ભાજપની આંધીમાં કોંગ્રેસના 41 અને AAPના 128 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત


  • Published By :
  • Published Date : 2022-12-09 21:48:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્‍યો એટલા મોટા માર્જિન સાથે વિજયી થયા છે કે મોટા પક્ષોના અને અપક્ષ ઉમેદવારોએ પોતાની સિકયુરિટી ડિપોઝિટ પણ ગુમાવી દીધી છે. ભાજપની આ પ્રચંડ જીતના કારણે આમ આદમી પાર્ટીના 181માંથી 128 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે જ્‍યારે કોંગ્રેસના 41 બેઠકોના ઉમેદવારોએ ઉમેદવારોને ડિપોઝીટ પણ ગુમાવવી પડી છે. 


કયા જાણીતા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી


અમી યાજ્ઞિક


મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના ઘાટલોડિયા મતક્ષેત્રમાં કોંગ્રેસના અમી યાજ્ઞિકે ડિપોઝિટ ગુમાવી છે. કુલ પડેલા  2.57 લાખ મતોમાંથી માત્ર 8.3 ટકા મત તેમની તરફેણમાં પડ્‍યા હતા. જ્‍યારે આપના ઉમેદવાર વિજય પટેલને ફક્‍ત 6.3 ટકા મત મળ્‍યા હતા.


મધુ શ્રીવાસ્‍તવ 


વાઘોડિયા બેઠક પર ભાજપના બળવાખોર નેતા અને છ વાર ધારાસભ્‍ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્‍તવે આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમને કુલ પડેલા 1.82 લાખ મતોમાંથી માત્ર 8 ટકા મત મળ્‍યા હતા. તો કોંગ્રેસ ઉમેદવાર સત્‍યજીત ગાયકવાડને 10.3 ટકા મત મળ્‍યા હતા. તેઓ અપક્ષ ઉમેદવાર ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા.


આપના પી.બી. શર્મા


મજૂરાગેટ મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર અને ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી 1.33 લાખ મત મેળવીને વિજયી થયા છે. તેમના મજબૂત હરીફ ગણાતા આપના પી.બી. શર્માને કુલ પડેલા 1.63 લાખ મતમાંથી 10.24 ટકા મત મળ્‍યા છે જ્‍યારે કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનને  5.81 ટકા મત મળ્‍યા છે. આપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે.


8 બેઠકો પર ભાજપને 75 ટકાથી વધુ મત 


ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રથમવાર જંગમાં ઉતરી હતી તેમ છતાં 34  બેઠકો પર બીજા ક્રમે રહી હતી. આઠ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને 75 ટકાથી વધુ મત મળ્‍યા છે. ૩૨ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને 60થી 74 ટકા મત મળ્‍યા છે. 


કોંગ્રેસને ક્યાં સૌથી વધુ અને ઓછા મત 


કોંગ્રેસને સૌથી વધુ વોટ વાંસદા બેઠક પર મળ્‍યા છે આ સીટ જાણીતા આદિવાસી નેતા અનંત પટેલે જીતી છે. કુલ મતોમાંથી કોંગ્રેસ ઉમેદવારને 52.5 ટકા મત મળ્‍યા હતા,જ્‍યારે સૌથી ઓછા સુરતની વરાછા બેઠક પર  2.41 ટકા મત મળ્‍યા હતા. 


ચૈતર વસાવાને મળ્યા સૌથી વધુ મત


આપને સૌથી વધુ વોટ શેર ડેડિયાપાડાની બેઠક પર મળ્‍યા હતા આ સીટ પર આપના ઉમેદવાર ચૈતર વસાવા જીત્યા છે. અહીં આપને 55.8 ટકા મત મળ્‍યા જ્‍યારે સૌથી ઓછા થરાદ બેઠક પર માત્ર  0.13 ટકા મત મળ્‍યા છે.


નોટામાં કેટલા મત પડ્‍યા?


આ વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૫.૫૨ લાખ મતદારોએ નોટાનું બટન દબાવ્‍યું હતું. જોકે, 2017ની ચૂંટણી કરતાં લગભગ 50,000  ઓછા મતદારોએ નોટાને વોટ આપ્‍યો હતો. ખેડબ્રહ્મા મતક્ષેત્રમાં સૌથી વધુ 7,331 મત નોટામાં પડ્‍યા હતા. કોંગ્રેસ ઉમેદવાર 1700 વોટના માર્જિનથી ખેડબ્રહ્મા બેઠક પર વિજયી થયા હતા.


ઉમેદવાર ડિપોઝીટ ક્યારે ગુમાવે છે?


વિધાનસભા ચૂંટણીમાં દરેક ઉમેદવારે 10 હજાર રકમ ડિપોઝીટ સ્વરૂપે આપવાની રહે છે. જે ઉમેદવાર ચૂંટણીમાં પડેલા કુલ મતના 1/6 મત પણ ન મેળવી શકે તેની ડિપોઝિટ જપ્ત થાય છે. ઉદાહરણ તરીકે લાયકાત ધરાવતા કુલ મતોમાંથી 16.67 ટકા અથવા છઠ્ઠા ભાગના મતથી ઓછા મત મળે તો ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે છે. 



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.