ન ભૂતો ન ભવિષ્યતિ: 156 બેઠકો સાથે ભાજપની પ્રચંડ જીત, વિધાનસભામાં વિરોધ પક્ષના ફાફાં


  • Published By :
  • Published Date : 2022-12-08 19:13:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે અત્યાર સુધીના તમામ વિક્રમ તોડી નાંખ્યા છે. ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી છે. 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનો 20 વર્ષનો અને કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 37 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભાજપની ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કોંગ્રેસનો 1985માં રચાયેલા 149 સીટનો રેકોર્ડ  તોડી નાખ્યો છે. તે જ પ્રકારે નરેન્દ્ર મોદીનો 2002માં 127 બેઠકોનો રેકોર્ડ પણ આ વખતે તુટ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે. 


કોંગ્રેસના સુપડા સાફ


વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે. વર્ષ 2017માં 77 સીટો મેળવનારી કોંગ્રેસે આ વખતે માત્ર 17 સીટથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસના અનેક  દિગ્ગજો ચૂંટણી હારી ગયા છે. અમરીશ ડેર, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દીન શેખ સહિતના અગ્રણી નેતાઓ ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસની હાર એટલી મોટી છે કે હવે ભવિષ્યમાં ઉભી થઈ શકશે કે કેમ તે પણ એક સવાલ છે. 


આપના ગાજ્યા મેઘ વરસ્યા નહીં


ગુજરાતમાં આમ આદમી પાર્ટી મોટી જીત મેળવશે તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. જો કે આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા,અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, રામ ધડુક, મનોજ સોરઠિયા સહિતના અગ્રણી નેતાઓનો કારમો પરાજય થયો છે. આપના નેતાઓએ રાજ્યમાં જોરદાર પ્રયાર અભિયાન ચલાવ્યું હતું. આપના કન્વિનર અરવિંદ કેજરીવાલે પણ રાજ્યમાં રોડ શો તથા ચૂટણી રેલીઓ સંબોધીને મતદારોને રિઝવવાના પ્રયાસો કર્યા હતા. જો કે આપના જાણીતા ચહેરા સિવાયના અન્ય ઉમેદવારો જેવા કે ડેડિયાપાડાન આપના ઉમેદવાર ચૈતર વસાવા સહિતના પાંચ નેતાઓની જીત થઈ છે.


યુવા નેતાઓની વિધાનસભામાં એન્ટ્રી


આ વખતે વિધાન સભામાં કેટલાક યુવા નેતાઓની પણ એન્ટ્રી થઈ છે. જેમ કે વિરમગામ સીટ પરથી હાર્દિક પટેલ, વડગામ સીટ પરથી જિજ્ઞેશ મેવાણી અને ગાંધીનગર દક્ષિણ પરથી અલ્પેશ ઠાકોરની જીત થઈ છે. આ ત્રણેય નેતાઓ અનામત આંદોલન વખતે ચમક્યા હતા અને તેમની જાતિમાં લોકપ્રિય બન્યા હતા. તે ઉપરાંત મહિલાઓમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ જીત મેળવી છે. તે જ રીતે ગ્રામ સેવકની નોકરી છોડીને રાજકારણમાં આવેલા આપના ચૈતર વસાવાએ પણ ભવ્ય જીત મેળવી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .