આંદોલન વખતે ચમક્યા હતા અને તેમની જાતિમાં લોકપ્રિય બન્યા હતા. તે ઉપરાંત મહિલાઓમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ જીત મેળવી છે. તે જ રીતે ગ્રામ સેવકની નોકરી છોડીને રાજકારણમાં આવેલા આપના ચૈતર વસાવાએ પણ ભવ્ય જીત મેળવી છે. 



" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.