ન ભૂતો ન ભવિષ્યતિ: 156 બેઠકો સાથે ભાજપની પ્રચંડ જીત, વિધાનસભામાં વિરોધ પક્ષના ફાફાં


  • Published By :
  • Published Date : 2022-12-08 19:13:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે અત્યાર સુધીના તમામ વિક્રમ તોડી નાંખ્યા છે. ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી છે. 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનો 20 વર્ષનો અને કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 37 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભાજપની ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કોંગ્રેસનો 1985માં રચાયેલા 149 સીટનો રેકોર્ડ  તોડી નાખ્યો છે. તે જ પ્રકારે નરેન્દ્ર મોદીનો 2002માં 127 બેઠકોનો રેકોર્ડ પણ આ વખતે તુટ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે. 


કોંગ્રેસના સુપડા સાફ


વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે. વર્ષ 2017માં 77 સીટો મેળવનારી કોંગ્રેસે આ વખતે માત્ર 17 સીટથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસના અનેક  દિગ્ગજો ચૂંટણી હારી ગયા છે. અમરીશ ડેર, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દીન શેખ સહિતના અગ્રણી નેતાઓ ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસની હાર એટલી મોટી છે કે હવે ભવિષ્યમાં ઉભી થઈ શકશે કે કેમ તે પણ એક સવાલ છે. 


આપના ગાજ્યા મેઘ વરસ્યા નહીં


ગુજરાતમાં આમ આદમી પાર્ટી મોટી જીત મેળવશે તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. જો કે આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા,અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, રામ ધડુક, મનોજ સોરઠિયા સહિતના અગ્રણી નેતાઓનો કારમો પરાજય થયો છે. આપના નેતાઓએ રાજ્યમાં જોરદાર પ્રયાર અભિયાન ચલાવ્યું હતું. આપના કન્વિનર અરવિંદ કેજરીવાલે પણ રાજ્યમાં રોડ શો તથા ચૂટણી રેલીઓ સંબોધીને મતદારોને રિઝવવાના પ્રયાસો કર્યા હતા. જો કે આપના જાણીતા ચહેરા સિવાયના અન્ય ઉમેદવારો જેવા કે ડેડિયાપાડાન આપના ઉમેદવાર ચૈતર વસાવા સહિતના પાંચ નેતાઓની જીત થઈ છે.


યુવા નેતાઓની વિધાનસભામાં એન્ટ્રી


આ વખતે વિધાન સભામાં કેટલાક યુવા નેતાઓની પણ એન્ટ્રી થઈ છે. જેમ કે વિરમગામ સીટ પરથી હાર્દિક પટેલ, વડગામ સીટ પરથી જિજ્ઞેશ મેવાણી અને ગાંધીનગર દક્ષિણ પરથી અલ્પેશ ઠાકોરની જીત થઈ છે. આ ત્રણેય નેતાઓ અનામત આંદોલન વખતે ચમક્યા હતા અને તેમની જાતિમાં લોકપ્રિય બન્યા હતા. તે ઉપરાંત મહિલાઓમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ જીત મેળવી છે. તે જ રીતે ગ્રામ સેવકની નોકરી છોડીને રાજકારણમાં આવેલા આપના ચૈતર વસાવાએ પણ ભવ્ય જીત મેળવી છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.