ભાજપની આંધીમાં કોંગ્રેસના 41 અને AAPના 128 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત


  • Published By :
  • Published Date : 2022-12-09 21:48:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્‍યો એટલા મોટા માર્જિન સાથે વિજયી થયા છે કે મોટા પક્ષોના અને અપક્ષ ઉમેદવારોએ પોતાની સિકયુરિટી ડિપોઝિટ પણ ગુમાવી દીધી છે. ભાજપની આ પ્રચંડ જીતના કારણે આમ આદમી પાર્ટીના 181માંથી 128 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે જ્‍યારે કોંગ્રેસના 41 બેઠકોના ઉમેદવારોએ ઉમેદવારોને ડિપોઝીટ પણ ગુમાવવી પડી છે. 


કયા જાણીતા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી


અમી યાજ્ઞિક


મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના ઘાટલોડિયા મતક્ષેત્રમાં કોંગ્રેસના અમી યાજ્ઞિકે ડિપોઝિટ ગુમાવી છે. કુલ પડેલા  2.57 લાખ મતોમાંથી માત્ર 8.3 ટકા મત તેમની તરફેણમાં પડ્‍યા હતા. જ્‍યારે આપના ઉમેદવાર વિજય પટેલને ફક્‍ત 6.3 ટકા મત મળ્‍યા હતા.


મધુ શ્રીવાસ્‍તવ 


વાઘોડિયા બેઠક પર ભાજપના બળવાખોર નેતા અને છ વાર ધારાસભ્‍ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્‍તવે આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમને કુલ પડેલા 1.82 લાખ મતોમાંથી માત્ર 8 ટકા મત મળ્‍યા હતા. તો કોંગ્રેસ ઉમેદવાર સત્‍યજીત ગાયકવાડને 10.3 ટકા મત મળ્‍યા હતા. તેઓ અપક્ષ ઉમેદવાર ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા.


આપના પી.બી. શર્મા


મજૂરાગેટ મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર અને ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી 1.33 લાખ મત મેળવીને વિજયી થયા છે. તેમના મજબૂત હરીફ ગણાતા આપના પી.બી. શર્માને કુલ પડેલા 1.63 લાખ મતમાંથી 10.24 ટકા મત મળ્‍યા છે જ્‍યારે કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનને  5.81 ટકા મત મળ્‍યા છે. આપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે.


8 બેઠકો પર ભાજપને 75 ટકાથી વધુ મત 


ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રથમવાર જંગમાં ઉતરી હતી તેમ છતાં 34  બેઠકો પર બીજા ક્રમે રહી હતી. આઠ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને 75 ટકાથી વધુ મત મળ્‍યા છે. ૩૨ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને 60થી 74 ટકા મત મળ્‍યા છે. 


કોંગ્રેસને ક્યાં સૌથી વધુ અને ઓછા મત 


કોંગ્રેસને સૌથી વધુ વોટ વાંસદા બેઠક પર મળ્‍યા છે આ સીટ જાણીતા આદિવાસી નેતા અનંત પટેલે જીતી છે. કુલ મતોમાંથી કોંગ્રેસ ઉમેદવારને 52.5 ટકા મત મળ્‍યા હતા,જ્‍યારે સૌથી ઓછા સુરતની વરાછા બેઠક પર  2.41 ટકા મત મળ્‍યા હતા. 


ચૈતર વસાવાને મળ્યા સૌથી વધુ મત


આપને સૌથી વધુ વોટ શેર ડેડિયાપાડાની બેઠક પર મળ્‍યા હતા આ સીટ પર આપના ઉમેદવાર ચૈતર વસાવા જીત્યા છે. અહીં આપને 55.8 ટકા મત મળ્‍યા જ્‍યારે સૌથી ઓછા થરાદ બેઠક પર માત્ર  0.13 ટકા મત મળ્‍યા છે.


નોટામાં કેટલા મત પડ્‍યા?


આ વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૫.૫૨ લાખ મતદારોએ નોટાનું બટન દબાવ્‍યું હતું. જોકે, 2017ની ચૂંટણી કરતાં લગભગ 50,000  ઓછા મતદારોએ નોટાને વોટ આપ્‍યો હતો. ખેડબ્રહ્મા મતક્ષેત્રમાં સૌથી વધુ 7,331 મત નોટામાં પડ્‍યા હતા. કોંગ્રેસ ઉમેદવાર 1700 વોટના માર્જિનથી ખેડબ્રહ્મા બેઠક પર વિજયી થયા હતા.


ઉમેદવાર ડિપોઝીટ ક્યારે ગુમાવે છે?


વિધાનસભા ચૂંટણીમાં દરેક ઉમેદવારે 10 હજાર રકમ ડિપોઝીટ સ્વરૂપે આપવાની રહે છે. જે ઉમેદવાર ચૂંટણીમાં પડેલા કુલ મતના 1/6 મત પણ ન મેળવી શકે તેની ડિપોઝિટ જપ્ત થાય છે. ઉદાહરણ તરીકે લાયકાત ધરાવતા કુલ મતોમાંથી 16.67 ટકા અથવા છઠ્ઠા ભાગના મતથી ઓછા મત મળે તો ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.