ભાજપની આંધીમાં કોંગ્રેસના 41 અને AAPના 128 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત


  • Published By :
  • Published Date : 2022-12-09 21:48:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્‍યો એટલા મોટા માર્જિન સાથે વિજયી થયા છે કે મોટા પક્ષોના અને અપક્ષ ઉમેદવારોએ પોતાની સિકયુરિટી ડિપોઝિટ પણ ગુમાવી દીધી છે. ભાજપની આ પ્રચંડ જીતના કારણે આમ આદમી પાર્ટીના 181માંથી 128 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે જ્‍યારે કોંગ્રેસના 41 બેઠકોના ઉમેદવારોએ ઉમેદવારોને ડિપોઝીટ પણ ગુમાવવી પડી છે. 


કયા જાણીતા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી


અમી યાજ્ઞિક


મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના ઘાટલોડિયા મતક્ષેત્રમાં કોંગ્રેસના અમી યાજ્ઞિકે ડિપોઝિટ ગુમાવી છે. કુલ પડેલા  2.57 લાખ મતોમાંથી માત્ર 8.3 ટકા મત તેમની તરફેણમાં પડ્‍યા હતા. જ્‍યારે આપના ઉમેદવાર વિજય પટેલને ફક્‍ત 6.3 ટકા મત મળ્‍યા હતા.


મધુ શ્રીવાસ્‍તવ 


વાઘોડિયા બેઠક પર ભાજપના બળવાખોર નેતા અને છ વાર ધારાસભ્‍ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્‍તવે આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમને કુલ પડેલા 1.82 લાખ મતોમાંથી માત્ર 8 ટકા મત મળ્‍યા હતા. તો કોંગ્રેસ ઉમેદવાર સત્‍યજીત ગાયકવાડને 10.3 ટકા મત મળ્‍યા હતા. તેઓ અપક્ષ ઉમેદવાર ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા.


આપના પી.બી. શર્મા


મજૂરાગેટ મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર અને ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી 1.33 લાખ મત મેળવીને વિજયી થયા છે. તેમના મજબૂત હરીફ ગણાતા આપના પી.બી. શર્માને કુલ પડેલા 1.63 લાખ મતમાંથી 10.24 ટકા મત મળ્‍યા છે જ્‍યારે કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનને  5.81 ટકા મત મળ્‍યા છે. આપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે.


8 બેઠકો પર ભાજપને 75 ટકાથી વધુ મત 


ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રથમવાર જંગમાં ઉતરી હતી તેમ છતાં 34  બેઠકો પર બીજા ક્રમે રહી હતી. આઠ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને 75 ટકાથી વધુ મત મળ્‍યા છે. ૩૨ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને 60થી 74 ટકા મત મળ્‍યા છે. 


કોંગ્રેસને ક્યાં સૌથી વધુ અને ઓછા મત 


કોંગ્રેસને સૌથી વધુ વોટ વાંસદા બેઠક પર મળ્‍યા છે આ સીટ જાણીતા આદિવાસી નેતા અનંત પટેલે જીતી છે. કુલ મતોમાંથી કોંગ્રેસ ઉમેદવારને 52.5 ટકા મત મળ્‍યા હતા,જ્‍યારે સૌથી ઓછા સુરતની વરાછા બેઠક પર  2.41 ટકા મત મળ્‍યા હતા. 


ચૈતર વસાવાને મળ્યા સૌથી વધુ મત


આપને સૌથી વધુ વોટ શેર ડેડિયાપાડાની બેઠક પર મળ્‍યા હતા આ સીટ પર આપના ઉમેદવાર ચૈતર વસાવા જીત્યા છે. અહીં આપને 55.8 ટકા મત મળ્‍યા જ્‍યારે સૌથી ઓછા થરાદ બેઠક પર માત્ર  0.13 ટકા મત મળ્‍યા છે.


નોટામાં કેટલા મત પડ્‍યા?


આ વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૫.૫૨ લાખ મતદારોએ નોટાનું બટન દબાવ્‍યું હતું. જોકે, 2017ની ચૂંટણી કરતાં લગભગ 50,000  ઓછા મતદારોએ નોટાને વોટ આપ્‍યો હતો. ખેડબ્રહ્મા મતક્ષેત્રમાં સૌથી વધુ 7,331 મત નોટામાં પડ્‍યા હતા. કોંગ્રેસ ઉમેદવાર 1700 વોટના માર્જિનથી ખેડબ્રહ્મા બેઠક પર વિજયી થયા હતા.


ઉમેદવાર ડિપોઝીટ ક્યારે ગુમાવે છે?


વિધાનસભા ચૂંટણીમાં દરેક ઉમેદવારે 10 હજાર રકમ ડિપોઝીટ સ્વરૂપે આપવાની રહે છે. જે ઉમેદવાર ચૂંટણીમાં પડેલા કુલ મતના 1/6 મત પણ ન મેળવી શકે તેની ડિપોઝિટ જપ્ત થાય છે. ઉદાહરણ તરીકે લાયકાત ધરાવતા કુલ મતોમાંથી 16.67 ટકા અથવા છઠ્ઠા ભાગના મતથી ઓછા મત મળે તો ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .