ભાજપની આંધીમાં કોંગ્રેસના 41 અને AAPના 128 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત


  • Published By :
  • Published Date : 2022-12-09 21:48:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્‍યો એટલા મોટા માર્જિન સાથે વિજયી થયા છે કે મોટા પક્ષોના અને અપક્ષ ઉમેદવારોએ પોતાની સિકયુરિટી ડિપોઝિટ પણ ગુમાવી દીધી છે. ભાજપની આ પ્રચંડ જીતના કારણે આમ આદમી પાર્ટીના 181માંથી 128 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે જ્‍યારે કોંગ્રેસના 41 બેઠકોના ઉમેદવારોએ ઉમેદવારોને ડિપોઝીટ પણ ગુમાવવી પડી છે. 


કયા જાણીતા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી


અમી યાજ્ઞિક


મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના ઘાટલોડિયા મતક્ષેત્રમાં કોંગ્રેસના અમી યાજ્ઞિકે ડિપોઝિટ ગુમાવી છે. કુલ પડેલા  2.57 લાખ મતોમાંથી માત્ર 8.3 ટકા મત તેમની તરફેણમાં પડ્‍યા હતા. જ્‍યારે આપના ઉમેદવાર વિજય પટેલને ફક્‍ત 6.3 ટકા મત મળ્‍યા હતા.


મધુ શ્રીવાસ્‍તવ 


વાઘોડિયા બેઠક પર ભાજપના બળવાખોર નેતા અને છ વાર ધારાસભ્‍ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્‍તવે આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમને કુલ પડેલા 1.82 લાખ મતોમાંથી માત્ર 8 ટકા મત મળ્‍યા હતા. તો કોંગ્રેસ ઉમેદવાર સત્‍યજીત ગાયકવાડને 10.3 ટકા મત મળ્‍યા હતા. તેઓ અપક્ષ ઉમેદવાર ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા.


આપના પી.બી. શર્મા


મજૂરાગેટ મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર અને ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી 1.33 લાખ મત મેળવીને વિજયી થયા છે. તેમના મજબૂત હરીફ ગણાતા આપના પી.બી. શર્માને કુલ પડેલા 1.63 લાખ મતમાંથી 10.24 ટકા મત મળ્‍યા છે જ્‍યારે કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનને  5.81 ટકા મત મળ્‍યા છે. આપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે.


8 બેઠકો પર ભાજપને 75 ટકાથી વધુ મત 


ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રથમવાર જંગમાં ઉતરી હતી તેમ છતાં 34  બેઠકો પર બીજા ક્રમે રહી હતી. આઠ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને 75 ટકાથી વધુ મત મળ્‍યા છે. ૩૨ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને 60થી 74 ટકા મત મળ્‍યા છે. 


કોંગ્રેસને ક્યાં સૌથી વધુ અને ઓછા મત 


કોંગ્રેસને સૌથી વધુ વોટ વાંસદા બેઠક પર મળ્‍યા છે આ સીટ જાણીતા આદિવાસી નેતા અનંત પટેલે જીતી છે. કુલ મતોમાંથી કોંગ્રેસ ઉમેદવારને 52.5 ટકા મત મળ્‍યા હતા,જ્‍યારે સૌથી ઓછા સુરતની વરાછા બેઠક પર  2.41 ટકા મત મળ્‍યા હતા. 


ચૈતર વસાવાને મળ્યા સૌથી વધુ મત


આપને સૌથી વધુ વોટ શેર ડેડિયાપાડાની બેઠક પર મળ્‍યા હતા આ સીટ પર આપના ઉમેદવાર ચૈતર વસાવા જીત્યા છે. અહીં આપને 55.8 ટકા મત મળ્‍યા જ્‍યારે સૌથી ઓછા થરાદ બેઠક પર માત્ર  0.13 ટકા મત મળ્‍યા છે.


નોટામાં કેટલા મત પડ્‍યા?


આ વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૫.૫૨ લાખ મતદારોએ નોટાનું બટન દબાવ્‍યું હતું. જોકે, 2017ની ચૂંટણી કરતાં લગભગ 50,000  ઓછા મતદારોએ નોટાને વોટ આપ્‍યો હતો. ખેડબ્રહ્મા મતક્ષેત્રમાં સૌથી વધુ 7,331 મત નોટામાં પડ્‍યા હતા. કોંગ્રેસ ઉમેદવાર 1700 વોટના માર્જિનથી ખેડબ્રહ્મા બેઠક પર વિજયી થયા હતા.


ઉમેદવાર ડિપોઝીટ ક્યારે ગુમાવે છે?


વિધાનસભા ચૂંટણીમાં દરેક ઉમેદવારે 10 હજાર રકમ ડિપોઝીટ સ્વરૂપે આપવાની રહે છે. જે ઉમેદવાર ચૂંટણીમાં પડેલા કુલ મતના 1/6 મત પણ ન મેળવી શકે તેની ડિપોઝિટ જપ્ત થાય છે. ઉદાહરણ તરીકે લાયકાત ધરાવતા કુલ મતોમાંથી 16.67 ટકા અથવા છઠ્ઠા ભાગના મતથી ઓછા મત મળે તો ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.